By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    1 day ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    1 day ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    2 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    2 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    1 day ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    1 day ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    1 day ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    1 day ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    2 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    3 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    3 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 week ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    2 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ
Bhavy Raval

સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડે ઉર્ફે નીલકંઠવર્ણી ઉર્ફે સહજાનંદ સ્વામીએ સારા કાર્યો કર્યા હશે અને તેઓ મહાન સંત હશે તેમા કોઈ શંકા નથી પરંતુ આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. અલબત્ત સહજાનંદ સ્વામીએ પોતે પણ ખુદને ભગવાન તરીકે પ્રસ્તુત કર્યા નહતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સહજાનંદ સ્વામીને ભગવાન બનાવ્યા અને આ માટે તેમણે અન્ય ભગવાનને નિમ્ન બતાવી સહજાનંદ સ્વામીને મહાન દર્શાવ્યા. સહજાનંદ સ્વામીની લીટી મોટી કરવા અન્ય ભગવાનની લીટી નાની કરી. વાસ્તવમાં સ્વામીઓ ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ સહજાનંદ સ્વામી ભગવાન બની જવાના નથી.

સહજાનંદ સ્વામીના મૃત્યુ બાદ તેમના અનુયાયીઓ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓએ દેશ અને સમાજના ઉદ્ધાર માટે ઓછું કાર્ય કર્યું છે અને અંધશ્રદ્ધા ફેલાવી પોતાના સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો છે. સહજાનંદ સ્વામીના નામને ચરી ખાઈ તેમનો ધ્યેય વધુને વધુ સંપત્તિ અને સત્તા પ્રાપ્ત કરવાનો દેખાઈ રહ્યો છે. તેઓ દેશ-વિદેશમાં જમીનો ખરીદતા રહે છે, પોલિટિક્સ, ફૂડ, હેલ્થ, એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ જમાવતા જાય છે. તેમનામાં રહેલી અભિમાનવૃત્તિ તેમને સાંભળી કે જોઈને જ આરામથી અનુભવી શકાય છે. તેમનું સાધુસંતપણું ધાર્મિક – આધ્યાત્મિક ઓછું અને ભૌતિક વધુ માલૂમ પડે છે.

- Advertisement -

સુંદર બાંધકામ અને વિશાળ પરિસર એ બાબતની સાબિતી નથી કે તે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ છે. આ એક પ્રકારની બનાવટ છે, છળ-કપટ છે. તેમના દરેક શિલ્પ, સાહિત્ય, પ્રવચન પાછળ એક પ્રોપોગેન્ડા જોવા મળશે. તેઓ કઈપણ કરશે તેમાં ક્યાંક ઊંડે કોઈ ચાલ દેખાશે. મોક્ષ અને કર્મના નામ પર તેઓ નિર્દોષ અને ભોળી પ્રજાને મૂરખ બનાવતા આવ્યા છે. તેઓ પોતાના ગુરુને ભગવાનનું સ્વરૂપ કહીને સ્થાપિત કરી રહ્યા છે. ગુરુને ભગવાન બનાવી ભગવાનના નામે અંધભક્તો પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ સમજી વિચારીને ભગવો રંગ પસંદ કર્યો છે પણ તેમની જીવનશૈલી તેનાથી તદ્દન વિપરીત છે. તેઓ મીઠાઈ – ડ્રાયફ્રૂટ ખાઈ છે, મોંઘાદાટ મોબાઈલ – લેપટોપ – કાર વાપરે છે, પ્લેનમાં ફરે છે અને એ.સી.માં બેસે છે. બીજાને સંન્યાસની દીક્ષા આપે છે પણ તેમના પરિવારમાંથી કોઈ સંન્યાસી બનતું નથી. તેઓ પોતાની સેવા કરાવવા માટે સામાન્ય માણસોને સંન્યાસી બનાવે છે. જીવનભર હરિભક્તો પાસેથી મફતમાં સેવા-મેવા મેળવતા રહે છે. માત્ર તેમના બનાવેલા કથિત ભગવાનના નામ પર..

ઘનશ્યામ પાંડેને એક દેહધારી મહાપુરુષ કહી શકાય પણ તેમના અનુયાયીઓને તેમને ભગવાન બનાવવાનું ભૂત વળગ્યું અને આમ એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ. સનાતન ધર્મમાં સંપ્રદાય, પંથ, વાડા, જૂના મંદિર, નવા મંદિરના નામે વિભાજનની શરૂઆત કહી શકાય કે, આ કોઈ હિંદુ સંપ્રદાય નથી. સંનાતનમાંથી અલગ થયેલાઓનો એક સમૂહ છે. તેમની માન્યતાઓ, આચરણ, પૂજા, પુસ્તકો વગેરેને કારણે તેમને હિંદુ કહેવું જરા પણ યોગ્ય નથી.

