By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    12 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    15 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    16 hours ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    16 hours ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    17 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    15 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    15 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    15 hours ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    16 hours ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    4 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….
Author

સમય કી પુકાર હૈ… યુદ્ધ હિ સાર હૈ….

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 5:05 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
6 Min Read
SHARE

ધ્રુવા ઉનડકટ

10 મે, 1857 બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી : આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા

- Advertisement -

જે ઇતિહાસને વાગોળતા રહે છે, તે શ્રેષ્ઠ ભવિષ્ય પામે છે. જૂની-પૂરાણી પારંપારિક કથાઓના સ્મરણને કારણે આપણે ઘણીવાર અમુક પ્રકારની ભૂલો કરતાં અટકી જઈએ છીએ. અન્યના અનુભવો પરથી આપણને જ્ઞાન મળી રહે છે. શરત એટલી રહે છે કે આપણા દેશમાં, સમાજમાં અગાઉ બનેલ ઘટનાઓ જાણવી ને સમજવી પડે. હવે આજના જમાનામાં તો કોઈકને પાંચ વર્ષ પહેલાનો કંઈક સવાલ પૂછીએ તો જવાબ આવે, ’ભાઈ, કાલે શું જમ્યો એ પણ યાદ નહીં, તું આવા સવાલો ક્યાં કરે છે’? પણ પારકી પંચાતો કરો એટલે બધું આવડે ને બધું ફાવે. આવા લોકો માટે આજનો દિવસ શું કામ ખાસ છે તે જાણવું જોઈએ કેમકે તે જાણ્યા બાદ હાલ દેશને જે હાલાકીઓનો સામનો કરવો પડે છે તેના વિશે પણ ખ્યાલ આવશે. આ સિવાયના લોકો કે જેઓ ઇતિહાસમાં રુચિ ધરાવે છે તેમને પણ રસપ્રદ લાગે તેવી વાત છે! આજથી ઠીક 168 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશનાં મેરઠ શહેરમાં સ્વતંત્રતાના આગની ચિંગારી ઉઠી હતી. તે સમયે અંગ્રેજો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીઓની ગુલામીની જૂતી નીચે ભારતનો 2/3 ભાગ કચડાઈ જતો હતો. લોકો રોષે તો ભરાયા હતા પણ ઝેર માની ગળે પી જતા. અંગ્રેજોના આગમનથી આપણી ખેતી, આર્થિક વ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા બધું જ ખોરવાઈ ગયું હતું. તેના મનફાવે એવા કાયદાઓ આપણે જોયા જ છે. તેની લેપ્સની નીતિ પ્રમાણે જો કોઈ રાજા પુત્ર વારસદાર છોડ્યા વગર મૃત્યુ પામે તો તે શાસકની રાજ્યભૂમિ કંપનીને પધરાવવી પડતી. બ્રિટિશ અને ભારતીય સૈનિકો વચ્ચે પણ ભેદભાવો રાખવામાં આવતા ને આવી તો અનેક અન્યાયી કામગીરીઓ ભારત અને ભારતવાસી વિરુદ્ધ ચાલતી જ રહેતી.

આ પરિસ્થિતિમાં 10 મે 1857ના દિવસે સાંજે પાંચ વાગ્યે મેરઠ બજારના ગિરિજાઘરના ઘંટ સાથે ગોળીબારીનાં પણ પડઘા ગૂંજ્યા. ભારતીય સૈનિકોએ બળવો શરૂ કર્યો. અંગ્રેજ સેના જ નહીં પરંતુ જે વિદેશી સામે આવે તેને ઠાર કરવામાં આવતા. એવું તે થયું શું કે આપણા ભારતીય સેનાની અને નાગરિકો એકજૂટ થઇ, પોતાનો જીવ હથેળીમાં લઈ અંગ્રેજો સામે લડયા? હજુ થોડા સમય પાછળ જઈએ એટલે 26 ફેબ્રુઆરી, 1857ના રોજ, અંગ્રેજોએ બંગાળ નેટિવ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટમાં એક નવા પ્રકારનો કારતૂસ દાખલ કર્યો હતો જે ગાય અને ડુક્કરની ચરબીવાળા કાગળમાં લપેટાયેલો હતો. આ કારતૂસને મોં થી ફાડીને ખોલવું પડે તેમ હતું. પરંતુ આનાથી કંપનીના ભારતીય મુસ્લિમ અને હિન્દુ સૈનિકો બંનેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. ભારતીય સૈનિકોએ આવા કારતુસના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો. તેના પરિણામે 85 સૈનિકોને જેલમાં નાખવામાં આવ્યા. મંગલ પાંડેએ પણ કોલકત્તાના બૈરકપુર પરેડ ગ્રાઉન્ડ પર આ બાબતે વિદ્રોહ કર્યો હતો પરંતુ તેમની આ પ્રતિક્રિયા વિરુદ્ધ 8 એપ્રિલ 1857ના રોજ સજારૂપે ફાંસી આપવામાં આવી હતી. અંગ્રેજોની આવી દાદાગીરી વિરુદ્ધ કાવતરું ઘડી તેમનો સફાયો કરવાનું દરેક ભારતીયને લાગ્યું. જેના પરિણામે 10 મે,1857ના દિવસના ઇતિહાસમાં સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સર્જાયો. બંદી બનેલા 85 સૈનિકોને ધનસિંહ ગુર્જરના નેતૃત્વમાં મેરઠની જેલ પર હુમલો કરી છોડવામાં આવ્યા.

