By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ
    14 minutes ago
    ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
    1 hour ago
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    24 hours ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    4 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ટ્રા-ડે ટ્રેડમાં પ્રથમ વખત યુએસ ડૉલર સામે રૂપિયો 91-માર્કનો ભંગ કરે છે
    6 minutes ago
    યોજનાઓના નામ બદલવા અંગે તથા MGNREGA મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને કર્યા આકરા પ્રહારો
    23 minutes ago
    ગુજરાતીઓને કાઠિયાવાડી, મેહોણી, કચ્છી, આદીવાસી જેવી સ્થાનિક ભાષામાં 10 સેક્ધડમાં જવાબ મળશે!
    22 hours ago
    લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસનો અંતિમ દિવસ: દિલ્હીમાં સન્માન
    22 hours ago
    100થી વધુ નકલી કંપની બનાવી 1000 કરોડની સાયબર છેતરપિંડી
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
    55 minutes ago
    ભારતે ત્રીજી ઝ20ઈં 7 વિકેટથી જીતી: ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી
    22 hours ago
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    3 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    3 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    4 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સ્વામિનારાયણે રામ અને કૃષ્ણને પૃથ્વી પર ધર્મ સ્થાપવા મોકલ્યા હતા, પણ તે નિષ્ફળ ગયા એટલે સ્વામિનારાયણને પૃથ્વી પર આવવું પડ્યું’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘સ્વામિનારાયણે રામ અને કૃષ્ણને પૃથ્વી પર ધર્મ સ્થાપવા મોકલ્યા હતા, પણ તે નિષ્ફળ ગયા એટલે સ્વામિનારાયણને પૃથ્વી પર આવવું પડ્યું’
TALK OF THE TOWNરાજકોટ

‘સ્વામિનારાયણે રામ અને કૃષ્ણને પૃથ્વી પર ધર્મ સ્થાપવા મોકલ્યા હતા, પણ તે નિષ્ફળ ગયા એટલે સ્વામિનારાયણને પૃથ્વી પર આવવું પડ્યું’

Khaskhabar Editor
Last updated: 2025/03/24 at 5:18 PM
Khaskhabar Editor 9 months ago
Share
10 Min Read
SHARE

ડૉ. કૌશિક ચૌધરી

આ વિકૃત વિચાર સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળમાં છુપાયેલો છે

- Advertisement -

મણિનગર સંસ્થાના પુસ્તક ‘શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકની વાર્તા 33માં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને ભગવાન ન કહેવાનો વિવાદ ચરમ પર છે. પણ બહુ ઓછા લોકો પુસ્તકના એ પાનાના લખાણનો સાચો અર્થ સમજી શક્યા છે. કારણકે સ્વામિનારાયણ સંપ્રદાયની સનાતન ધર્મ વિરોધી મૂળ વિચારધારા વિશે તેમની ચોપડીઓમાં જે લખાયું છે તે બહુ ઓછા લોકો જાણે છે. તે પાના પર લખ્યું છે કે કોઈ આબાસાહેબના સગાંવાલા તેમને દ્વારિકામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા જવાનું કહે છે, અને આ કારણે આબાસાહેબ ગોપાળાનંદ સામે તેમના સબંધીઓને કુસંગી કહે છે. આબાસાહેબ ગોપાળાનંદને પૂછે છે કે ’શું દ્વારિકામાં ભગવાન મળશે?’ યાદ રહે, અહીં એવું નથી પૂછ્યું કે ’દ્વારિકામાં ભગવાન કૃષ્ણ મળશે? ’ પૂછયું છે કે ’શું દ્વારિકામાં ભગવાન મળશે? ’ અર્થાત્ જે ભગવાન છે તે શું દ્વારિકામાં હશે? સામે ગોપાળાનંદ જવાબ આપે છે કે ’હવે દ્વારિકામાં ભગવાન ક્યાંથી હોય? પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’
અહીં ભગવાન કૃષ્ણ દ્વારિકાના સ્થાને વડતાલમાં છે એવું નથી કહેવાયું. અહીં કૃષ્ણ ભગવાન નથી સ્વામિનારાયણ છે, એ પ્રતિપાદિત કરવાની કોશિશ છે. ભગવાન તરીકે કૃષ્ણના સ્થાને સ્વામિનારાયણને સ્થાપી દ્વારકાના સ્થાને વડતાલનું મહત્વ ઊભું કરાયું છે. એટલે જ તો એજ વાર્તામાં આગળ આબાસાહેબના સબંધીઓ તેમને દ્વારકા લઈ જાય છે, તો તેમની હોડી ડૂબી જાય છે, અને આબાસાહેબ સ્વામિનારાયણના જાપ કરવા લાગે છે ત્યારે એ નવા ભગવાન આવી તેમને બચાવે છે. આ સમયે સ્વામિનારાયણ આબાસાહેબને કહે છે કે તમારા જે સબંધીઓ તમને દ્વારકા બાજુ લઈ જતા હતા તે તમારા પૂર્વ જન્મના શત્રુ છે.
હવે આ આખી ગપગોળા વાળી વાર્તા શું કહેવા માંગે છે એનું મૂળ મળે છે વડતાલ ગાદી સાથે સંકળાયેલ કુંડળધામ અને શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા દ્વારા પ્રકાશિત ‘અક્ષરાનંદ સ્વામીની વાતો’ પુસ્તકમાં. એ પુસ્તકના પાના નંબર 419 અને 420 પર સહજાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનો એક સંવાદ આપેલો છે. તે લખાણ નીચે મુજબ છે:
પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, ‘સ્વામી, આપણે અત્રે આવ્યાનું કારણ તમે જાણો છો? ત્યારે સ્વામી કહે, ના મહારાજ, હું જાણતો નથી.’
મહારાજ કહે, ‘તમો આદિક અક્ષરમુક્ત અક્ષરધામમાં બેઠા હતા અને અમે અક્ષરધામમાં વાત કરી જે, આ બ્રહ્માંડ ઘણાક કાળથી સરજાણું છે, પણ કોઈ જીવ અક્ષરધામમાં આવતા નથી. પછી અમે દત્ત તથા કપિલ આદિક અવતારને મોકલ્યા, તે પણ ત્યાં આવ્યા નહીં ને તેમને ભજીને પણ કોઈ આવ્યું નહીં. પછી ત્રેતાયુગમાં રામચંદ્રજીને મોકલ્યા.

સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદીઓ સાથે જોડાયેલા પુસ્તકોમાં જ આ વાત છે, જ્યાં સ્વામિનારાયણને ભગવાન વિષ્ણુના નારાયણ, હરિ વગેરે નામ આપી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો સહિત તમામ પંચદેવથી અલગ કોઈ જિસસ જેવા ઈશ્ર્વર બનાવી દેવાયા છે

તે વખતે માણસની દસ હજાર વરસની આવરદા હતી, પણ (રામચંદ્ર)પોતે અગિયાર હજાર વરસ સુધી રહ્યા, પણ પોતે એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં. પછી અમે શ્રીકૃષ્ણને મોકલ્યા, તે પણ કલિયુગમાં સો વરસની આયુષ છતાં પોતે સવાસો વરસ રહ્યા, તોપણ એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં.’
ત્યારે તમે બોલ્યા જે, ‘હે મહારાજ ! જે જે ધામમાંથી જે જે અવતાર આ પૃથ્વી ઉપર આવે, તેને ભજીને જીવો તે તે ધામને પામે છે. એ તો જ્યારે તમો પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર પધારો ત્યારે તે જીવ તમને ભજીને અક્ષરધામમાં આવે.’
ત્યારે અમે કહ્યું જે, અમે જયારે પૃથ્વી ઉપર પધારીએ ત્યારે તમારે પણ આવવું પડશે. ત્યારે તમે કહ્યું જે, ’અમારું શું કામ છે ?’ ત્યારે અમે કહ્યું જે, તમારું કામ તો એટલું જે, તમે ધર્મ પાળીને બીજાને ધર્મ પાળતાં શીખવો. ભક્તિ કરીને ભક્તિ કરતાં શીખવો. ત્યારે તમે બોલ્યા જે, ’મહારાજ ! તમે પધારશો ત્યારે અમારે પણ આવ્યા વિના છૂટકો છે ?’ માટે તમારા જેવા અક્ષરમુક્ત લઈને અત્રે આવ્યા છીએ.’
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્વામી, આ છ હેતુ માટે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ.” પછી મહારાજ કહે :
(1) જે-જે અવતારને આપણે મોકલ્યા (રામ, કૃષ્ણ) તેમને અક્ષરધામમાં લઈ જવા છે.
(2) તેને (રામ, કૃષ્ણને) ભજીને જે-જે જ્યાં-જ્યાં ગયા હોય તેમને અક્ષરધામમાં લઈ જવા છે.
(3) ને ભક્તિ-ધર્મને એકાંતિક સુખ આપવું.
(4) આ પૃથ્વી વિષે એકાંતિક ધર્મ પ્રવર્તાવવો.
(5) અને સર્વ જીવ-પ્રાણીમાત્રને વિષે સ્વામિનારાયણની નિષ્ઠા પ્રવર્તાવવી.
(6) ને નવા મુમુક્ષુ ઉત્પન્ન કરવા. 643 (પાનાં નંબર 419-420)
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદીઓ સાથે જોડાયેલા પુસ્તકોમાં જ આ વાત છે જ્યાં સ્વામિનારાયણને ભગવાન વિષ્ણુના નારાયણ, હરિ વગેરે નામ આપી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો સહિત તમામ પંચદેવથી અલગ કોઈ જિસસ જેવા ઇશ્ર્વર બનાવાઈ દેવાયા છે. એ સ્વામિનારાયણ તમામ વૈદિક ઈશ્ર્વરોને નીચે પૃથ્વી પર મોકલે છે, ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો એકાંતિક ધર્મ સ્થાપવા માટે, પણ બધા વૈદિક ઈશ્ર્વરો નિષ્ફળ જાય છે. અને એટલે સ્વામિનારાયણ પોતે આવે છે. અને આ એ સંપ્રદાયની મુખ્ય માન્યતા છે કે કારણકે હવે સ્વામિનારાયણ ભગવાન પોતે આવી ગયા છે, એટલે એમના પહેલા તેમના દ્વારા મોકલાયેલ નિષ્ફળ ગયેલા કોઈ વૈદિક દેવોને પૂજવાની જરૂર નથી. એ બધા તો સેવક છે, હવે સ્વામિનારાયણ જ એકમાત્ર ઇશ્ર્વર છે. કારણકે હજી હિન્દુ સમાજ વૈદિક ઈશ્ર્વરો સાથે જોડાયેલો છે એટલે એ સ્વામિનારાયણ ને હજી સર્વોપરી કહી સેવક તરીકે નીચે હિંદુ ઇશ્ર્વરો ને રાખવામાં આવે છે. એકવાર એ વૈદિક દેવો પ્રાચીન આરબના દેવી દેવતાઓની જેમ લુપ્ત થઈ જાય, પછી સ્વામિનારાયણ જ એકમાત્ર ભગવાન છે એ વાત બચે છે.
