By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાનું પગલું, વ્હોટ્સઍપ્પ અને ટેલિગ્રામ કોલ પર બેન
    3 days ago
    ટ્રમ્પ આવેશમાં આવીને નિર્ણય લે છે! ‘અમેરિકા પર વિશ્વાસ ન કરી બ્રિક્સ સાથે જોડાવ’: જેફરી સૅક્સ
    3 days ago
    પનામા કેનાલ પર યુએનમાં ચીન અને અમેરિકા વચ્ચે ટક્કર: દુનિયાભરનો 6 ટકા સમુદ્રી વ્યાપાર આ નહેરથી થાય છે
    5 days ago
    તો ભારત સામે યુદ્ધ લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં: પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોની ધમકી
    5 days ago
    અફઘાનિસ્તાન સરહદ પર પાકિસ્તાની સેનાએ 50 આતંકવાદીઓને ઠાર માર્યા
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘અમે વિવાદ નહીં, ઉકેલ ઈચ્છીએ છીએ’ રખડતાં કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
    3 days ago
    70 દેશોની જેલોમાં 10,574 ભારતીયો કેદ
    3 days ago
    જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો, 10થી વધુ લોકોના મોતની આશંકા
    3 days ago
    કાલથી શરૂ થશે 1 વર્ષ સુધી ચાલે તેવા FASTag Pass, ખરીદવાની જાણો આ સિમ્પલ પ્રોસેસ
    3 days ago
    ફરિયાદી ગોડસેના સગા: રાહુલ ગાંધીએ સાવરકરની ટિપ્પણી પર જીવનો ખતરો હોવાનો દાવો કર્યો
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સચિન તેંડુલકરના પુત્ર અર્જુનની સગાઈ સાનિયા ચંડોક સાથે થઈ
    3 days ago
    8 વર્ષના રિલેશન બાદ રોનાલ્ડો અને જોર્જિના કરશે લગ્ન, સગાઈની તસ્વીર થઈ વાઈરલ
    5 days ago
    દેવયાનીબા ઝાલાએ વર્લ્ડ એથ્લેટિક્સ ટૂર્નામેન્ટમાં સિલ્વર મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું
    5 days ago
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    1 week ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ચાલો આજે જાણીએ બચ્ચન પરિવારની વહુ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી સુંદર એક્ટ્રેસ ઐશ્વર્યા રાયની નેટવર્થ વિશે
    6 days ago
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    1 week ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    1 week ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    2 weeks ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    જન્માષ્ટમીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીના છોડ સાથે આવું ક્યારેય પણ ન કરશો
    3 days ago
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    1 week ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    1 week ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    2 weeks ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
    3 days ago
    શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
    3 days ago
    રીબડા પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવનાર મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ કેરળથી ઝડપાયો
    5 days ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પુજારાએ જરૂરિયાત વગર એક ડઝન સ્કૂલ પાડીને નવી બનાવી
    6 days ago
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘સ્વામિનારાયણે રામ અને કૃષ્ણને પૃથ્વી પર ધર્મ સ્થાપવા મોકલ્યા હતા, પણ તે નિષ્ફળ ગયા એટલે સ્વામિનારાયણને પૃથ્વી પર આવવું પડ્યું’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘સ્વામિનારાયણે રામ અને કૃષ્ણને પૃથ્વી પર ધર્મ સ્થાપવા મોકલ્યા હતા, પણ તે નિષ્ફળ ગયા એટલે સ્વામિનારાયણને પૃથ્વી પર આવવું પડ્યું’
TALK OF THE TOWNરાજકોટ

‘સ્વામિનારાયણે રામ અને કૃષ્ણને પૃથ્વી પર ધર્મ સ્થાપવા મોકલ્યા હતા, પણ તે નિષ્ફળ ગયા એટલે સ્વામિનારાયણને પૃથ્વી પર આવવું પડ્યું’

Khaskhabar Editor
Last updated: 2025/03/24 at 5:18 PM
Khaskhabar Editor 5 months ago
Share
10 Min Read
SHARE

ડૉ. કૌશિક ચૌધરી

આ વિકૃત વિચાર સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળમાં છુપાયેલો છે

