By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    4 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    5 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    5 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    5 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તિરુવનંતપુરમ: અનંતનું પવિત્ર નગર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > તિરુવનંતપુરમ: અનંતનું પવિત્ર નગર
Bhavy Raval

તિરુવનંતપુરમ: અનંતનું પવિત્ર નગર

Khaskhabar Editor
Last updated: 2025/12/13 at 3:56 PM
Khaskhabar Editor 7 months ago
Share
7 Min Read
SHARE

ભગવાન વિષ્ણુને સમર્પિત દુનિયાનું સૌથી ધનાઢ્ય શ્રી પદ્મનાભ સ્વામી મંદિર તિરુવનંતપુરમમાં આવેલું છે

ભારતનાં કેટલાક શ્રેષ્ઠત્તમ મંદિરો કેરળમાં સ્થિત છે. અહીંના મંદિરો બેજોડ છે, બેનમૂન છે, અદભુત છે, ઐતિહાસિક છે. કેરળના કેટલાય મંદિરો અઢી-ત્રણ હજાર વર્ષ જૂનાં છે. એવાં અનેક મંદિરો છે જેનો ઉલ્લેખ એકાધિક પુરાણોમાં તથા શ્ર્લોકો અને મંત્રોમાં મળે છે. ઈતિહાસની વાત કરીએ તો ફક્ત મંદિર જ નહીં ભારતનું સૌપ્રથમ ચર્ચ કેરળમાં બન્યું, પ્રથમ યુરોપિયન ચર્ચ પણ કેરળમાં નિર્માણ પામ્યું, ભારતની પ્રથમ મસ્જિદ અહીં બની અને દેશનું પ્રથમ સિનેગોગ (યહૂદીઓનું મંદિર) પણ અહીંયા જ બન્યું! આટલું ધાર્મિક વૈવિધ્ય ભારતના અન્ય કોઈ જ રાજ્યમાં જોવા ન મળે. કેરળ ‘ઈશ્વરની પોતાની ભૂમિ’ કહેવાઈ છે, સ્વાભાવિક છે કે, ઈશ્વરના પોતાના દેશમાં ઈશ્વરના મંદિરો તો અલૌકિક જ હોય.
હવે આ મંદિર, મસ્જિદ, ચર્ચની વાત કરી એટલે એવું ન સમજવું કે કેરળના લોકો અંધશ્રદ્ધાળુ છે અથવા વધુ પડતા ભક્તિવાન હોય દિવસ-રાત પોતપોતાના ઈશ્વરમાં જ રચ્યાપચ્યા રહે છે. હકીકતમાં કેરળ અનેક બાબતે આગળ પડતું છે. 1933માં ત્રિવેન્દ્રમ દેશનું પ્રથમ એવું નગર બન્યું હતું જ્યાં ઘેર-ઘેર વીજળી પહોંચી હોય. કોચીન ઍરપોર્ટ માત્ર દેશનું નહીં, સમગ્ર દુનિયાનું પ્રથમ ‘સોલાર ઍરપોર્ટ’ છે. જરૂરિયાતની તમામ વીજળી એ સૂર્યઊર્જા થકી મેળવે છે. હિન્દુસ્તાનની સૌપ્રથમ વોટર મેટ્રો કોચીનમાં છે. તમે કેરળ જશો એટલે જાણવા મળશે કે અહીં પાંચ-પચાસ રૂપિયા જેવી મામૂલી રકમની લેતીદેતી પણ રોકડમાં થતી નથી. દસ રૂપિયાની ચા-કોફી પીવી હોય તો તેના પૈસા પણ ઓનલાઈન જ ચૂકવવા પડે. નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા સૌથી વધુ લોકો કેરળમાં છે. દેશનું સૌથી મોટું સરોવરથી લઈ દક્ષિણનું સૌથી ઊંચું શિખર, સૌથી શ્રેષ્ઠ રાષ્ટ્રીય ઉદ્યાન, ચા-કોફી, મસાલાની ખેતીથી લઈ ખાનપાન તેમજ શિક્ષણ, સ્વાસ્થ્ય, સંસ્કૃતિ, સૌદર્ય અને સ્વચ્છતા જેવી અઢળક બાબતોમાં કેરળ એક કેસ સ્ટડી છે. કેરળના તિરુવનંતપુરમમાં આવેલું શ્રી પદ્મનાભ સ્વામી મંદિર જ જોઈ જાણી લો.

