વન વિભાગે કરેલ રેલીંગ સહિત દબાણ ક્યારે દૂર કરાશે તેવી રજૂઆત
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
સાસણગીર ટુરીઝમના લીધે લાખો લોકો સિંહ દર્શન કરવા આવતા હોય તેને ટ્રાફિકની સમસ્યાનો ભોગ ન બનવો પડે તેને કાયમી ઉકેલ લાવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંમર તેમજ ગામના આગેવાનો સાથે રાખી રોડ પર ના દબાણ કરવા માં આવેલ જેન દૂર કરવા માં આવ્યા એના માટે અપીલ કરેલ પ્રમુખ હરેશ ઠુંમરની અપીલ ધ્યાનમાં રાખી પોત પોતાનું રોડ પરનું દબાણ જાતેજ દૂર કરવા માં આવેલ.
- Advertisement -
સાસણના વેપારીઓ સમજદારી દાખવીને સાસણના વિકાસ માટે પોત પોતાની દુકાનો જાતે તોડીને એક ઉમદા ઉદાહરણ આપેલ છે. યાત્રિકોને ટ્રાફિકની સમસ્યાને સામનો નય કરવો પડે જેથી સ્ટેટ આર એમ બી દ્વારા રોડને પોહળો કરવામાં આવશે જયારે સાસણના વેપારીઓ દ્વારા તો દબાણ દૂર કરવા માં આવ્યું પરંતુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રેલીગ તેમજ ગેટ તેમજ એક મોટો સેટ ઉભો કરવા માં આવેલ છે તેને કોણ દૂર કરવામાં આવશે તે જોવાનું રહ્યું હાલ જે ફોરેસ્ટ દ્વાર રેલીગ લગાવેલ છે તે દૂર કરવામાં આવે તો પાર્કિગ સમસ્યા દૂર થઈ શકે તેવું ત્યાંના લોકો દ્વારા પ્રમુખ હરેશ ઠુંમરને જાણવામાં આવ્યું હતું.



