રાહુલ ગાંધીએ કહ્યું-PM વિદ્યાર્થીઓ પાસે માફી માંગે
કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPનું જંતર-મંતર પર મંગળવારે ૩રમા દિવસે પ્રદર્શન ચાલુ છે. બપોરે ૧૨ વાગ્યા સુધી હજારોની સંખ્યામાં આંદોલનકારીઓ હાજર છે. સવારે કોંગ્રેસ સેવા દળના કાર્યકર્તાઓએ તેમને નાસ્તો વહેંચ્યો. બીજી તરફ, આજે સવારે જ્યારે સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ પહોંચી ત્યારે CJP સમર્થકોએ હાય-હાયના નારા લગાવ્યા. આ પહેલા સંસદ માર્ચ પછી દિલ્હી પોલીસે સોમવારે મોડી સાંજે જંતર-મંતર ખાલી કરાવી લીધું હતું. પરંતુ આંદોલનકારીઓ ફરીથી મોડેથી એકઠા થઈ ગયા. આ દરમિયાન ગઉએ સંસદીય દળની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે પેપર લીક મામલે રાજનીતિ ન થવી જોઈએ. દોષિતોને કડક સજા મળશે.
રાહુલે કહ્યું કે આ મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપરાંત પીએમ અને ગૃહમંત્રી રાજીનામું આપે અને વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગે. આ મામલે જવાબદારી નક્કી થવી જ જોઈએ. CJP ના પ્રદર્શનમાં ઘાયલ વિદ્યાર્થીઓને મળ્યા પછી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને સોશિયલ મીડિયા પર સતત મેસેજ મળી રહ્યા છે કે ઘણા લોકો કહે છે કે તેમના બાળકોને પોલીસે ઉઠાવીને જેલમાં મોકલી દીધા છે અને ઘણા વિદ્યાર્થીઓ વિરુદ્ધ ખોટી FIR નોંધવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, ‘વિદ્યાર્થીઓ પર ટિયર ગેસ કેમ છોડવામાં આવ્યો, લાઠીચાર્જ કેમ કરવામાં આવ્યો. આજે ઘણા વિદ્યાર્થી હોસ્પિટલમાં છે.’ તેમણે સરકાર પાસે પ્રદર્શનકારીઓ અને જેપી નડ્ડા વચ્ચે થયેલી વાતચીતની માહિતી ગૃહમાં આપવાની માગ કરી.
રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે નફાના નિવેદન પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે જ્યારે બાળકોની માંગણીઓ બધાને ખબર હતી, તો સરકાર તેમની વિરુદ્ધ ટિયર ગેસ અને લાઠીચાર્જની રાહ કેમ જોઈ રહી હતી. પ્રદર્શન દરમિયાન ભીડ ૧૨,૦૦૦ થી વધીને ૫૦,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી, ત્યારબાદ પોલીસે બળનો ઉપયોગ કર્યો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ સોમવારે કહ્યું હતું કે પ્રતિનિધિમંડળ સાથે સોમવારે થયેલી વાતચીત ‘બરાબર’ રહી. તેમણે પ્રદર્શનકારીઓને ધરણા સમાપ્ત કરવાની અપીલ કરી છે.
- Advertisement -
પેપર લીકના આરોપીઓને કડકમાં કડક સજા મળે: PM મોદી
સંસદના ચોમાસુ સત્રના બીજા દિવસે લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષે NEET પેપર લીક પર ચર્ચાની માંગ કરી, પ્લેકાર્ડ બતાવ્યા, સૂત્રોચ્ચાર કર્યા, ત્યારબાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી હતી. આ તરફ, રાજ્યસભાની કાર્યવાહી પણ ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. સંસદની બહાર આવીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી. લોકશાહીમાં આવું કરવું ખોટું છે. તેમજ, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ લોકસભા સ્પીકર સાથે મુલાકાત કરી. આ પહેલા સંસદ ભવનમાં NDA સંસદીય દળની બેઠક મળી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ આજે એનડીએ મંગલ મિલન સમારોહમાં નીટ પરીક્ષાથી લઈને દરેક મુદ્દા પર વાત કરી. તેમણે કહ્યું કે પેપરલીક પર રાજકારણ ન થવું જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓના હિત અમારા માટે સર્વોપરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પેપર લીક અંગે કહ્યું છે કે આ માટે આરોપીઓને કડકમાં કડક સજા મળે. આ માટે તેમણે મોટા વકીલોને આગળ આવવા જણાવ્યું છે.
નોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી જંતર-મંતર પર સીજેપી નીટ પરીક્ષામાં પેપર લીકને લઈને પ્રદર્શન કરી રહી છે. પીએમ મોદીએ એનડીએ સંસદીય દળને સંબોધિત કરતા કહ્યું કે ઘણા દેશો સાથે જે કરારો થયા છે તેમાં ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે જે પણ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તેમાં ખેડૂતોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ તરફ, કોંગ્રેરાના સાંસદ સૈયદ નાસિર હુરસૈને રાજ્યસભામાં નિયમ ૨૬૭ હેઠળ કામ રોકવાની નોટિસ આપી છે. તેમણે NEET UG 2026 પેપર લીક કેસ પર તાત્કાલિક ચર્ચા કરાવવાની માંગ કરી છે.




