By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    2 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    2 days ago
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    3 days ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    4 days ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
    1 day ago
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    2 days ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    2 days ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    4 days ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    4 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    5 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    5 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    7 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 week ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 week ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    1 day ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    5 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 week ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ
Bhavy Raval

સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડે ઉર્ફે નીલકંઠવર્ણી ઉર્ફે સહજાનંદ સ્વામીએ સારા કાર્યો કર્યા હશે અને તેઓ મહાન સંત હશે તેમા કોઈ શંકા નથી પરંતુ આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. અલબત્ત સહજાનંદ સ્વામીએ પોતે પણ ખુદને ભગવાન તરીકે પ્રસ્તુત કર્યા નહતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સહજાનંદ સ્વામીને ભગવાન બનાવ્યા અને આ માટે તેમણે અન્ય ભગવાનને નિમ્ન બતાવી સહજાનંદ સ્વામીને મહાન દર્શાવ્યા. સહજાનંદ સ્વામીની લીટી મોટી કરવા અન્ય ભગવાનની લીટી નાની કરી. વાસ્તવમાં સ્વામીઓ ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ સહજાનંદ સ્વામી ભગવાન બની જવાના નથી.

સહજાનંદ સ્વામીના મૃત્યુ બાદ તેમના અનુયાયીઓ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓએ દેશ અને સમાજના ઉદ્ધાર માટે ઓછું કાર્ય કર્યું છે અને અંધશ્રદ્ધા ફેલાવી પોતાના સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો છે. સહજાનંદ સ્વામીના નામને ચરી ખાઈ તેમનો ધ્યેય વધુને વધુ સંપત્તિ અને સત્તા પ્રાપ્ત કરવાનો દેખાઈ રહ્યો છે. તેઓ દેશ-વિદેશમાં જમીનો ખરીદતા રહે છે, પોલિટિક્સ, ફૂડ, હેલ્થ, એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ જમાવતા જાય છે. તેમનામાં રહેલી અભિમાનવૃત્તિ તેમને સાંભળી કે જોઈને જ આરામથી અનુભવી શકાય છે. તેમનું સાધુસંતપણું ધાર્મિક – આધ્યાત્મિક ઓછું અને ભૌતિક વધુ માલૂમ પડે છે.

- Advertisement -

સુંદર બાંધકામ અને વિશાળ પરિસર એ બાબતની સાબિતી નથી કે તે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ છે. આ એક પ્રકારની બનાવટ છે, છળ-કપટ છે. તેમના દરેક શિલ્પ, સાહિત્ય, પ્રવચન પાછળ એક પ્રોપોગેન્ડા જોવા મળશે. તેઓ કઈપણ કરશે તેમાં ક્યાંક ઊંડે કોઈ ચાલ દેખાશે. મોક્ષ અને કર્મના નામ પર તેઓ નિર્દોષ અને ભોળી પ્રજાને મૂરખ બનાવતા આવ્યા છે. તેઓ પોતાના ગુરુને ભગવાનનું સ્વરૂપ કહીને સ્થાપિત કરી રહ્યા છે. ગુરુને ભગવાન બનાવી ભગવાનના નામે અંધભક્તો પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ સમજી વિચારીને ભગવો રંગ પસંદ કર્યો છે પણ તેમની જીવનશૈલી તેનાથી તદ્દન વિપરીત છે. તેઓ મીઠાઈ – ડ્રાયફ્રૂટ ખાઈ છે, મોંઘાદાટ મોબાઈલ – લેપટોપ – કાર વાપરે છે, પ્લેનમાં ફરે છે અને એ.સી.માં બેસે છે. બીજાને સંન્યાસની દીક્ષા આપે છે પણ તેમના પરિવારમાંથી કોઈ સંન્યાસી બનતું નથી. તેઓ પોતાની સેવા કરાવવા માટે સામાન્ય માણસોને સંન્યાસી બનાવે છે. જીવનભર હરિભક્તો પાસેથી મફતમાં સેવા-મેવા મેળવતા રહે છે. માત્ર તેમના બનાવેલા કથિત ભગવાનના નામ પર..

ઘનશ્યામ પાંડેને એક દેહધારી મહાપુરુષ કહી શકાય પણ તેમના અનુયાયીઓને તેમને ભગવાન બનાવવાનું ભૂત વળગ્યું અને આમ એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ. સનાતન ધર્મમાં સંપ્રદાય, પંથ, વાડા, જૂના મંદિર, નવા મંદિરના નામે વિભાજનની શરૂઆત કહી શકાય કે, આ કોઈ હિંદુ સંપ્રદાય નથી. સંનાતનમાંથી અલગ થયેલાઓનો એક સમૂહ છે. તેમની માન્યતાઓ, આચરણ, પૂજા, પુસ્તકો વગેરેને કારણે તેમને હિંદુ કહેવું જરા પણ યોગ્ય નથી.

- Advertisement -

શ્રી કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર લઈ કોઈપણ પાજીપલાવ જન્મે છે અને તેમના અનુયાયીઓ તેને ભગવાનથી પણ મહાન ગણાવી નવા સંપ્રદાયની સ્થાપના કરે છે. ધ્યાનથી સમજશો તો તેમની વૃત્તિ-પ્રવૃત્તિઓ પાછળનો હેતુ માત્રને માત્ર પોતાના વ્યક્તિઓ-વિચારોનું સ્થાપન કરી સ્વયંનો સ્વાર્થ સંતોષવાનો જ હોય છે. તેઓ એટલું સમજી શકતા નથી કે, ઘનશ્યામ પાંડેજી પોતે સો વર્ષ જીવી ન શક્યા અને બિમારીના કારણે મૃત્યુ પામ્યા છે તો તેઓ બીજાને અક્ષરધામમાં કેવી રીતે લઈ જઈ શકે?

સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી

સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે: બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે

ઘનશ્યામ પાંડેની શૈક્ષણિક લાયકાતનો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી. તેઓએ વેદ, ઉપનિષદ, તત્વજ્ઞાન વગેરે ધાર્મિક ગ્રંથો વાંચ્યા કે સાંભળ્યા પણ નથી. સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી.

સનાતનમાંથી બનેલા લગભગ તમામ કલ્ટ કોર્પોરેટ કંપનીઓ જેવા છે, જેની કમાણી પર માત્રને માત્ર તેમના સંચાલકોનો ઈજારો છે. અને તેમની કમાણી થાય છે ક્યાંથી? આપણા જેવા સનાતનીઓના ખિસ્સા ખંખેરી. ભક્તોને જરૂર પડે તેઓ લોન આપવા બેઠા નથી, ભક્તો પાસેથી લઈ બધું લેવા હાજરાહાજુર છે. જો ધ્યાનથી સમજશો તો શંકરાચાર્યજી દ્વારા કલ્પના કરાયેલા વાસ્તવિક હિંદુ ધર્મે જ વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત કરી હતી, પરંતુ ગુરુઘંટાલોને કારણે આ ભક્તિકાળ લગભગ લુપ્ત થઈ ગયો. અને જે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા તેમની પર બાળકો-મહિલાઓના શોષણથી લઈ મનીલોન્ડરિંગ સુધીના આરોપ લાગતા આવ્યા છે. તેઓ અંદરો-અંદર પણ ઝગડતા રહે છે. ખાનગીમાં ગરીબ-પીડિતને છેતરતા રહે અને જાહેરમાં સેવાભાવી હોવાનો ઢોંગ કરે છે. તેમાના કોઈ દૂધે ધોયેલા નથી. આ મામલે આપણે જ દુર્બુદ્ધિ દૂર કરી સદ્દબુદ્ધિ કેળવવાની જરૂર છે. ત્રિદેવ ક્યાં ટૂંકા પડે છે કે આપણે તિલકવાળાને શરણે જવું પડે છે?

સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે. બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે. જો ભવિષ્યમાં પણ સ્વામિનારાયણ જેવા સંપ્રદાયનો આ રીતે જ પ્રચાર-પ્રસાર થતો રહેશે તો એક દિવસ સનાતનનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..

હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..

સ્વામી નારાયણ સંપ્રદાયની ક્યારેય માનવામાં ન આવે તેવી માન્યતાઓ
– સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુના અવતાર છે. હજારો બ્રહ્માના, હજારો શિવના, હજારો બ્રહ્માંડો છે, તે બધા એક માત્ર શ્રીજી મહારાજ (ભગવાન સ્વામિનારાયણ)ના નિયંત્રણ હેઠળ છે. અનંતકોટી બ્રહ્માંડના સર્જક અને સંચાલક ઘનશ્યામ પાંડે છે!
– જેઓ સ્વામિનારાયણ ભવન અક્ષરધામ ધામને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય ભૌતિક જગતમાં પાછા ફરતા નથી, પરંતુ જેઓ ભગવાન કૃષ્ણ (ગોલોકધામ) અને ભગવાન રામ (વૈકુથધામ) પ્રાપ્ત કરે છે તેઓને પૃથ્વી પર આવવું પડે છે અને તેઓ ક્યારેય જન્મ-મરણ ફેરામાંથી મુક્ત થતા નથી.
– જ્યારે સહજાનંદ સ્વામીના ભક્ત મૃત્યુની નજીક હોય છે ત્યારે સહજાનંદ સ્વામી પોતે તેમના પ્રિય ભક્તને અક્ષરધામ (ભગવાનના નિવાસસ્થાન) લઈ જવા માટે આવે છે અને જ્યારે શ્રી કૃષ્ણ, શીવજી કે રામજી પોતાના ભક્તોને મૃત્યુ સમયે તેમના નિવાસ સ્થાને લેવા માટે આવતા નથી. હરિ.. હરિ..

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

TAGGED: HINDURELIGION, SANATAN, swaminarayansampraday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીનપીંગ આવે કે ન આવે, કોઈ ફર્ક પડતો નથી: એસ.જયશંકર
Next Article રાજકોટ બન્યું ગોકુળિયું ગામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પડધરી પોલીસનું નાક વાઢી નાખતી સ્ટેટ મોનીટરીંગ સેલ : કટિંગ ટાણે જ દરોડો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
અયોધ્યામાંથી શ્રીરામનો હાર, ચરણ પાદુકા, ચાંદીની ઈંટો ગુમ!
શાપરમાં વૃધ્ધ રાજવીને બંધક બનાવી 2.47 કરોડની રોકડ, સોનું અને રાયફલની લૂંટ
ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો
અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Ravalધર્મ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

khaskhabarrajkot khaskhabarrajkot 1 week ago
Bhavy Raval

બાબા બાગેશ્ર્વરની કથાને લઈ આટલી બધી બબાલ કેમ?

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?