નાટક, મ્યુઝિકલ પાર્ટી, પ્રવાસ સહિતના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન
બહેનો માટે સમર ટ્રેનિંગ ક્લાસ યોજાશે
સાંસ્કૃતિક નગરી રાજકોટમાં ફરીથી વિવિધ સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃતિઓ શરુ થઇ ગઈ છે.કોરોનાને કારણે બે વર્ષ સુધી કાર્યક્રમો યોજાયા ન હતા પરંતુ હવે કોરોનાની વિદાય થઇ જતા સરગમ પરિવાર માટે ફરીથી કાર્યક્રમોની વણઝાર શરુ થઇ રહી છે. સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આજે પત્રકારોને કહ્યું હતું કે, સરગમ લેડીઝ ક્લબ, જેન્ટ્સ ક્લબ, કપલ ક્લબ અને સીનીયર સીટીઝન ક્લબના સભ્યો માટે નાટ્ય શોથી કાર્યક્રમોનો શરૂઆત થઇ રહી છે. ચિલ્ડ્રન ક્લબના સભ્યો માટે વોટર પાર્ક, ફિલ્મ શો અને ફનવર્લ્ડની પીકનીક જેવા કાર્યક્રમો પણ ઘડી કાઢવામાં આવ્યા છે.આ પૂર્વે સરગમ જેન્ટ્સ ક્લબની વાર્ષિક સાધારણ સભા પણ મળવાની છે. આ તમામ કાર્યક્રમો આ વર્ષના નવા સભ્યો માટે રહેશે. ગુણવંતભાઈએ જણાવ્યું હતું કે, તા. 10મી એપ્રિલે સાંજે 7 વાગ્યે હેમુ ગઢવી હોલમાં સરગમ જેન્ટ્સ ક્લબની વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી છે. આ સભામાં ક્લબના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવશે.
સરગમ લેડીઝ ક્લબ, જેન્ટ્સ ક્લબ, કપલ ક્લબ અને સીનીયર સીટીઝન ક્લબના સભ્યો માટે મુંબઈના નાટક પપ્પા મારા પુષ્પરાજ નો શો રાખવામાં આવ્યો છે. આ નાટકમાં જાણીતા ટીવી અને ફિલ્મ કલાકાર મુની ઝા અભિનય આપી રહ્યા છે. આ સિવાય આરઝુ લીંબાસીયા, મોહસીન શેખ, હેતલ ગાલા, પ્રશાંત પડવલ, જોવેશ ભટ્ટ, અભિષેક સોલંકી, દિલીપ સોમૈયા, જીતું મહેતા વગેરે પણ અભિનય આપી રહ્યા છે. આ નાટય શો તા. 26મી એપ્રિલથી 29મી એપ્રિલ સુધી હેમુ ગઢવી હોલમાં યોજાશે. ;તમામ સભ્યોને આ અંગેની વિસ્તુત માહિતી 22 એપ્રિલ પહેલા સભ્યોને આંગડીયા મારફત મોકલી આપવામાં આવશે.
- Advertisement -
સરગમ ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે
ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, ઇવનિંગ પોસ્ટના સભ્યો માટે તા. 13મી એપ્રિલને બુધવારે સાંજે 6 થી 9 દરમિયાન સીનીયર સીટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટ ખાતે રહેશે સ્વ. રાજેન્દ્રસિંહ જાડેજાની પુણ્યતિથી નિમિતે ભક્તિ સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમમાં નવા સભ્યોને તેમના આઈ કાર્ડ ઉપર પ્રવેશ મળશે. આ સંગીત સંધ્યામાં બિમલ શાહ પ્રસ્તુત નીલેશ વસાવડા, અનુબેન ઠાકર, ભારતીબેન નિમાવત વગેરે ભક્તિ સંગીતમાં તરબોળ કરશે. આ ઉપરાંત તા. 15મી એપ્રિલે સાંજે 6 થી 9 હેમુગઢવી નાટ્યગૃહમાં કિરીટ નિમ્બાર્કના રોયલ મ્યુઝીક ગ્રુપ પ્રસ્તુત મ્યુઝીકલ પાર્ટી યોજવામાં આવી છે. આ કાર્યક્રમમાં શ્રીકાંત નાયર, પ્રીતિ ભટ્ટ, કાજલ કથરેચા, ગાર્ગી નિમ્બાર્ક વગેરે ગીતો રજુ કરશે.
