આર્શ ટ્રેડર્સના માલિક પાસેથી ખરીદ કરેલા સ્ક્રેપની ચૂકવણી પેટે આપેલો રૂ.66.80 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે યોગીરાજ મેટલ્સ પ્રા.લી.ના ઓથોરાઇઝ સિગ્નેટરીને એક વર્ષની સજા ફટકારી
એક માસમાં આરોપી રકમ ન ચુકવે તો વધુ છ માસની સજા ભોગવવા આદેશ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જાણીતા સ્ક્રેપના વેપારી આર્શ ટ્રેડર્સના માલીક પાસેથી ખરીદ કરેલ સ્ક્રેપની ચુકવણી માટે પેટે આપેલો રૂા.66,80,023 નો ચેક રીટર્ન થતાં કોર્ટે યોગીરાજ મેટલ્સ પ્રા. લી.ના ઓથરાઈઝડ સીગ્નેટરીને એક વર્ષની સજા અને અલગથી રૂા.66,80,023 વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો આ કેસની હકીકત મુજબ યોગીરાજ મેટલ્સ પ્રા. લી.ના નામથી ચાલતી કંપનીના ડીરેકટરોએ પોતાની જરૂરીયાત મુજબ આર્શ ટ્રેડર્સના માલીક મોહસીનભાઈ યાસીનભાઈ ગાંજા પાસેથી અલગ અલગ સમયે સ્ક્રેપની ઉધાર ખરીદી કરી હતી અને જે પેટે કંપનીના ડીરેકટરે રૂા.66,80,023 નો ચેક ઓથોરાઇઝડ સીગ્નેટરી દરજજે રોનકભાઈ અરૂણભાઈ ગોંડલીયાએ સહી કરી ફરીયાદીને આપ્યો હતો જે ચેક સ્વીકાર્યા વગર પરત ફરતા ઘી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ તળે કંપનીના ડીરેકટરોને નોટીસ આપવામાં આવેલ પરંતુ રકમ ન ચુકવતા આરોપી સામે રાજકોટની અદાલતમાં ચેક પરત ફર્યા અંગેની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા આરોપી રોનકભાઈ ગોંડલીયા દ્વારા કટકે-કટકે રૂા.35 લાખ જમા કરાવેલ હતા અને આરોપી દ્વારા રકમ ફરીયાદી આર્શ ટ્રેડર્સને આપેલ છે તેવો બચાવ લેવામાં આવેલ હતો અને બાકીની રકમ અંગે હિસાબી તકરારો લેવામાં આવેલ હતી. આ સમય દરમિયાન ફરીયાદપક્ષ દ્વારા સંપૂર્ણ રકમ આપવા આરોપી પક્ષ બંધાયેલ છે અને ફરીયાદપક્ષ દ્વારા વિવિધ હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા તે ઘ્યાને રાખી યોગીરાજ મેટલ્સ પ્રા. લી.ના ઓથરાઈઝડ સીગ્નેટરી રોનક અરૂણભાઈ ગોંડલીયાને કોર્ટ દ્વારા તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા અને અલગથી રૂા.66,80,023 વળતર પેટે ફરીયાદીને ચુકવવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હતો આ કેસમાં મુળ ફરીયાદી આર્શ ટ્રેડર્સ તરફે રાજકોટ ધારાશાષાી કમલેશ એન. શાહ, જીજ્ઞેશ એન. શાહ, ભરત એચ. સંઘવી, સુરેશ સી. દોશી, નાસીર એચ. હાલા, જતીન એન. પંડયા, ધવલ જે. પડીયા અને જીગર બી. સંઘવી રોકાયા હતા.