ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.9
ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ સોમનાથ મંદિર સુરક્ષામાં ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહ જાડેજા દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ મુજબુત બનાવવામાં આવી છે. સોમનાથ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે. જીલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાને લઈને કોઈપણ કચાસ ન રહે તે માટે યુદ્ધના ધોરણે વિશેષ સુરક્ષા અભિયાન શરૂ કર્યું છે. ક્વિક રિસ્પોન્સ સેલ અને ખૂબ લાંબો દરિયા કિનારો ધરાવતા સોમનાથ મંદિર પરિસરની આસપાસ જીલ્લા પોલીસ તથા મરીન પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષાને પણ મજબૂત કરી દેવામાં આવી છે. પોર્ટ સિક્યોરીટીમાં વધારો તેમજ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.