ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
તાજેતરમાં દરબારગઢ પાસે હવેલીની બાજુમાં જસુબાઈ મંડાણમાં રાજકોટમાં બિરાજતા છ બાવાશ્રીની હાજરીમાં હોળીના રશિયાની ઉજવણી કરવામાં આવી હતી. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના અને તેમના પરિવારજનો અને બાલકૃષ્ણ લાલજીના હવેલીના કીર્તનકારો તેમજ આમંત્રિતો માટે હિંડોળા (ઝૂલા) દર્શન સાથે અબીલ-ગુલાલ અને ફૂલોથી બાવાશ્રીએ આવનાર તમામ વૈષ્ણવોને હોળીથી રમાડ્યા હતા.
- Advertisement -
આ તકે પ્રભુકૃપાથી જશુમંડાણમાં ધમાર હોળી ઉત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી. અને પ્રભુ કૃપાથી અલગ અલગ હવેલી નાં છ બાવાશ્રીઓ જશુબાઇ મંડાણ માં પધાર્યા હતાં. આ ઉત્સવમાં બાવાશ્રીઓ, પરિવારના સભ્યો, મિત્રો અને વૈષ્ણવો દ્વારા આ ફુલ્ડોલ ઉત્સવ રંગે ચંગે ઉજવ્યો હતો. જેમાં લોકોએ આશરે 100 કિલોથી વધુ ગુલાલ અને ફૂલોથી હોળી રમી હતી. જેમાં પુષ્ટિમાર્ગનાં આચાર્યો અને બાલકૃષ્ણ લાલજી હવેલીના કિર્તન ગાયકોએ હોળીનાં રસિયા ગાઈને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું. આ પ્રસંગમાં રુચિ બાવાશ્રી, પરાગ કુમારજી, વૃજેશ કુમાર મહોદય, અનુબાવાશ્રી, પરષોત્તમ બાવાશ્રી, અભિષેક બાવાશ્રી તથા ધોરાજી હવેલી આ તમામ બાવાશ્રીએ રસિયા ગાઈને વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતું. આ પ્રસંગે રાજકોટના મહાનુભાવોમાં વજુભાઈ વાળા, જૈમિનભાઈ ઠાકર, ગોપાલભાઈ સાપરિયા, રાકેશભાઈ પોપટ, પ્રતાપભાઈ પટેલ, હિતેનભાઈ કતિરા, અશોકભાઈ ઝીંઝુવાડિયા, અશોકભાઈ સોની, અશોકભાઈ વૈષનાની, વિનુભાઇ પારેખ, મિલનભાઈ રાણપરા, મનીષભાઈપાટડિયા, અરવિંદભાઈ પાટડિયા, અરવિંદભાઈ તાળા, ઈશ્વરભાઈ તાળા,ધીરૂભાઈ રોકડ, અનંતભાઈ ઉનડકટ, હિરેનભાઈ કતીરા, તેજસભાઇ ભટી, હેતલભાઈ રાજ્યગુરુ, જયેશભાઈ લોટીયા, કાળુભાઇ ફૂલવાળા, રાજાભાઈ હિન્દુજાએ ઉત્સવમાં હાજરી આપી હતી.