ફક્ત બહેનો માટે સમર ટ્રેનીંગ ક્લાસ
- Advertisement -
આ વખતે રાજકોટની બહેનો માટે તા. 6ઠ્ઠી મે થી 15મી મે સુધી કોટક સ્કુલ ( મોટી ટાંકી ચોક ) ખાતે સમર ટ્રેનીંગ ક્લાસ રાખવામાં આવ્યા છે. આ ક્લાસમાં નિષ્ણાત લેડીઝ ટ્યુટર જુદા જુદા 30 વિષયોની તાલીમ આપશે. આ સમર ક્લાસ 10 દિવસ સુધી રોજ સાંજે 5 થી 7 દરમિયાન યોજાશે અને ટોકન ફી લેવામાં આવશે. વધુ માહિતી માટે સરગમ ક્લબની જાગનાથ મંદિર ચોકની ઓફીસ તેમ જ ક્લબની તમામ બ્રાંચમાંથી મળશે. ફોર્મ પણ ત્યાંથી જ મળશે. આ ક્લાસમાં લેડીઝ ક્લબના સભ્ય ન હોય તેવા બહેનો પણ જોડાઈ શકે છે.
બહેનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ
સરગમ લેડીઝ ક્લબના બહેનો માટે આગામી 22 એપ્રિલ અને 23 એપ્રિલ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ તેમ જ પોઈચા ( સ્વામીનારાયણ ધામ )ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સ્ટેચ્યુનાં વ્યુઈંગ ગેલેરીમાંથી દર્શન ઉપરાંત સરદાર સરોવર ડેમ, જંગલ સફારી, બટરફ્લાય ગાર્ડન, લેસર શો, આરોગ્ય વન વગેરેની મુલાકાત લેવામાં આવશે. જે બહેનો આ પ્રવાસમાં જોડાવા માગતા હોય તેઓએ તા. 15 એપ્રિલ સુધીમાં વહેલા તે પહેલાના ધોરણે જાગનાથ મંદિર ચોકમાં આવેલી સરગમ ક્લબની ઓફિસે ફી ભરવાની રહેશે. આ પ્રવાસમાં એક વ્યક્તિની ફી ત્રણ હજાર (3000) રૂપિયા રહેશે. આ ફીમાં તમામ ખર્ચ સામેલ છે. જે સભ્ય બહેનોએ આવવું હોઈ તેઓએ સરગમ ક્લબ જાગનાથ મંદિર ચોકમાં રૂબરૂ સંપર્ક કરવો.
તા. 28/4/22 ગુરુવારના રોજ સાંજના 05:00 થી 07:00 ફક્ય સરગમ લેડીઝ ક્લબની બહેનો માટે વિવિધ પ્રકારની ગેઈમ સાથે કીટી પાર્ટીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ પાર્ટીમાં યોજાનારી વિવિધ સ્પર્ધામાં વિજેતા બહેનોને ઇનામ પણ આપવામાં આવશે. બહેનોને નાસ્તો અને કોલ્ડડ્રીંક પણ અપાશે. આ કીટી પાર્ટી માટે બહેનોએ એક વ્યક્તિ દીઠ 150 રૂપિયા ફી આપવાની રહેશે. આ પાર્ટી માટેના પ્રવેશ કાર્ડ તા. 26/4/22 સુધીમાં સરગમ ક્લબની જાગનાથ મંદિર ચોકની ઓફિસેથી મેળવી લેવા.