- Advertisement -

મણિનગર સંસ્થાના પુસ્તક ‘શ્રીજીસંકલ્પમૂર્તિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતો’ પુસ્તકની વાર્તા 33માં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણને ભગવાન ન કહેવાનો વિવાદ ચરમ પર છે. પણ બહુ ઓછા લોકો પુસ્તકના એ પાનાના લખાણનો સાચો અર્થ સમજી શક્યા છે. કારણકે સ્વામિનારાયણ સંપ્રદાયની સનાતન ધર્મ વિરોધી મૂળ વિચારધારા વિશે તેમની ચોપડીઓમાં જે લખાયું છે તે બહુ ઓછા લોકો જાણે છે. તે પાના પર લખ્યું છે કે કોઈ આબાસાહેબના સગાંવાલા તેમને દ્વારિકામાં ભગવાન કૃષ્ણના દર્શન કરવા જવાનું કહે છે, અને આ કારણે આબાસાહેબ ગોપાળાનંદ સામે તેમના સબંધીઓને કુસંગી કહે છે. આબાસાહેબ ગોપાળાનંદને પૂછે છે કે ’શું દ્વારિકામાં ભગવાન મળશે?’ યાદ રહે, અહીં એવું નથી પૂછ્યું કે ’દ્વારિકામાં ભગવાન કૃષ્ણ મળશે? ’ પૂછયું છે કે ’શું દ્વારિકામાં ભગવાન મળશે? ’ અર્થાત્ જે ભગવાન છે તે શું દ્વારિકામાં હશે? સામે ગોપાળાનંદ જવાબ આપે છે કે ’હવે દ્વારિકામાં ભગવાન ક્યાંથી હોય? પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. ત્યાં શ્રી સ્વામિનારાયણ ભગવાન તમારા મનોરથ પૂર્ણ કરશે.’
અહીં ભગવાન કૃષ્ણ દ્વારિકાના સ્થાને વડતાલમાં છે એવું નથી કહેવાયું. અહીં કૃષ્ણ ભગવાન નથી સ્વામિનારાયણ છે, એ પ્રતિપાદિત કરવાની કોશિશ છે. ભગવાન તરીકે કૃષ્ણના સ્થાને સ્વામિનારાયણને સ્થાપી દ્વારકાના સ્થાને વડતાલનું મહત્વ ઊભું કરાયું છે. એટલે જ તો એજ વાર્તામાં આગળ આબાસાહેબના સબંધીઓ તેમને દ્વારકા લઈ જાય છે, તો તેમની હોડી ડૂબી જાય છે, અને આબાસાહેબ સ્વામિનારાયણના જાપ કરવા લાગે છે ત્યારે એ નવા ભગવાન આવી તેમને બચાવે છે. આ સમયે સ્વામિનારાયણ આબાસાહેબને કહે છે કે તમારા જે સબંધીઓ તમને દ્વારકા બાજુ લઈ જતા હતા તે તમારા પૂર્વ જન્મના શત્રુ છે.
હવે આ આખી ગપગોળા વાળી વાર્તા શું કહેવા માંગે છે એનું મૂળ મળે છે વડતાલ ગાદી સાથે સંકળાયેલ કુંડળધામ અને શ્રીસ્વામિનારાયણ મંદિર, કારેલીબાગ-વડોદરા દ્વારા પ્રકાશિત ‘અક્ષરાનંદ સ્વામીની વાતો’ પુસ્તકમાં. એ પુસ્તકના પાના નંબર 419 અને 420 પર સહજાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીનો એક સંવાદ આપેલો છે. તે લખાણ નીચે મુજબ છે:
પછી શ્રીજીમહારાજે ગોપાળાનંદ સ્વામીને વાત કરી જે, ‘સ્વામી, આપણે અત્રે આવ્યાનું કારણ તમે જાણો છો? ત્યારે સ્વામી કહે, ના મહારાજ, હું જાણતો નથી.’
મહારાજ કહે, ‘તમો આદિક અક્ષરમુક્ત અક્ષરધામમાં બેઠા હતા અને અમે અક્ષરધામમાં વાત કરી જે, આ બ્રહ્માંડ ઘણાક કાળથી સરજાણું છે, પણ કોઈ જીવ અક્ષરધામમાં આવતા નથી. પછી અમે દત્ત તથા કપિલ આદિક અવતારને મોકલ્યા, તે પણ ત્યાં આવ્યા નહીં ને તેમને ભજીને પણ કોઈ આવ્યું નહીં. પછી ત્રેતાયુગમાં રામચંદ્રજીને મોકલ્યા.

સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદીઓ સાથે જોડાયેલા પુસ્તકોમાં જ આ વાત છે, જ્યાં સ્વામિનારાયણને ભગવાન વિષ્ણુના નારાયણ, હરિ વગેરે નામ આપી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો સહિત તમામ પંચદેવથી અલગ કોઈ જિસસ જેવા ઈશ્ર્વર બનાવી દેવાયા છે

તે વખતે માણસની દસ હજાર વરસની આવરદા હતી, પણ (રામચંદ્ર)પોતે અગિયાર હજાર વરસ સુધી રહ્યા, પણ પોતે એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં. પછી અમે શ્રીકૃષ્ણને મોકલ્યા, તે પણ કલિયુગમાં સો વરસની આયુષ છતાં પોતે સવાસો વરસ રહ્યા, તોપણ એકાંતિક ધર્મ પ્રવર્તાવી શક્યા નહીં.’
ત્યારે તમે બોલ્યા જે, ‘હે મહારાજ ! જે જે ધામમાંથી જે જે અવતાર આ પૃથ્વી ઉપર આવે, તેને ભજીને જીવો તે તે ધામને પામે છે. એ તો જ્યારે તમો પુરુષોત્તમ આ પૃથ્વી ઉપર પધારો ત્યારે તે જીવ તમને ભજીને અક્ષરધામમાં આવે.’
ત્યારે અમે કહ્યું જે, અમે જયારે પૃથ્વી ઉપર પધારીએ ત્યારે તમારે પણ આવવું પડશે. ત્યારે તમે કહ્યું જે, ’અમારું શું કામ છે ?’ ત્યારે અમે કહ્યું જે, તમારું કામ તો એટલું જે, તમે ધર્મ પાળીને બીજાને ધર્મ પાળતાં શીખવો. ભક્તિ કરીને ભક્તિ કરતાં શીખવો. ત્યારે તમે બોલ્યા જે, ’મહારાજ ! તમે પધારશો ત્યારે અમારે પણ આવ્યા વિના છૂટકો છે ?’ માટે તમારા જેવા અક્ષરમુક્ત લઈને અત્રે આવ્યા છીએ.’
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, સ્વામી, આ છ હેતુ માટે આપણે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ.” પછી મહારાજ કહે :
(1) જે-જે અવતારને આપણે મોકલ્યા (રામ, કૃષ્ણ) તેમને અક્ષરધામમાં લઈ જવા છે.
(2) તેને (રામ, કૃષ્ણને) ભજીને જે-જે જ્યાં-જ્યાં ગયા હોય તેમને અક્ષરધામમાં લઈ જવા છે.
(3) ને ભક્તિ-ધર્મને એકાંતિક સુખ આપવું.
(4) આ પૃથ્વી વિષે એકાંતિક ધર્મ પ્રવર્તાવવો.
(5) અને સર્વ જીવ-પ્રાણીમાત્રને વિષે સ્વામિનારાયણની નિષ્ઠા પ્રવર્તાવવી.
(6) ને નવા મુમુક્ષુ ઉત્પન્ન કરવા. 643 (પાનાં નંબર 419-420)
આમ, સ્વામિનારાયણ સંપ્રદાયની મૂળ ગાદીઓ સાથે જોડાયેલા પુસ્તકોમાં જ આ વાત છે જ્યાં સ્વામિનારાયણને ભગવાન વિષ્ણુના નારાયણ, હરિ વગેરે નામ આપી ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો સહિત તમામ પંચદેવથી અલગ કોઈ જિસસ જેવા ઇશ્ર્વર બનાવાઈ દેવાયા છે. એ સ્વામિનારાયણ તમામ વૈદિક ઈશ્ર્વરોને નીચે પૃથ્વી પર મોકલે છે, ઇસ્લામ અને ખ્રિસ્તી પંથ જેવો એકાંતિક ધર્મ સ્થાપવા માટે, પણ બધા વૈદિક ઈશ્ર્વરો નિષ્ફળ જાય છે. અને એટલે સ્વામિનારાયણ પોતે આવે છે. અને આ એ સંપ્રદાયની મુખ્ય માન્યતા છે કે કારણકે હવે સ્વામિનારાયણ ભગવાન પોતે આવી ગયા છે, એટલે એમના પહેલા તેમના દ્વારા મોકલાયેલ નિષ્ફળ ગયેલા કોઈ વૈદિક દેવોને પૂજવાની જરૂર નથી. એ બધા તો સેવક છે, હવે સ્વામિનારાયણ જ એકમાત્ર ઇશ્ર્વર છે. કારણકે હજી હિન્દુ સમાજ વૈદિક ઈશ્ર્વરો સાથે જોડાયેલો છે એટલે એ સ્વામિનારાયણ ને હજી સર્વોપરી કહી સેવક તરીકે નીચે હિંદુ ઇશ્ર્વરો ને રાખવામાં આવે છે. એકવાર એ વૈદિક દેવો પ્રાચીન આરબના દેવી દેવતાઓની જેમ લુપ્ત થઈ જાય, પછી સ્વામિનારાયણ જ એકમાત્ર ભગવાન છે એ વાત બચે છે.
