વોર્ડ નં.૦૩માં રૂ.૪.૪૭ કરોડના ખર્ચે સંતોષીનગર મેઈન રોડ પેવર કામનો શુભારંભ ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવેલ.
આ પ્રંસગે વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, નરેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઈ), કુસુમબેન ટેકવાણી, અલ્પનાબેન દવે, વોર્ડના પ્રભારી મનુભાઈ વઘાસીયા, પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી રાજુભાઈ દરીયાનાણી, હિતેશભાઈ રાવલ, ભાજપ અગ્રણી બાબુભાઈ પરેશ, મનહરસિંહ ગોહિલ, સુનિલભાઈ ટેકવાણી, વિલાસબા સોઢા, કમળાબેન, દાનાભાઈ કુંગસીયા, દીપકભાઈ દવે, મયુરભાઈ ગાંગાણી તેમજ વિસ્તારના રહેવાસીઓ હાજર રહેલ હતા.