મેરઠ બાદ તો સેનાએ દિલ્હી, લખનઉ, આગરા, કાનપુર, કોલકત્તા પર ચડાઈ કરી. આ બળવો આગની જેમ ફેલાતો રહ્યો ને અંગ્રેજ સેના તેની ઝપેટમાં આવતી ગઈ. આ બ્રિટિશ સરકારની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટેની પ્રથમ ચળવળ હતી. જો કે આ સંગ્રામમાં માત્ર ભારતીય હિન્દૂ સિપાહીઓ જ નહીં પરંતુ મુસ્લિમ લડવૈયાઓ, સામાન્ય નાગરિકજનો, વેપારીઓ, મહિલાઓ પણ જોડાયા હતા. 1857નો સ્વાતંત્ર સંગ્રામ ભારતીય એકતા અને વીરતાનું પ્રતિક છે. હવે આપણે 10 મે, 2025 એટલે કે આજના સમયને જોઈએ તો ભારત દેશની ત્યારની અને આજની પરિસ્થિતિમાં સામ્યતાઓ જોવા મળે છે. એવું પ્રતીત થાય છે કે ભૂતકાળની ઘટનાઓ ફરી ભારતની ભૂમિ પર જન્મી છે અને આપણે તે કથામાં જીવીએ છીએ. ફર્ક તો બસ એટલો જ છે કે તે સમયે રાજાશાહી હતી, અત્યારે લોકશાહી. એ સમયે હિન્દૂ-મુસ્લિમ ધર્મ સાથે મળીને લડ્યા હતા અને આજે સામસામે લડે છે. તે વખતની જેમ આજના સમયે પણ હથિયારો ઉપાડવા જરૂરી છે જ, પછી ભલેને સામાજિક, ધાર્મિક કે ભૌગોલિક સંબંધો બદલાયા હોય! આપણા કૃષ્ણકાળના મૂલ્યો અને સિદ્ધાંતો તો હજુ જીવંત છે જ. અંગ્રેજોના સમયમાં હતા અને ભવિષ્યમાં પણ રહેવાના જ છે માટે જ તે સનાતન સત્ય છે. કૃષ્ણએ પણ શાંતિ મંત્રણાઓ કર્યા બાદ અને એ મંત્રણાઓની નિષ્ફ્ળતા બાદ જ યુદ્ધને છેલ્લા ઉપાય તરીકે પસંદ કર્યું. સીધા હથિયારો તેમણે પણ નથી ઉઠાવ્યા. પરંતુ જયારે દુશ્મન એવી હિંમત દાખવે કે આપણા ધર્મને આંચ આવે ત્યારે તેને યુદ્ધનો શંખનાદ સાંભળવો જ પડે. અન્ય ધર્મના નામ પર ચાલતો આતંકવાદ નામનો કીડો જો આપણા દેશ અને ધર્મને ખાઈ જતો હોય તો તેનો નાશ કરવો જ પડે. આજે પણ ભારત માતા પાસે અનેક મંગલ પાંડે છે જે દેશ અને દેશવાસીઓની સુરક્ષા ખાતર તેમનું જીવન હોમી દેવા તૈયાર છે. અત્યારે તો ભારતીય સરકાર, સેના અને જનતા આ નાપાક હરકતો કરતા નાપાક દેશ સામે લડી લેવાના ફૂલ ફોર્મમાં છે. આગે આગે ગોરખ (મોદી સાહેબ) જાને!!

- Advertisement -

You Might Also Like

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલું ભસ્માસુર રસાયણ

ગ્રીનકાર્ડ કોના માટે છે?

TAGGED: war
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરેન્દ્રનગરમાં ડ્રોન ઉડાડવા, ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ
Next Article થાનગઢના તરણેતર ગામે ગેરકાયદે કોલસાની ખાણો હજુય યથાવત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સનાતનમાં સ્ત્રી સશક્તિરણનું અજોડ ઉદાહરણ: મહારાણી અહિલ્યાબાઈ હોલકર

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Kinnar Acharya

મહાન મનુષ્યોને એ અભિશાપ હોય છે કે, તેમની ભૂલોની ભરપાઈ હંમેશાં લાખો-કરોડો લોકોએ કરવી પડતી હોય છે…

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Hemadri Acharya Dave

વો ભૂલી દાસ્તાન..‘મામાનું ઘર’: ઉનાળું વેકેશનની મોજ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?