તો, આ કારણ છે જેથી કહેવાઈ રહ્યું છે કે દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે, એ તો હવે સ્વામિનારાયણ રૂપે વડતાલમાં છે. એ ભગવાન કૃષ્ણને દ્વારિકા ન સ્થાને વડતાલમાં નથી બતાવી રહ્યા. તે દ્વારિકામાં સ્થાપિત શ્રીકૃષ્ણ ભગવાન નથી, ભગવાન વડતાલ વાળા સ્વામિનારાયણ છે એમ કહી રહ્યા છે. શું ક્યારેય હિંદુ શાસ્ત્રોમાં એવી કથા જોઈ કે ભગવાન કૃષ્ણ કહેતા હોય કે ’ભગવાન હવે મથુરા, વૃંદાવન કે ડાકોરમાં ક્યાંથી હોય. એ તો દ્વારિકામાં જ છે. જે તમને મથુરા, વૃંદાવન લઈ જાય છે તે કુસંગી છે અને તમારા પૂર્વ જન્મના શત્રુ છે.’ શું ક્યારેય ભગવાન કૃષ્ણનું એવું કથન સાંભળ્યું કે તેમના પહેલાના અવતાર રામની ભૂમિ અયોધ્યામાં ભગવાન ક્યાંથી હોય, એ તો હવે દ્વારિકામાં જ હોય?’ આવું કોઈ કથન કે વિચાર હિન્દુ શાસ્ત્રોમાં મળે જ નહીં, કારણકે હિંદુ સનાતન ધર્મ એવો એક જ સાકાર ઇશ્ર્વર પાછળ ચાલતો એકાંતિક ધર્મ છે નહીં. અહીં, રામ, કૃષ્ણ એ વિષ્ણુના ભિન્ન અવતારો છે, અને એ દરેક સ્થાને વિષ્ણુ રૂપે તે હાજર છે. બસ, આ ભેદ છે. સ્વામિનારાયણ સંપ્રદાય રામ, કૃષ્ણ સહિત સંપૂર્ણ સનાતન ધર્મ અને વૈદિક દેવી દેવતાઓને આ પુસ્તકોમાં લખેલી માનસિકતાથી વિશ્ર્વમાંથી નાબૂદ કરી દેવા માંગે છે. અને આ રીત એજ છે જે ચૌદસો વર્ષ પહેલા મોહમ્મદ પયગંબરે અરબમાં અપનાવી હતી.
મોહમ્મદ પયગંબરે અરબી સમાજમાં કહ્યું, આજ સુધીના આપણા બધા પયગંબરનો સ્વીકાર કરવામાં આવે છે, પણ હું છેલ્લો પયગંબર છું અને હું આ બધા દેવી દેવતાઓ ઉપર રહેલા એકમાત્ર ઇશ્ર્વર એવા અલ્લાહ નો સંદેશ લઈને આવ્યો છું. આજ સુધી જે હતું એ બધું સાચું હતું. પણ હવે હું આવી ગયો છું, એટલે અલ્લાહ મને જે કહે છે તે જ કરવાનું. મારા પછી હવે કોઈ પયગંબર નહીં આવે. મેં જે લખી આપ્યું એમ કરશો તો જન્નતમાં અલ્લાહ પાસે જશો, નહીં કરો તો નર્કમાં જશો.’ બસ આ જ વાત સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજ સાથે કરવા માંગે છે. આજ સુધી જે વૈદિક ઈશ્ર્વરો હતા એમને સ્વીકાર કરીએ છીએ, પણ હવે સ્વામિનારાયણ ભગવાન આવી ગયા છે, તો એ કહે એજ સાચું. એમને જ પૂજવાના, બીજા કોઈને નહીં. જે સ્વામિનારાયણ ને મૂળ સર્વોપરી પરમેશ્ર્વર માનશે તે અક્ષરધામના સ્વર્ગમાં જશે, જે તેમને કોઈ વૈદિક દેવ સમકક્ષ માનશે તે નીચેના વૈકુંઠ, ગોલોક જેવા માયાના પ્રભાવમાં રહેલાનરક તુલ્ય ધામોમાં ફસાઈ જશે. સ્વામિનારાયણ તો એ ધામોમાં ફસાયેલા રામ અને કૃષ્ણને પણ અક્ષરધામ લઈ જવા આવ્યા છે.
આ એ આખી વિકૃતિથી ભરેલું આક્રમણ છે જે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ પર આ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે. હવે દરેક હિન્દુ અને ગુજરાતીને આ આક્રમણને અને તેના વિકૃત અબ્રાહમિક વિચારને સાચી રીતે સમજી લેવાનો છે.

