TVK 100ને પાર, DMK કાર્યકર્તાઓએ પાર્ટી કાર્યાલયમાંથી તંબુ હટાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરી વિધાનસભા બેઠકો પર મતોની ગણતરી ચાલુ છે. તાજા વલણોમાં તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. 2 વર્ષ જૂની અભિનેતા વિજયની પાર્ટી ઝટઊં નંબર વન તરીકે ઉભરી આવી છે. ઝટઊં કુલ 234 બેઠકોમાંથી 104 પર આગળ ચાલી રહી છે. સત્તાધારી ઉખઊં ત્રીજા નંબર પર સરકી ગઈ છે. અઈંઅઉખઊં બીજા નંબર પર છે. તમિલનાડુના ઈખ સ્ટાલિન પોતાની બેઠક કોલાથુરથી પાછળ રહી ગયા છે.
તમિલનાડુના એક નવા યુગની શરૂઆત
થલાપતિ વિજયનો રાજકારણમાં પ્રવેશ એ તમિલનાડુમાં એક નવા યુગની શરૂઆત હોઈ શકે છે. તેઓ પોસ્ટ-દ્રવિડિયન એન્ઝાઈટી ધરાવતા યુવાનો માટે આશાનું કિરણ છે. તેમની સફળતા એ વાત પર નિર્ભર રહેશે કે તેઓ પોતાના ફિલ્મી સ્ટારડમને કેવી રીતે મજબૂત સંગઠન અને સ્પષ્ટ વિઝનમાં પરિવર્તિત કરી શકે છે. 2026 ના પરિણામો એ માત્ર આંકડા નહીં હોય, પણ વિજયના રાજકીય ભાવિનું પ્રતિબિંબ હશે. જો વિજય સફળ થાય છે, તો તે માત્ર તમિલનાડુ જ નહીં પણ સમગ્ર ભારતના પ્રાદેશિક રાજકારણ માટે એક નવો દાખલો બેસાડશે.
થલપતિ વિજય: સિનેમાના પડદેથી સત્તાની સીડી સુધી…
- Advertisement -
તમિલનાડુની રાજનીતિ હંમેશા સિનેમા અને કલ્ટ વ્યક્તિત્વના પ્રભાવ હેઠળ રહી છે. દાયકાઓ સુધી, આ રાજ્યે એમ.જી. રામચંદ્રન (ખૠછ) અને જે. જયલલિતા જેવા સુપરસ્ટાર કલાકારોને રાષ્ટ્રપ્રમુખ જેવું સન્માન આપી મુખ્યમંત્રી પદ સુધી પહોંચાડ્યા છે. પરંતુ છેલ્લા સાડા ત્રણ દાયકાથી આ પરંપરા પર વિરામ લાગી ગયો હોય તેમ લાગતું હતું. રજનીકાંત અને કમલ હાસન જેવા દિગ્ગજો પણ રાજકારણમાં એવો જાદુ ન ચલાવી શક્યા જેવો તેમની ફિલ્મોમાં હતો. આવા સમયમાં, 2024 માં જ્યારે જોસેફ વિજય ચંદ્રશેખર, જેઓ તેમના લાખો ચાહકો માટે થલાપતિ વિજય છે, તેમણે અભિનયમાંથી નિવૃત્તિ જાહેર કરી અને રાજકારણમાં પ્રવેશવાની ઘોષણા કરી, ત્યારે આખું તમિલનાડુ સ્તબ્ધ થઈ ગયું. 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો હવે માત્ર એક રાજકીય ઘટના નથી, પરંતુ વિજયની પરફોર્મન્સનું લિટમસ ટેસ્ટ માનવામાં આવે છે. વિજય માત્ર એક સુપરસ્ટાર ચહેરા તરીકે રાજકારણમાં નથી ઉતર્યા, પરંતુ તેઓ તમિલનાડુના જટિલ રાજકીય સમીકરણોમાં એક નવો, વાસ્તવિક વિકલ્પ બનીને ઉભર્યા છે. 1990 ના દાયકાથી સ્ટાર બનેલા વિજય પોતાની ફિલ્મોમાં હંમેશા સિસ્ટમ સામે લડતા ચહેરા તરીકે ઓળખાયા છે. 1994 માં તેમના પિતા એસ.એ. ચંદ્રશેખરની ફિલ્મ રસીગન દ્વારા તેમને ઇલયાથલાપતિ (યુવા નેતા) નું બિરુદ મળ્યું હતું. થુપ્પક્કી (2012), થલાઈવા (2013), કત્થી (2014) અને મર્સલ (2017) જેવી ફિલ્મોમાં વિજયે કોર્પોરેટ શોષણ, ખેડૂતોની જમીન, મેડિકલ ભ્રષ્ટાચાર અને સરકારી તંત્ર સામે લડાઈ લડી હતી.
તમિલનાડુમાં ફિલ્મી સિતારાઓ અને રાજકારણ વચ્ચે જૂનો અને અતૂટ સંબંધ રહ્યો છે, તેમ છતાં હાલના સમયમાં મોટા ગજાના સુપરસ્ટાર્સ આ ક્ષેત્રમાં જોઈએ તેવી સફળતા મેળવી શક્યા નથી. રજનીકાંતે વર્ષ 2017માં રાજનીતિમાં આવવાની જાહેરાત કરી હતી, પરંતુ લાંબા સમય સુધી કોઈ ચોક્કસ પગલાં ન લેવાને કારણે અને છેવટે સ્વાસ્થ્યના કારણો આપીને પીછેહઠ કરવાથી જનતામાં વિશ્ર્વસનીયતા ગુમાવી. બીજી તરફ, કમલ હાસને પોતાની પાર્ટી ‘મક્કલ નીધિ મય્યમ’ (ખગખ) બનાવી ખરી, પણ તેમની ‘બૌદ્ધિક રાજનીતિ’ સામાન્ય લોકો માટે સમજવી અઘરી રહી અને તેમની પાસે પાયાના સ્તરે કામ કરી શકે તેવા મજબૂત કાર્યકરોનો પણ અભાવ જોવા મળ્યો. વિજયે રજનીકાંત અને કમલ હસનને રાજકારણમાં કરેલી ભૂલોમાંથી પાઠ શીખ્યો છે. તેઓ કોઈ ધર્મ કે જાતિની રાજનીતિ નથી કરતા, પણ તેમનું ધ્યાન સુશાસન અને ભ્રષ્ટાચાર મુક્ત તમિલનાડુ પર છે. તેઓ ફિલ્મી સ્ટારડમની સાથે રાજકીય જમીન પર પણ મજબૂતાઈથી ઉભા રહ્યા છે.



