રાંચીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા ઝારખંડથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત એમ છે કે, રાંચીમાં EDએ ઝારખંડના મંત્રી આલમગીર આલમના ખાનગી સચિવના ઘરે દરોડા પાડીને મોટી રકમની રોકડ જપ્ત કરી છે. પ્રાથમિક વિગતો મુજબ EDએ નોકરના ઘરેથી લગભગ 20-30 કરોડ રૂપિયાની રોકડ રિકવર કરી છે. આ સિવાય આ જ ઘરમાં અન્ય એક જગ્યાએથી પણ 3 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસની તપાસ દરમિયાન આલમગીર આલમનું નામ સામે આવ્યું હતું.
- Advertisement -
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDને માહિતી મળી હતી કે, આલમગીર આલમના મંત્રાલયમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને આ પૈસા નોકરોના ઘરે જઈ રહ્યા છે. જે બાદ મંત્રીના ખાનગી સચિવના નોકર પર દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે EDના અધિકારીઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અંદાજ ન હતો કે 15,000 રૂપિયા પગાર મેળવનાર વ્યક્તિના ઘરેથી આટલી રોકડ મળી આવશે. જો કે હવે અધિકારીઓએ નોટ ગણવાના મશીન અને કર્મચારીઓને બોલાવ્યા છે.
#WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Ranchi. Huge amount of cash recovered from household help of Sanjiv Lal – PS to Jharkhand Rural Development minister Alamgir Alam, in Virendra Ram case.
ED arrested Virendra K. Ram, the chief… pic.twitter.com/VTpUKBOPE7
- Advertisement -
— ANI (@ANI) May 6, 2024
10 હજારની લાંચ લેવાના કેસમાં તપાસ અને પછી…. .
વિગતો મુજબ ગયા વર્ષે મે મહિનામાં EDએ 10,000 રૂપિયાની લાંચના મામલે ચીફ એન્જિનિયરના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, લાંચની રકમ મંત્રી સુધી પહોંચાડવામાં આવે છે. જે બાદ ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમનું નામ પ્રથમ વખત સામે આવ્યું છે. આ તપાસ દરમિયાન જ આલમગીરના અંગત સચિવ સંજીવ લાલનું નામ સામે આવ્યું હતું અને હવે સંજીવ લાલના ઘરમાં કામ કરતા નોકર પાસેથી આ રોકડ મળી આવી છે.
EDની કાર્યવાહી બાદ ભાજપે કોંગ્રેસ પર તાક્યું નિશાન
BJP સાંસદ નિશિકાંત દુબેએ આ મામલે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. ગોડ્ડાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ યાદવ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રૂ. 30 કરોડથી વધુ અને ગણતરી ચાલુ છે… આજે, EDએ કોંગ્રેસ વિધાયક દળના નેતા અને ઝારખંડ સરકારના ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલ સામે મોટી કાર્યવાહી કરી છે. EDને સંજીવ લાલના ઘરેથી 30 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી છે. પ્રદીપ યાદવની પાર્ટીની વાર્તા…”
આવો જાણીએ કોણ છે આલમગીર આલમ?
આલમગીર આલમ પાકુર વિધાનસભાથી ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં ઝારખંડ સરકારમાં સંસદીય બાબતો અને ગ્રામીણ વિકાસ મંત્રી છે. આ પહેલા આલમગીર આલમ 20 ઓક્ટોબર 2006થી 12 ડિસેમ્બર 2009 સુધી ઝારખંડ વિધાનસભાના સ્પીકર પણ હતા. સરપંચની ચૂંટણી જીતીને આલમગીરે રાજકીય દાવની શરૂઆત કરી હતી. વર્ષ 2000માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને ત્યારથી અત્યાર સુધીમાં 4 વખત ધારાસભ્ય બન્યા છે.