ચોમાસ પહેલા યોગ્ય આયોજન કરવાની માંગ ઉઠી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં ચોમાસામાં અંધારપટ્ટની સ્થિતી ન સર્જાય તે માટે આયોજન કરવા માંગ કરાઇ છે. તેમજ મનપા પાસે માત્ર બે ગાડી છે અને ઓછા કર્મચારીઓ છે. જૂનાગઢ વોર્ડ નં. 6નાં કોર્પોરેટર લલીત પણસારાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલીકા સ્ટ્રીટ લાઇટ શાખા દ્વારા સ્ટ્રીટ લાઇટનો કોન્ટ્રાકટ બે કંપનીને આપેલો છે.
- Advertisement -
ગત વર્ષે ચોમાસામાં જૂનાગઢનાં 1 થી 15 વોર્ડમાં સ્ટ્રીટ લાઇટ રીપેરીગના ધાંધીયા થયા હતાં.જૂનાગઢ મહાનગરપાલીકા પાસે સ્ટ્રીટ લાઇટની માત્ર બે જ ગાડીઓ છે અને સ્ટાફ પણ કોન્ટ્રાકટથી ભરેલો છે.
અત્યારે પણ સ્ટ્રીટ લાઇટની કામગીરીમાં આ કર્મચારીઓ પહોંચી શકતા નથી. તો ચોમાસા પહેલા બન્ને ખાનગી એજન્સીઓ તથા કોર્પોરેશનનો સ્ટાફની એક મીટીંગ કરી ચોમાસાનાં ચાર મહીનાનું આયોજન કરવાની જરૂર છે. તેમજ ફરિયાદનો 24 કલાકમાં નીકાલ થાય તેવી કામગીરી કરવાની જરૂર છે.
જૂનાગઢ શહેરના તમામ મુખ્ય રસ્તાઓની ડીવાઇડરની લાઇટો ચોમાસામાં બંધ જ રહે છે.
- Advertisement -
હાલ ગુર્ભગ ગટરના કારણે મેઇન રોડ ખોદી નાખ્યો છે,જેથી રાત્રે વરસાદ પણ ચાલુ હોય અને લાઇટો પણ બંધ હોય લોકો ખાડામાં ગરકાવ થઇ જવાની સંભાવનાં છે.
ચોમાસામાં લેન્ડ લાઇન ફોન અવાર નવાર બંધ રહે છે. ચોમાસા પહેલા યોગ્ય કામગીરી કરવાની જરૂર છે.