ડોકટર એ સમાજનું અભિન્ન અંગ છે ત્યારે આધુનિક યુગમાં કેટલાય અસાધ્ય રોગો પર વિજય પ્રાપ્ત થયો છે તેમાં વૈજ્ઞાનિકો તેમજ ડોકટરોનો અથાગ પરીશ્રમ તેમજ મહતમ ફાળો રહયો છે : મનસુખભાઈ માંડવિયા
કોરોના વોરીયર્સ એવા શહેરના ડોક્ટરોને બીરદાવી તેની પ્રશંસા કરતા કેન્દ્રીય મંત્રી
રાજકોટ મહાનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાની ‘જન આશિર્વાદ યાત્રા’નું વિવિધ રૂટ પર શહેર ભાજપ ધ્વારા ભવ્ય સ્વાગત થયા બાદ અટલબીહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ધ્વારા ડોકટર સેલ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા, કમલેશ મિરાણી, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ઉદય કાનગડ, ડો. વલ્લભભાઈ કથીરીયા,ડો. જૈમનભાઈ ઉપાધ્યાય સહીતના ઉપસ્થિત રહયા હતા.
આ બેઠકમાં રાજકોટના વરિષ્ઠ ડોકટરો ઉપસ્થિત રહયા હતા તેમજ ગુજરાત પ્રદેશ ડોકટર સેલના સંયોજક ડો. અતુલભાઈ પંડયા, રાજકોટના ડોક્ટર સેલના સંયોજક ડો. ચેતન લાલસેતા, ડો. નરેન્દ્ર વિસાણી, ઝોન સંયોજક ડો. અમીત હપાણી, આઈ.એમ.એ. પ્રમુખ ડો. પ્રફુલ કામાણી, જી.પી. ફેડરેશનના ડો. શૈલેષ વસાણી, ડેન્ટલ એશોશીએશનના ડો. તેજશ ત્રિવેદી, ફીઝીયોથેરાપી ડો.મનીષ પાઠક, આર્યુવેદીક ડો. મંદીર, ડો રાજયગુરૂ, ડો. વેકરીયા, તેમજ શહેરનાવરિષ્ઠ તબીબો ડો. એસ.ટી. હેમાણી, ડો.સુશીલ કારીયા, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. પ્રકાશ મોઢા, ડો .જયમીન ઉપાધ્યાય, ડો. રશ્મી ઉપાધ્યાય, ડો.કીર્તીભાઈ પટેલ, ડો.ડી.કે. શાહ, ડો. પ્રશાંત ત્રિવેદી, ડો. મયંક ઠકકર, ડો. જયેશ ડોબરીયા, ડો. તેજશ કરમટા, ડો. જય ધીરવાન્ની, ડો. સંજય ભટ્ટ, ડો. પારસ શાહ સહીતના એ મનસુખભાઈ માંડવિયાનું શાલ ઓઢાડી સન્માન કરેલ હતું.
- Advertisement -
ડોકટર એ સમા આ બેઠકમાં ઉદબોધન કરતા મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ હતું કે અભિન્ન અંગ છે ત્યારે આધુનિક યુગમાં કેટલાય અસાધ્ય રોગો પર વિજય પ્રાપ્ત થયો છે તેમાં વૈજ્ઞાનિકો તેમજ ડોક્ટરોનો અથાગ પરીશ્રમ તેમજ મહતમ ફાળો રહયો છે ત્યારે સમગ્ર વિશ્વ અને દેશમાં કોરોના મહામારીએ સકંજો ફેલાવ્યો છે ત્યારે પ્રથમ અને બીજી લહેરમાં ડોકટરો અને મેડીકલ એ કોરોના વોરીયર્સની ભુમિકા સુંદર રીતે ભજવેલ. ત્યારે રાજકોટના ૨૫૦ ડોકટરોએ સીવીલ અને સમરસમા બે માસ સુધી નિઃશુલ્ક સેવાઓ પુરી પાડેલ, મ્યુકર માઈક્રોસીસ માટે રાજકોટના ૧૫ ઈએનટી સર્જનઓએ ૧૫૦૦ ઓપરેશન સીવીલમાં વિનામૂલ્યે કર્યા, રાજકોટના વરિષ્ઠ તબીબોએ ટેલીમેડીસન કાર્યક્રમો થકી દર્દીઓને માર્ગદર્શન પુરૂ પાડેલ તે બદલ શહેરના ડોકટરોને બીરદાવી તેની પ્રશંસા કરેલ હતી.તેમજ રાજકોટના કોરોના વોરીયર્સ તમામ તબીબોને તેમની અમૂલ્ય સેવા બદલ અભિનંદન પાઠવેલ હતા. તેમજ કોરોનાની ત્રીજી લહેર સામે લડવા માટે ભાજપ ધ્વારા દેશભરમાં સ્વાસ્થ્ય સ્વયંસેવકની ટીમ બનાવવામાં આવી છે, આ ટીમમાં એક નિષ્ણાંત તબીબને પણ જવાબદારી સોંપવામાં આવી છે તેમ જણાવેલ હતું.
આ બેઠકનું સંચાલન ડો. અતુલભાઈ પંડયાએ કરેલ. સ્વાગત પ્રવચન ડો. પ્રફુલ કામાણીએ કરેલ અને અંતમાં આભારવિધિ ડો. ચેતન લાલસેતાએ કરેલ.