- Advertisement -

તિરુવનંતપુરમ નજીક આવેલા કોવલમ અને પુવારમાં બીચથી લઈ બેકવોટરની મજા માણી શકાય છે

કોવલમના અઝીમાલા બીચ પર આવેલું અઝીમાલા શિવ મંદિર અદભુત છે. અરબી સમુદ્ર કિનારે સ્થિત ભગવાન શિવની વિશાળ પ્રતિમા ધરાવતો આ બીચ શાંતિથી આરામ કરવા માટે સરસ મજાનો છે

‘તિરુવનંતપુરમ’નો અર્થ ‘અનંતનું પવિત્ર નગર’ થાય છે. એવું માનવામાં આવે છે કે, તિરુવનંતપુરમ નામ ભગવાન વિષ્ણુના ’અનંત’ નામના નાગ પરથી રાખવામાં આવ્યું છે. કેરળના તિરુવનંતપુરમમાં ભગવાન વિષ્ણુને સમર્પિત શ્રી પદ્મનાભ સ્વામી મંદિર છે, જે તેના ખજાના – સંપત્તિને લઈ આખી દુનિયામાં સૌથી વધુ ધનવાન મંદિર તરીકે જાણીતું છે. અહીં ભગવાન વિષ્ણુ શેષનાગ પર શયન મુદ્રામાં વિરાજીત છે. શ્રી વિષ્ણુની મૂર્તિ ‘અનંતશયન’ નામની યોગમુદ્રામાં છે. એવું કહેવાઈ છે કે, આ મંદિરની સ્થાપના 5000 વર્ષ પહેલાં કળિયુગના પ્રથમ દિવસે થઈ હતી. ત્યારબાદ 1753માં ત્રાવનકોરના રાજા માર્તંડ વર્માએ તેનું નવનિર્માણ કરાવ્યું હતું. અહીં ભગવાન વિષ્ણુનો શ્રૃંગાર શુદ્ધ સોનાના આભૂષણોથી કરવામાં આવે છે. મંદિરમાં મુખ્ય કક્ષ જ્યાં વિષ્ણુ ભગવાનની સૂતેલી મુદ્રામાં મૂર્તિ છે, ત્યાં અનેક દીવાઓ પ્રગટેલાં રહે છે, આ દીવાઓના અજવાળામાં જ ભગવાનના દર્શન થાય છે. મૂર્તિના દર્શન માટે ત્રણ નાનાં-નાનાં દરવાજા છે. પ્રથમ દરવાજામાંથી જોઈએ તો ભગવાન વિષ્ણુનો હાથ અને શિવલિંગના દર્શન થાય, બીજા દરવાજામાંથી નાભિ, કમળ, બ્રહ્માનાં અને ત્રીજા દ્વારમાંથી ભૂદેવી અને ઋષિ માર્કંડેયની મૂર્તિના દર્શન થાય. મંદિરનું સુવર્ણ જડિત ગોપુરમ સાત માળનું, 35 મીટર ઊંચું છે. અનેક એકરમાં ફેલાયેલા આ મંદિરમાં સૂક્ષ્મ કારીગરી તેમજ વાસ્તુકલા જોવા મળે છે. આ મંદિરમાં સાત ભોંયરા બન્યા છે. હિન્દુ ધર્મના અનેક ગ્રંથોમાં, પુરાણોમાં શ્રી પદ્મનાભ સ્વામી મંદિરનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. શ્રી પદ્મનાભ સ્વામી ત્રાવણકોરના રાજ્યપરિવારના આરાધ્યદેવ છે. આ મંદિરથી સોએક મીટર દૂર આવેલો ત્રાવણકોર (ત્રિવેન્દ્રમનું જૂનું નામ) રજવાડાંના પેલેસમાં બનેલું મ્યુઝિયમ જોઈએ ત્યાં જ આંખો પહોળી થઈ જાય. શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં પુરુષને માત્ર ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે અને મહિલાઓને સાડી અથવા ડ્રેસ પહેરવા અનિવાર્ય છે.
તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભ સ્વામી મંદિર અને તેની પાસે આવેલા મ્યુઝિયમ બાદ પ્રાણી સંગ્રહાલય સાથે શહેરની મુખ્ય બજારની મુલાકાત લેવા જેવી. આ સિવાય તિરુવનંતપુરમ અને આસપાસમાં કોવલમ બીચ, પુવાર ટાપુ અને સ્થાનિક મ્યુઝિયમ તથા ચર્ચ પણ જોવા જવું. તિરુવનંતપુરમ અને આસપાસના વિસ્તારોમાંથી જ તમને ઓરીજીનલ કેરળનો પ્રખ્યાત હલવો, વિધવિધ અથાણા, ડ્રાયફ્રુટ, કોકોનેટ ઓઈલમાંથી બનેલી બેસ્ટ બનાના વેફર્સ મળી રહેશે. આ જગ્યાઓ પર ફ્રેશ બેકરી આઈટમ પણ ટેસ્ટ કરવાનું ચૂકવું નહીં.
કોવલમ તિરુવનંતપુરમથી લગભગ પંદરેક કિમી દૂર આવેલું મસ્તમજાનું સ્થળ છે, તેથી તમે તિરુવનંતપુરમના સ્થળોની મુલાકાત લેવા માટે કોવલમમાં રોકાઈ શકો છો અથવા તિરુવનંતપુરમથી કોવલમ સુધી એક દિવસની સફર કરી શકો છો. કોવલમના બીચ બ્યુટીફૂલ છે. આ બીચ પર આવેલા લાઇટહાઉસ (દિવાદાંડી) પર ચઢી અફાટ સમુદ્ધ નિહાળી શકો છો. આ ઉપરાંત કોવલમના અઝીમાલા બીચ પર આવેલું અઝીમાલા શિવ મંદિર અદભુત છે. અરબી સમુદ્ર કિનારે સ્થિત ભગવાન શિવની વિશાળ પ્રતિમા ધરાવતો આ બીચ શાંતિથી આરામ કરવા માટે સરસ મજાનો છે.
કોવલમથી થોડા કિલોમીટર દૂર આવેલા પુવાર ટાપુ આસપાસ નેપ્યાર નદી અને અરબ સાગર મળે છે, અહીં બેકવોટરમાં બોટ સવારી કરી શકાય છે. આ એક અનોખું સ્થળ છે જ્યાં ફક્ત હોડી દ્વારા જ પહોંચી શકાય છે. આ જગ્યાને “ફૂલોની નદી” તરીકે પણ ઓળખવામાં આવે છે. એલ્લેપ્પીમાં બેકવોટર એડવેન્ચર એક્ટિવિટી બાકી રહી ગઈ હોય અથવા એલ્લેપ્પી ગયા વિના બોટમાં બેસી મેંગ્રોવના જંગલોમાં વિહરતા વિહરતા બેકવોટર એડવેન્ચર એક્ટિવિટીનો એક્સપિરિયન્સ પુવારમાં પણ લઈ શકાય છે. તિરુવનંતપુરમ આવ્યા હોય અને સમય-સંજોગ આપણા પક્ષમાં હોય તો અહીંથી ભારતમાં દક્ષિણ છેડે આવેલું ક્ધયાકુમારી આશરે સોએક કિલોમીટર જ દૂર છે ત્યાં પણ જઈ શકાય છે અને હા, કેરળમાં જ ઘૂમવું હોય તો વાયનાડ પણ સારું સ્થળ છે. કોચીનમાં કેટલીક જગ્યાઓ પર અચૂક જવા જેવું છે. કેરળની યાત્રા લંબાવી તમિલનાડુના ઉટી, કોડાઈકનાલ, મદુરાઈ, રામેશ્વરમ વગેરે સ્થળોની મુલાકાત લઈ શકો છો. કેરળ યાત્રા દરમિયાન તિરુવનંતપુરમ પાસે આવેલા જટાયું અર્થ સેન્ટરથી લઈ એલ્લેપ્પી, મુન્નાર, થેક્કડી થઈ અંતમાં તિરુવનંતપુરમ અને તેની પાસે જ આવેલા કોવલમ અને પુવાર વિશે જાણ્યું-સમજ્યું. હવે આ બધું જ પ્રત્યક્ષ અનુભવવું હોય તો નવેમ્બરથી લઈ ફેબ્રુઆરીનો સમયગાળો કેરળની મુલાકાત માટે મસ્ત ગણાય છે. આપ પણ કેરળની એક યાદગાર યાત્રા કરી કુદરતના કરિશ્માની અનુભૂતિ લઈ શકો.

- Advertisement -

You Might Also Like

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

TAGGED: Thiruvananthapuram
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
Next Article રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?