ગૌતમ અદાણી પેટીએમ મૂળની કંપની 97 કમ્યુનિકેશનની હિસ્સેદારી ખરીદવા માંગે છે
અદાણી જૂથ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યું છે અને વાતચીત ચાલી રહી, જોકે Paytm દ્વારા કહેવામાં આવ્યું કે, આ માત્ર અટકળો છે અને તે આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચામાં સામેલ નથી
- Advertisement -
વિશ્વના ટોચના અબજોપતિઓમાંના એક ગૌતમ અદાણી તેમના વ્યવસાયના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને હવે તેમની નજર ફિનટેક ફર્મ Paytm પર છે. વાત જાણે એમ છે કે, Paytm ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિશાન પર છે. આ દરમિયાન હવે એવા અહેવાલો સામે આવ્યા છે કે, અદાણી જૂથ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદવાનું વિચારી રહ્યું છે અને વાતચીત ચાલી રહી છે. જોકે મીડીયા અહેવાલો બાદ Paytm દ્વારા જાહેર કરાયેલા સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે આ માત્ર અટકળો છે અને તે આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચામાં સામેલ નથી.
અદાણી-Paytmના સ્થાપક અમદાવાદમાં મળ્યા ?
મીડિયા રિપોર્ટ મુજબ Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોદાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે મંગળવારે ગૌતમ અદાણી સાથે અમદાવાદમાં તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી Paytmની પેરેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. આ બાબતથી વાકેફ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પેટીએમના સ્થાપકે આ સંબંધમાં તેમની સાથે વાત કરી છે.
- Advertisement -
RBIની કાર્યવાહી બાદ શરૂ થઈ છે ચર્ચા
Paytmની પેરેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદવા માટે ગૌતમ અદાણીના જૂથની તૈયારી સંબંધિત આ રિપોર્ટ Paytm Payments Bank Limited (PPBL) પર RBIની કાર્યવાહી બાદ આવ્યો છે જેના કારણે Paytmને મોટો હિસ્સો મળ્યો છે આંચકો લાગ્યો હતો અને તેને છેલ્લા માર્ચ ક્વાર્ટરમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. વિજય શેખર શર્માની આગેવાનીવાળી પેઢીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 549.60 કરોડની ખોટ નોંધાવી હતી, જે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 219.80 કરોડ અને ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 168.90 કરોડથી ઘટી હતી.
જાણો શું કહ્યું Paytmએ ?
Paytm દ્વારા જારી કરાયેલા સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે, આ માત્ર અટકળો છે અને તે આ અંગે કોઈપણ પ્રકારની ચર્ચામાં સામેલ નથી. Paytm એ કહ્યું, અમે હંમેશા SEBI હેઠળની અમારી જવાબદારીઓનું પાલન કરીને ડિસ્ક્લોઝર આપ્યા છે અને તેમ કરવાનું ચાલુ રાખીશું.
ફિનટેક સેક્ટરમાં એન્ટ્રીની તૈયારીઓ
મીડિયા રિપોર્ટ અને ચર્ચાઓ મુજબ અદાણી-Paytm ની જો આ ડીલ પૂર્ણ થાય છે તો પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા અદાણી ગ્રુપને ફિનટેક સેક્ટરમાં પ્રવેશવામાં મદદ મળશે. નોંધનીય છે કે, અગાઉ તેના વ્યવસાયનું વિસ્તરણ કરતી વખતે અદાણી જૂથે સિમેન્ટ ઉત્પાદકો ACC સિમેન્ટ અને અંબુજા સિમેન્ટને હસ્તગત કરી હતી અને ગયા નાણાકીય વર્ષમાં મીડિયા ફર્મ NDTVનો પણ તેના પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો હતો.
Paytm માં વિજય શેખર શર્માનો છે 19% હિસ્સો
કેન્દ્રીય બેંક દ્વારા Paytm ના બેંકિંગ એકમ Paytm પેમેન્ટ બેંકો પર પ્રતિબંધ મૂક્યા પછી આ ફિનટેક પેઢી મુશ્કેલીમાં છે. આ સમયગાળા દરમિયાન SoftBank એ Paytm માં તેનો બહુમતી હિસ્સો વેચી દીધો છે. આ ઉપરાંત અનુભવી રોકાણકાર વોરેન બફેટના બર્કશાયર હેથવે પણ ગયા વર્ષે Paytmમાંથી બહાર નીકળી ગયા હોવાના અહેવાલ છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે, ગૌતમ અદાણીનું જૂથ Paytm ની મૂળ કંપની One97 Communicationsને રોકાણકારો તરીકે લાવવા માટે પશ્ચિમ એશિયન ફંડ્સ સાથે પણ સંપર્કમાં છે. તમને જણાવી દઈએ કે વન 97 કોમ્યુનિકેશન્સમાં વિજય શેખર શર્માની લગભગ 19 ટકા ભાગીદારી છે.