સરગમ કલબના બાળકો કૃષ્ણ વોટર પાર્ક, પિકનિક – ફિલ્મ શોની મજા માણશે
ચિલ્ડ્રન ક્લબ માટે પિક્ચર, કૃષ્ણ વોટર પાર્ક, પીકનીક – ફિલ્મ શો
સરગમ ચિલ્ડ્રન ક્લબના તમામ સભ્યો માટે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે એટલે કે તા. 1લી મે ના દિવસે સવારે 9 થી 11-30 દરમિયાન હેમુ ગઢવી હોલમાં ફિલ્મ શો યોજાશે. આ શોમાં સભ્ય હોય તેને વિનામૂલ્યે પ્રવેશ મળશે જયારે ગેસ્ટ માટે અલગ ચાર્જ આપવો પડશે.
તા. 6ઠ્ઠી મેએ ચિલ્ડ્રન ક્લબના તમામ સભ્યો માટે ક્રિશ્ના વોટરપાર્કની પીકનીક રાખવામાં આવી છે. સવારે 7-45 વાગ્યે સ્પેશ્યલ બસ દ્વારા હેમુગઢવીથી ક્રિષ્ના વોટર પાર્ક જવાનું રહેશે અને સવારે 11 વાગ્યે પરત આવવાનું રહેશે. આ પીકનીક માટે 100 રૂપિયા ચાર્જ ભરવાનો રહેશે જેમાં બસ ભાડું, વોટર પાર્ક પ્રવેશ ફી અને નાસ્તો સામેલ છે. આ માટેના પ્રવેશ કાર્ડ સરગમ ક્લબની ઓફિસેથી તા. 4થી મેં સુધીમાં ચાર્જ ભરીને મેળવી લેવાના રહેશે.
આ જ રીતે તા. 9મી મેનાં રોજ ચિલ્ડ્રન ક્લબના તમામ સભ્યો અંતે ફનવર્લ્ડની પીકનીક રાખવામાં આવી છે. આ પીકનીકનો સમય સવારે 8 થી 10-30 રહેશે અને સભ્યોને વિનામૂલ્યે પ્રવેશ મળશે. ગેસ્ટનો ચાર્જ ભરવો પડશે.
સરગમ પરિવારના તમામ સભ્યો માટે પ્રવાસ
સરગમ પરિવારના તમામ સભ્યો માટે તા. 17/05/22 થી 28/05/22 સુધી 12 દિવસ માટે દિલ્હી, શ્રીનગર, જમ્મુ, કટરા, ગુલમર્ગ, પહેલગાવ, પટ્ટણીટોપ, વૈષ્ણોદેવીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસમાં જોડાનાર માટે વ્યક્તિદીઠ 24 હજાર રૂપિયા ફી રાખવામાં આવી છે. આ પ્રવાસમાં જોડાનાર વ્યક્તિએ તા. 20/04/22 સુધીમાં સરગમ ક્લબની જાગનાથ મંદિર ચોકમાં આવેલી ઓફિસે નામ લખાવી દેવાનું રહેશે. આ પ્રવાસ ફીમાં રાજકોટથી રાજકોટ ટ્રેઈન ભાડું, સ્લીપર કોચ, સાઈટ સીન માટે વાહન ચાર્જ, નાસ્તો, બે ટાઈમ ભોજન વગેરે સામેલ છે. વધુ વિગત માટે સરગમ ક્લબની ઓફીસમાં રૂબરૂ સંપર્ક કરવો.
સરગમ ને આ પ્રવૃતિઓ માટે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું સતત માર્ગદર્શન મળતું રહે છે. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશ ભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડીયા, અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) હરેશભાઈ લાખાણી, મીતેનભાઈ મહેતા, મનસુખભાઈ મકવાણા, નાથાભાઈ કાલરીયા, લલીતભાઈ રામજીયાણી, યોગેશભાઈ પુજારા, કિરીટભાઈ આદ્રોજા, એમ.જે. સોલંકી, ખોડીદાસભાઈ પટેલ, જયેશભાઈ વસા, રાકેશભાઈ પોપટ, શિવલાલભાઈ રામાણી,, વિનોદભાઈ પંજાબી, ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, જયસુખભાઈ ડાભી, રમેશભાઈ અકબરી, મનસુખભાઈ ધંધુકિયા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન માવાણી, ડો.મધુરીકાબેન જાડેજા, જશુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, ભાવનાબેન ધનેશા, સુધાબેન ભાયા, છાયાબેન દવે વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.