તો, આ કારણ છે જેથી કહેવાઈ રહ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, એ તો હવે સ્વામિનારાયણ રૂપે વડતાલમાં છે. એ ભગવાન કૃષ્ણને દ્વારિકા ન સ્થાને વડતાલમાં નથી બતાવી રહ્યા. તે દ્વારિકામાં સ્થાપિત શ્રીકૃષ્ણ ભગવાન નથી, ભગવાન વડતાલ વાળા સ્વામિનારાયણ છે એમ કહી રહ્યા છે. શું ક્યારેય હિંદુ શાસ્ત્રોમાં એવી કથા જોઈ કે ભગવાન કૃષ્ણ કહેતા હોય કે ’ભગવાન હવે મથુરા, વૃંદાવન કે ડાકોરમાં ક્યાંથી હોય. એ તો દ્વારિકામાં જ છે. જે તમને મથુરા, વૃંદાવન લઈ જાય છે તે કુસંગી છે અને તમારા પૂર્વ જન્મના શત્રુ છે.’ શું ક્યારેય ભગવાન કૃષ્ણનું એવું કથન સાંભળ્યું કે તેમના પહેલાના અવતાર રામની ભૂમિ અયોધ્યામાં ભગવાન ક્યાંથી હોય, એ તો હવે દ્વારિકામાં જ હોય?’ આવું કોઈ કથન કે વિચાર હિન્દુ શાસ્ત્રોમાં મળે જ નહીં, કારણકે હિંદુ સનાતન ધર્મ એવો એક જ સાકાર ઇશ્ર્વર પાછળ ચાલતો એકાંતિક ધર્મ છે નહીં. અહીં, રામ, કૃષ્ણ એ વિષ્ણુના ભિન્ન અવતારો છે, અને એ દરેક સ્થાને વિષ્ણુ રૂપે તે હાજર છે. બસ, આ ભેદ છે. સ્વામિનારાયણ સંપ્રદાય રામ, કૃષ્ણ સહિત સંપૂર્ણ સનાતન ધર્મ અને વૈદિક દેવી દેવતાઓને આ પુસ્તકોમાં લખેલી માનસિકતાથી વિશ્ર્વમાંથી નાબૂદ કરી દેવા માંગે છે. અને આ રીત એજ છે જે ચૌદસો વર્ષ પહેલા મોહમ્મદ પયગંબરે અરબમાં અપનાવી હતી.
મોહમ્મદ પયગંબરે અરબી સમાજમાં કહ્યું, આજ સુધીના આપણા બધા પયગંબરનો સ્વીકાર કરવામાં આવે છે, પણ હું છેલ્લો પયગંબર છું અને હું આ બધા દેવી દેવતાઓ ઉપર રહેલા એકમાત્ર ઇશ્ર્વર એવા અલ્લાહ નો સંદેશ લઈને આવ્યો છું. આજ સુધી જે હતું એ બધું સાચું હતું. પણ હવે હું આવી ગયો છું, એટલે અલ્લાહ મને જે કહે છે તે જ કરવાનું. મારા પછી હવે કોઈ પયગંબર નહીં આવે. મેં જે લખી આપ્યું એમ કરશો તો જન્નતમાં અલ્લાહ પાસે જશો, નહીં કરો તો નર્કમાં જશો.’ બસ આ જ વાત સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજ સાથે કરવા માંગે છે. આજ સુધી જે વૈદિક ઈશ્ર્વરો હતા એમને સ્વીકાર કરીએ છીએ, પણ હવે સ્વામિનારાયણ ભગવાન આવી ગયા છે, તો એ કહે એજ સાચું. એમને જ પૂજવાના, બીજા કોઈને નહીં. જે સ્વામિનારાયણ ને મૂળ સર્વોપરી પરમેશ્ર્વર માનશે તે અક્ષરધામના સ્વર્ગમાં જશે, જે તેમને કોઈ વૈદિક દેવ સમકક્ષ માનશે તે નીચેના વૈકુંઠ, ગોલોક જેવા માયાના પ્રભાવમાં રહેલાનરક તુલ્ય ધામોમાં ફસાઈ જશે. સ્વામિનારાયણ તો એ ધામોમાં ફસાયેલા રામ અને કૃષ્ણને પણ અક્ષરધામ લઈ જવા આવ્યા છે.
આ એ આખી વિકૃતિથી ભરેલું આક્રમણ છે જે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ પર આ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે. હવે દરેક હિન્દુ અને ગુજરાતીને આ આક્રમણને અને તેના વિકૃત અબ્રાહમિક વિચારને સાચી રીતે સમજી લેવાનો છે.