ગૌતમ અદાણીએ રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના થયા 44 લાખ
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં રોકાણ કરી લોકો આજે માલામાલ થઈ ચુક્યા છે. પાંચ વર્ષ પહેલા જેણે આ સ્કોકમાં પોતાના એક લાખ રૂપિયા લગાવ્યા હોય આજે તેના એક લાખના 21 લાખ રૂપિયા થઈ ચુક્યા છે. આ 5 વર્ષોમાં 2,053.3%નું શાનદાર રિટર્મ આપી ચુક્યા છે. બીજી બાજુ આ સમયગાળા દરમિયાન સેન્સેક્સે 89 ટકા રિટર્ન આપ્યું છે. અદાણી એન્ટરપ્રાઈઝના શેર બપોરે ડોઢ વાગ્યાની આસપાર 1.54 ટકા નીચે 3331.15 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. આજે તે 3358 રૂપિયા પર ખુલ્યો અને 3267.05 રૂપિયાના નીચલા સ્તર સુધી આવી ગયો. તેનો 52 અઠવાડિયાનો હાઈક 3457.85 રૂપિયા અને લો 2142 રૂપિયા છે. રિટર્ન આપવાના મામલામાં અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી તો એન્ટરપ્રાઈઝથી પણ આગળ છે. છેલ્લા પાંચ વર્ષમાં તેણે 4380 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આજે 1940 રૂપિયા પર પહોંચી ગયું છે. પાંચ વર્ષ પહેલા તેમાં જેણે પણ 1 લાખ રૂપિયા લગાવ્યા હશે તેમના એક લાખના રોકાણની વેલ્યૂ આજે 44 લાખથી વધારે છે. તેનો 52 અઠવાડિયાનો હાઈ 2018.95 રૂપિયા અને લો 815.55 રૂપિયા છે. અદાણી ગ્રુપનો એક અન્ય શેર છે અદાણી પાવર તેણે પાછલા પાંચ વર્ષમાં 1309 ટકાથી વધારેનું રિટર્ન આપ્યું છે. પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં એક લાખ રૂપિયા જેણે પણ લગાવ્યા. તેના એક લાખ હવે 14.08 લાખ રૂપિયા થઈ ચુક્યા છે. તેના 52 અઠવાડિયાના હાઈ 720.50 રૂપિયા અને લો 231 રૂપિયા છે. આ વર્ષે અત્યાર સુધી તેણે લગભગ 35 ટકાનું રિટર્ન આપ્યું છે.
અદાણી-Paytmના સ્થાપક અમદાવાદમાં મળ્યા?
મીડિયા રિપોર્ટ મુજબ Paytmના સ્થાપક અને CEO વિજય શેખર શર્માએ સોદાની રૂપરેખાને અંતિમ રૂપ આપવા માટે મંગળવારે ગૌતમ અદાણી સાથે અમદાવાદમાં તેમની ઓફિસમાં મુલાકાત કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી Paytmની પેરેન્ટ કંપનીમાં હિસ્સો ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. આ બાબતથી વાકેફ સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, પેટીએમના સ્થાપકે આ સંબંધમાં તેમની સાથે વાત કરી છે. મીડિયા રિપોર્ટ અને ચર્ચાઓ મુજબ અદાણી-Paytmની જો આ ડીલ પૂર્ણ થાય છે તો પોર્ટથી લઈને એરપોર્ટ સુધીના બિઝનેસ સાથે સંકળાયેલા અદાણી ગ્રુપને ફિનટેક સેક્ટરમાં પ્રવેશવામાં મદદ મળશે. નોંધનીય છે કે, અગાઉ તેના વ્યવસાયનું વિસ્તરણ કરતી વખતે અદાણી જૂથે સિમેન્ટ ઉત્પાદકો અઈઈ સિમેન્ટ અને અંબુજા સિમેન્ટને હસ્તગત કરી હતી અને ગયા નાણાકીય વર્ષમાં મીડિયા ફર્મ ગઉઝટનો પણ તેના પોર્ટફોલિયોમાં સમાવેશ કર્યો હતો.