ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર વ્યવસ્થા જાળવવા માટે મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત જિલ્લામાં તમામ પ્રકારના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ જાહેરમાં ફટાકડા ફોડવા અને આતશબાજી કરવા પર પણ રોક લગાવવામાં આવી છે.
- Advertisement -
આ જાહેરનામું 23 મે, 2025 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-233 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લાના હેડ કોન્સ્ટેબલથી નાયબ પોલીસ અધિક્ષક સુધીના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે. આ નિર્ણય દેશની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી લોકોમાં ખોટો ભય ન ફેલાય અને જાહેર વ્યવસ્થા જળવાઈ રહે.