- Advertisement -

જે સ્વામિનારાયણ ને મૂળ સર્વોપરી પરમેશ્ર્વર માનશે તે અક્ષરધામના સ્વર્ગમાં જશે, જે તેમને કોઈ વૈદિક દેવ સમકક્ષ માનશે તે નીચેના વૈકુંઠ, ગોલોક જેવા માયાના પ્રભાવમાં રહેલાનરક તુલ્ય ધામોમાં ફસાઈ જશે. સ્વામિનારાયણ તો એ ધામોમાં ફસાયેલા રામ અને કૃષ્ણને પણ અક્ષરધામ લઈ જવા આવ્યા છે. આ એ આખી વિકૃતિથી ભરેલું આક્રમણ છે જે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ પર આ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે

 

You Might Also Like

રાજકોટ બાર એસો. ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ને બ્રહ્મ અને પાટીદાર વકીલોનું જંગી સમર્થન

અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ

લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાસણના પ્રિમિયર ગીર રિસોર્ટમાં મોટું જુગારધામ ઝડપાયું: 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
Next Article પોરબંદરના સરકારી મુદ્દામાલ હેર-ફેર કૌભાંડમાં તપાસ કમિટીનું શંકાસ્પદ મૌન!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસરાષ્ટ્રીય

ઇન્ટ્રા-ડે ટ્રેડમાં પ્રથમ વખત યુએસ ડૉલર સામે રૂપિયો 91-માર્કનો ભંગ કરે છે

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ
યોજનાઓના નામ બદલવા અંગે તથા MGNREGA મુદ્દે પ્રિયંકા ગાંધીએ મોદી સરકારને કર્યા આકરા પ્રહારો
Appleની નવી સુવિધા મેક સ્ક્રીનને સ્માર્ટ રિંગ લાઇટમાં ફેરવે છે
2026માં જાણો કઈ કઈ રાશિના જાતકોને થશે લાભ
વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ બાર એસો. ચૂંટણીમાં ‘સમરસ પેનલ’ને બ્રહ્મ અને પાટીદાર વકીલોનું જંગી સમર્થન

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

અણીયારા ગામે તુવેર વચ્ચે થતું ગાંજાનું વાવેતર ઝડપાયું : 1.11 કરોડના 223 કિલો ગાંજા સાથે શખ્સની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?