- Advertisement -

જે સ્વામિનારાયણ ને મૂળ સર્વોપરી પરમેશ્ર્વર માનશે તે અક્ષરધામના સ્વર્ગમાં જશે, જે તેમને કોઈ વૈદિક દેવ સમકક્ષ માનશે તે નીચેના વૈકુંઠ, ગોલોક જેવા માયાના પ્રભાવમાં રહેલાનરક તુલ્ય ધામોમાં ફસાઈ જશે. સ્વામિનારાયણ તો એ ધામોમાં ફસાયેલા રામ અને કૃષ્ણને પણ અક્ષરધામ લઈ જવા આવ્યા છે. આ એ આખી વિકૃતિથી ભરેલું આક્રમણ છે જે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ પર આ સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે

 

You Might Also Like

માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો

શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ

સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે

રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાસણના પ્રિમિયર ગીર રિસોર્ટમાં મોટું જુગારધામ ઝડપાયું: 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
Next Article પોરબંદરના સરકારી મુદ્દામાલ હેર-ફેર કૌભાંડમાં તપાસ કમિટીનું શંકાસ્પદ મૌન!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

વઢવાણ: પુત્રની સારવાર માટે ગયેલા પરિવારના રહેણાંક મકાનમાં ચોરી

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો
શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો
ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ
સોમવારે રામનાથ મહાદેવ મંદિરેથી બપોરે 3.30 કલાકેથી 102મી વર્ણાંગી નીકળશે
રાજકોટ શહેર ભાજપ કાર્યાલયે 79મા સ્વાતંત્ર્ય પર્વે વજુભાઈ વાળાના હસ્તે તિરંગાને સલામી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

માનીતા શિક્ષકોને સાચવી લેવા નિયમ વિરૂદ્ધ બે પાળીમાં ચાલતી સ્કૂલો

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
TALK OF THE TOWNરાજકોટ

શિક્ષણ સમિતિમાં ‘ઑફિસ કામગીરી’નાં બહાને જલ્સા કરે છે એક ડઝન શિક્ષકો

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
રાજકોટ

ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિરમાં લલિત ત્રિભંગી મુદ્રામાં બિરાજતાં ભગવાન શ્રીકૃષ્ણ

khaskhabarrajkot khaskhabarrajkot 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?