કેનાલમાં છલાંગ લગાવતો યુવાન મોતને ભેટ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના લખધીરપુર રોડ પરની ફેકટરીમાં કામ કરતો શ્રમિક યુવાન કેનાલમાં પડી ગયો હોય જેથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી તેમજ કેનાલમાં પાણી હોવાથી કેનાલનો ગેટ બંધ કરાવી યુવાનની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી ત્યારે લગભગ 24 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળ્યો હતો.
- Advertisement -
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ કેનાલમાં એક 25 વર્ષીય શ્રમિક યુવાન શુક્રવારે બપોરે પડી ગયો હતો જે બનાવની જાણ થતા ફાયરની ટીમે શોધખોળ ચલાવી હતી જોકે કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી તરવૈયાઓની ટીમને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ અંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાને જાણ થતા મંત્રીએ અધિક કલેક્ટર મુછારનો સંપર્ક કરી કેનાલનો ગેટ બંધ કરાવવા સુચના આપી હતી જોકે શુક્રવારે સાંજ સુધી સર્ચ ઓપરેશન ચલાવવા છતાં શ્રમિકનો પત્તો લાગ્યો ન હતો અને શનિવારે તરવૈયાઓની ટીમ ફરીથી શોધખોળ માટે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ યુવાનનો મૃતદેહ મળ્યો હતો. કેનાલમાં તણાઈ ગયેલ યુવાન મૂળ ઉત્તરપ્રદેશનો રાજુ નાયક હોવાનું જાણવા મળ્યું છે તો આ અંગે તપાસ કરી રહેલા અજઈં જે.પી. કણસાગરાએ જણાવ્યું હતું કે, કેનાલમાં ડુબનાર યુવાન ત્યાં સ્ટંટ કરી રહ્યો હતો અને બે વાર જમ્પ મારી કેનાલમાંથી બહાર નીકળી ગયો હતો જ્યારે ત્રીજી છલાંગ લગાવ્યા બાદ તે બહાર નીકળી શક્યો ન હતો.