- Advertisement -

શ્રી કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર લઈ કોઈપણ પાજીપલાવ જન્મે છે અને તેમના અનુયાયીઓ તેને ભગવાનથી પણ મહાન ગણાવી નવા સંપ્રદાયની સ્થાપના કરે છે. ધ્યાનથી સમજશો તો તેમની વૃત્તિ-પ્રવૃત્તિઓ પાછળનો હેતુ માત્રને માત્ર પોતાના વ્યક્તિઓ-વિચારોનું સ્થાપન કરી સ્વયંનો સ્વાર્થ સંતોષવાનો જ હોય છે. તેઓ એટલું સમજી શકતા નથી કે, ઘનશ્યામ પાંડેજી પોતે સો વર્ષ જીવી ન શક્યા અને બિમારીના કારણે મૃત્યુ પામ્યા છે તો તેઓ બીજાને અક્ષરધામમાં કેવી રીતે લઈ જઈ શકે?

સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી

સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે: બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે

ઘનશ્યામ પાંડેની શૈક્ષણિક લાયકાતનો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી. તેઓએ વેદ, ઉપનિષદ, તત્વજ્ઞાન વગેરે ધાર્મિક ગ્રંથો વાંચ્યા કે સાંભળ્યા પણ નથી. સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી.

સનાતનમાંથી બનેલા લગભગ તમામ કલ્ટ કોર્પોરેટ કંપનીઓ જેવા છે, જેની કમાણી પર માત્રને માત્ર તેમના સંચાલકોનો ઈજારો છે. અને તેમની કમાણી થાય છે ક્યાંથી? આપણા જેવા સનાતનીઓના ખિસ્સા ખંખેરી. ભક્તોને જરૂર પડે તેઓ લોન આપવા બેઠા નથી, ભક્તો પાસેથી લઈ બધું લેવા હાજરાહાજુર છે. જો ધ્યાનથી સમજશો તો શંકરાચાર્યજી દ્વારા કલ્પના કરાયેલા વાસ્તવિક હિંદુ ધર્મે જ વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત કરી હતી, પરંતુ ગુરુઘંટાલોને કારણે આ ભક્તિકાળ લગભગ લુપ્ત થઈ ગયો. અને જે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા તેમની પર બાળકો-મહિલાઓના શોષણથી લઈ મનીલોન્ડરિંગ સુધીના આરોપ લાગતા આવ્યા છે. તેઓ અંદરો-અંદર પણ ઝગડતા રહે છે. ખાનગીમાં ગરીબ-પીડિતને છેતરતા રહે અને જાહેરમાં સેવાભાવી હોવાનો ઢોંગ કરે છે. તેમાના કોઈ દૂધે ધોયેલા નથી. આ મામલે આપણે જ દુર્બુદ્ધિ દૂર કરી સદ્દબુદ્ધિ કેળવવાની જરૂર છે. ત્રિદેવ ક્યાં ટૂંકા પડે છે કે આપણે તિલકવાળાને શરણે જવું પડે છે?

સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે. બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે. જો ભવિષ્યમાં પણ સ્વામિનારાયણ જેવા સંપ્રદાયનો આ રીતે જ પ્રચાર-પ્રસાર થતો રહેશે તો એક દિવસ સનાતનનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..

હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..

સ્વામી નારાયણ સંપ્રદાયની ક્યારેય માનવામાં ન આવે તેવી માન્યતાઓ
– સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુના અવતાર છે. હજારો બ્રહ્માના, હજારો શિવના, હજારો બ્રહ્માંડો છે, તે બધા એક માત્ર શ્રીજી મહારાજ (ભગવાન સ્વામિનારાયણ)ના નિયંત્રણ હેઠળ છે. અનંતકોટી બ્રહ્માંડના સર્જક અને સંચાલક ઘનશ્યામ પાંડે છે!
– જેઓ સ્વામિનારાયણ ભવન અક્ષરધામ ધામને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય ભૌતિક જગતમાં પાછા ફરતા નથી, પરંતુ જેઓ ભગવાન કૃષ્ણ (ગોલોકધામ) અને ભગવાન રામ (વૈકુથધામ) પ્રાપ્ત કરે છે તેઓને પૃથ્વી પર આવવું પડે છે અને તેઓ ક્યારેય જન્મ-મરણ ફેરામાંથી મુક્ત થતા નથી.
– જ્યારે સહજાનંદ સ્વામીના ભક્ત મૃત્યુની નજીક હોય છે ત્યારે સહજાનંદ સ્વામી પોતે તેમના પ્રિય ભક્તને અક્ષરધામ (ભગવાનના નિવાસસ્થાન) લઈ જવા માટે આવે છે અને જ્યારે શ્રી કૃષ્ણ, શીવજી કે રામજી પોતાના ભક્તોને મૃત્યુ સમયે તેમના નિવાસ સ્થાને લેવા માટે આવતા નથી. હરિ.. હરિ..

You Might Also Like

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

રાજકોટના સીઝર મિલન: ચિરાગ રાવલ

કાળી ધોળી રંગાવલ્લી

TAGGED: HINDURELIGION, SANATAN, swaminarayansampraday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીનપીંગ આવે કે ન આવે, કોઈ ફર્ક પડતો નથી: એસ.જયશંકર
Next Article રાજકોટ બન્યું ગોકુળિયું ગામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Bhavy Raval

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?