જન આશીર્વાદ યાત્રાને પડધરીએ સત્કારવા રાજકોટ જીલ્લામાં તડામાર તૈયારી.
પડધરીથી જસદણ સુધી ઐતિહાસિક કેશરીયો માહોલ સર્જાશે.
તા.૨૧ ઓગષ્ટને સવારે ૮.૩૦ કલાકે સ્વામિનારાયણ મંદિર સરધાર ખાતે કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે.
રાજકોટ જીલ્લા ભાજપા પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરુણભાઈ નિર્મળ અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકારમાં નવનિયુક્ત મંત્રીઓ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં “જન આશીર્વાદ યાત્રા” થકી ભારતના ભવ્ય વિકાસની આછેરી ઝલક જન-જન સુધી પહોચાડવા પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટ જીલ્લામાં “જન આશીર્વાદ યાત્રા” તા.૨૦મીએ બપોરે ૦૧.૧૫ કલાકે દહીસરડા, તા.પડધરીએ પહોચશે. આ સમયે રાજકોટ જીલ્લાના અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા તેમજ રાજકોટ જીલ્લાના મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જન આશીર્વાદ યાત્રાનું ઐતિહાસિક દબદબાભેર સ્વાગત કરવામાં આવશે. દહીસરડા ખાતે ઐતિહાસિક કેશરિયો માહોલ સર્જાશે. જન આશીર્વાદ યાત્રાને સત્કારવા જન સમુદાયસ્વયંભુ ઉમટશે.
આ જન આશીર્વાદ યાત્રામાં રાજકોટ જીલ્લા ઉપરાંત મેટોડાના ઉદ્યોગપતીઓ, પાટીદાર સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, લઘુમતી સમાજ ઉપરાંત તમામ સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં આવીને ભાવ્યાતિભવ્ય સ્વાગત કરશે.
- Advertisement -
કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાનો પ્રવાસ કાર્યક્રમ
તા.૨૦ ઓગષ્ટને શુક્રવારના રોજ બપોરે૧.૧૫ કલાકે પડધરી તાલુકાના દહીંસરડા કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાજીનું ભવ્યતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. બપોરે ૧.૩૦ કલાકે પડધરી ખાતે ભોજન લઈને૨.૧૦ કલાકેઆર્વી કોટન જીન, ભારત હોટલની સામે, બાયપાસ રોડ પડધરી ખાતે કેન્દ્રીય મંત્રી નું સન્માન તથા સભા રાખવામાં આવેલ છે. બપોરે૩.૩૦ કલાકેરાજકોટ શહેર ભાજપના કાર્યકર્તાઓ દ્વારાસન્માન કરવામાં આવશે બાદમાંરૈયા ચોકડી, કેકેવી ચોકડી, રાધે ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે સન્માન કરવામાં આવશે. બપોરે ૪.૧૫ કલાકે કાળી પાટની માં ગૌરી ગૌશાળાની કેન્દ્રીયમંત્રી વિઝીટ કરી કસ્તુરબાધામ ખાતે કેન્દ્રીયમંત્રી સન્માન કરવામાં આવશે બાદમાં તેઓ કસ્તુરબાધામ આશ્રમની વિઝીટ કરશે. સાંજે ૬.૦૦કલાકે રંગુન માતાના મંદિરે દર્શન કરી સાંજે ૬.૨૫ કલાકેસરધાર ખાતે કેન્દ્રીયમંત્રી અદકેરું સ્વાગત કરવામાં આવશે તથા સભા કરશે અનેસ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીયમંત્રી રાત્રી રોકાણ કરશે.
બાદમાં, બીજા દિવસે તા.૨૧ ઓગષ્ટને શનિવારના રોજ સવારે ૮.૩૦ કલાકેસ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીયમંત્રી પ્રેસ કોન્ફરન્સ યોજાશે. સવારે ૯.૧૫ કલાકેડુંગરપુર, તા.રાજકોટ ગામ ખાતે માલધારી સમાજની મુલાકાત કરશે. સવારે૯.૩૦ કલાકેવીરનગરખાતે કેન્દ્રીયમંત્રી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. સવારે૯.૫૫ કલાકેવિવેકાનંદ સ્કુલની બાજુમાં, પોલીસ સ્ટેશનની સામે, આટકોટ ખાતે યાત્રા પહોચશે બાદમાં કેન્દ્રીયમંત્રી સ્વાગત અને સન્માન કરવામાં આવશે. સવારે૧૦.૧૦ કલાકે કેન્દ્રીયમંત્રી પ્રાથમિક આરોગ્યકેન્દ્ર,ભાવનગર હાઈવે, આટકોટમાં વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લેશે અને વેક્સીન લેનારા લોકો સાથે ચર્ચા કરશે. સવારે૧૦.૩૫ કલાકેજસદણખાતે કેન્દ્રીયમંત્રી નું ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવશે અને જસદણ માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની સભા યોજાશે. બાદમાં બપોરે ૧૧.૩૫ કલાકે કેન્દ્રીયમંત્રી જસદણથી રવાના થઇ બપોરે૧૨.૨૦ કલાકેબાબરા પહોચશે.
- Advertisement -




