સભા બાદની પરિવારગોષ્ઠિમાં પરસોતમભાઇ રૂપાલાનું વિશેષ સન્માન કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.17
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની ખાસ સાધારણ સભા તાજેતરમાં બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં બેંકના ડેલિગેટ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ સાધારણ સભામાં કુલ પાંચ ઠરાવો રજુ થયા હતા અને તે સર્વાનુમતે મંજુર થયા હતા.
બેંકના પૂર્વચેરમેન-ડિરેકટર અને સહકારી અગ્રણી જ્યોતીન્દ્રભાઇ મહેતાએ બેંકના બાયલોઝમાં સુધારાનો પ્રસ્તાવ રજુ કરતાં જણાવ્યું હતું કે, ‘આપ સહુ જાણો છો કે ભારત સરકારે તા. 6 જુલાઇ 2019ના રોજ દેશમાં નવા સ્વતંત્ર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરી અને એક સૂત્ર આપ્યું, સહકારથી સમૃદ્ધિ. ત્યાર બાદ અમિતભાઇ શાહના વડપણ હેઠળ મલ્ટીસ્ટેટ કો-ઓપરેટીવ એક્ટનું એમેન્ડમેન્ટ થયું. તેમાં પ્રોવિઝન થયા તેને કારણે આપણે બાય-લોઝ સુધારવાના થયા. જેમ કે એક છે એડ્રેસમાં ઇમેઇલ એડ્રેસ ઉમેરવું. આ પ્રકારના નાના-નાના વિવિધ સુધારાઓ આવ્યા છે અને તે મુજબ આપણે આપણા બાય-લોઝ સુધારી રહ્યા છીએ.’ સભા બાદ પારિવારિક માહોલમાં વિચારગોષ્ઠિ યોજાઇ.
કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ‘પાછલા દસ વર્ષની આંકડાકીય પ્રગતિ અને સામાજિક ઉત્તરદાયિત્વની વાત કરીએ તો, છેલ્લા દાયકામાં ઘણી અણધારી પરિસ્થિતિનો સામનો કર્યો છે. જેવી કે, જીએસટી, નોટબંધી અને કોરોનાકાળ. આ બધામાં આપણી બેંકની આજની સ્થિતિએ લો-ક્ોસ્ટ ડિપોઝીટ રૂા. 1,800 કરોડ, ડિપોઝીટ રૂા. 6,100 કરોડ, ધિરાણો રૂા. 3,700 કરોડ નોંધાયેલ છે. આપણી બેંક 38 શાખાઓ વચ્ચે 8 લાખથી વધુ ખાતેદારોને સેવાઓ પૂરી પાડે છે.
સભા બાદ યોજાયેલી પરિવારગોષ્ઠિમાં પરસોતમભાઇ રૂપાલા, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, સતીશજી મરાઠે, યશવંતભાઇ ચૌધરી ઉપરાંત બેંક પરિવારમાંથી જીમ્મીભાઇ દક્ષીણી, ડિરેકટરગણમાંથી શૈલેષભાઇ ઠાકર, નલિનભાઇ વસા, જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, અર્જુનભાઇ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, મંગેશજી જોશી, ચંદ્રેશભાઇ ધોળકિયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠક્કર, હસમુખભાઇ હિંડોચા, હર્ષિતભાઇ કાવર, વિનોદકુમાર શર્મા, રજનીકાંત રાયચુરા, શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ ઉપરાંત વિશેષમાં મુકેશભાઇ મલકાણ, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, દીપકભાઇ પટેલ, ગોપાલભાઇ માકડીયા, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગઇકાલ-આજ અને આવતીકાલ રજુ કરતી ડોક્યુમેન્ટ્રી દર્શાવાઇ હતી.
આ તકે પરસોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળાનું ચિહ્ન અને ખાદીનો રૂમાલ આપી સન્માન કરાયું હતું.