By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    17 minutes ago
    બ્રાઝિલમાં ભારે તોફાન બાદ 79 ફૂટની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી રેપ્લિકા તૂટી, વીડિયો થયો વાયરલ
    3 hours ago
    ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે સેન્ટ્રલ મેક્સિકોમાં નાનું પ્લેન ક્રેશ થતાં 7નાં મોત, 130નું રેસ્ક્યું
    4 hours ago
    બોન્ડી બીચ ગોળીબારમાં પિતા-પુત્રની જોડીને શંકાસ્પદ તરીકે ઓળખવામાં આવી હતી
    1 day ago
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
    17 minutes ago
    ફિલ્મફેર OTT એવોર્ડ્સ 2025
    55 minutes ago
    બ્લિન્કિટ પર ગોગો પેપરનું વેચાણ બંધ, સ્વિગીના ઈન્સ્ટામાર્ટમાં વેચાણ ચાલું!
    57 minutes ago
    ભાજપ ખકઅના પુત્રના લગ્નમાં ₹70 લાખના તો ખાલી ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં જઈ વરમાળા પહેરાવતા વિવાદ
    1 hour ago
    વૃંદાવનમાં ઠાકોરજી પ્રથમવાર ‘બાલ ભોગ-શયન ભોગ’ વિહોણા રહ્યાં
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વિરાટ કોહલી અને રોહિત શર્મા ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં જોવા મળશે
    4 hours ago
    ભારતે ત્રીજી ઝ20ઈં 7 વિકેટથી જીતી: ટીમે 2-1ની લીડ લીધી, અભિષેક-ગિલની ફિફ્ટીની ભાગીદારી
    1 day ago
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    3 days ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    3 days ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    3 days ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    4 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 week ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    3 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    2 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ
Bhavy Raval

સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ

Khaskhabar Editor
Last updated: 2024/08/06 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

સ્વામિનારાયણ સંપ્રદાયના ઘનશ્યામ પાંડે ઉર્ફે નીલકંઠવર્ણી ઉર્ફે સહજાનંદ સ્વામીએ સારા કાર્યો કર્યા હશે અને તેઓ મહાન સંત હશે તેમા કોઈ શંકા નથી પરંતુ આર્ય સમાજના સ્થાપક અને મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી. અલબત્ત સહજાનંદ સ્વામીએ પોતે પણ ખુદને ભગવાન તરીકે પ્રસ્તુત કર્યા નહતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ સહજાનંદ સ્વામીને ભગવાન બનાવ્યા અને આ માટે તેમણે અન્ય ભગવાનને નિમ્ન બતાવી સહજાનંદ સ્વામીને મહાન દર્શાવ્યા. સહજાનંદ સ્વામીની લીટી મોટી કરવા અન્ય ભગવાનની લીટી નાની કરી. વાસ્તવમાં સ્વામીઓ ગમે તેટલા ધમપછાડા કરશે તો પણ સહજાનંદ સ્વામી ભગવાન બની જવાના નથી.

સહજાનંદ સ્વામીના મૃત્યુ બાદ તેમના અનુયાયીઓ એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા સ્વામીઓએ દેશ અને સમાજના ઉદ્ધાર માટે ઓછું કાર્ય કર્યું છે અને અંધશ્રદ્ધા ફેલાવી પોતાના સામ્રાજ્યનો વધુ વિસ્તાર કર્યો છે. સહજાનંદ સ્વામીના નામને ચરી ખાઈ તેમનો ધ્યેય વધુને વધુ સંપત્તિ અને સત્તા પ્રાપ્ત કરવાનો દેખાઈ રહ્યો છે. તેઓ દેશ-વિદેશમાં જમીનો ખરીદતા રહે છે, પોલિટિક્સ, ફૂડ, હેલ્થ, એજ્યુકેશન સેક્ટરમાં પોતાની પકડ જમાવતા જાય છે. તેમનામાં રહેલી અભિમાનવૃત્તિ તેમને સાંભળી કે જોઈને જ આરામથી અનુભવી શકાય છે. તેમનું સાધુસંતપણું ધાર્મિક – આધ્યાત્મિક ઓછું અને ભૌતિક વધુ માલૂમ પડે છે.

- Advertisement -

સુંદર બાંધકામ અને વિશાળ પરિસર એ બાબતની સાબિતી નથી કે તે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ છે. આ એક પ્રકારની બનાવટ છે, છળ-કપટ છે. તેમના દરેક શિલ્પ, સાહિત્ય, પ્રવચન પાછળ એક પ્રોપોગેન્ડા જોવા મળશે. તેઓ કઈપણ કરશે તેમાં ક્યાંક ઊંડે કોઈ ચાલ દેખાશે. મોક્ષ અને કર્મના નામ પર તેઓ નિર્દોષ અને ભોળી પ્રજાને મૂરખ બનાવતા આવ્યા છે. તેઓ પોતાના ગુરુને ભગવાનનું સ્વરૂપ કહીને સ્થાપિત કરી રહ્યા છે. ગુરુને ભગવાન બનાવી ભગવાનના નામે અંધભક્તો પાસેથી ઉઘરાણી કરી રહ્યા છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ સમજી વિચારીને ભગવો રંગ પસંદ કર્યો છે પણ તેમની જીવનશૈલી તેનાથી તદ્દન વિપરીત છે. તેઓ મીઠાઈ – ડ્રાયફ્રૂટ ખાઈ છે, મોંઘાદાટ મોબાઈલ – લેપટોપ – કાર વાપરે છે, પ્લેનમાં ફરે છે અને એ.સી.માં બેસે છે. બીજાને સંન્યાસની દીક્ષા આપે છે પણ તેમના પરિવારમાંથી કોઈ સંન્યાસી બનતું નથી. તેઓ પોતાની સેવા કરાવવા માટે સામાન્ય માણસોને સંન્યાસી બનાવે છે. જીવનભર હરિભક્તો પાસેથી મફતમાં સેવા-મેવા મેળવતા રહે છે. માત્ર તેમના બનાવેલા કથિત ભગવાનના નામ પર..

ઘનશ્યામ પાંડેને એક દેહધારી મહાપુરુષ કહી શકાય પણ તેમના અનુયાયીઓને તેમને ભગવાન બનાવવાનું ભૂત વળગ્યું અને આમ એક નવા સંપ્રદાયની શરૂઆત થઈ. સનાતન ધર્મમાં સંપ્રદાય, પંથ, વાડા, જૂના મંદિર, નવા મંદિરના નામે વિભાજનની શરૂઆત કહી શકાય કે, આ કોઈ હિંદુ સંપ્રદાય નથી. સંનાતનમાંથી અલગ થયેલાઓનો એક સમૂહ છે. તેમની માન્યતાઓ, આચરણ, પૂજા, પુસ્તકો વગેરેને કારણે તેમને હિંદુ કહેવું જરા પણ યોગ્ય નથી.

- Advertisement -

શ્રી કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો અવતાર લઈ કોઈપણ પાજીપલાવ જન્મે છે અને તેમના અનુયાયીઓ તેને ભગવાનથી પણ મહાન ગણાવી નવા સંપ્રદાયની સ્થાપના કરે છે. ધ્યાનથી સમજશો તો તેમની વૃત્તિ-પ્રવૃત્તિઓ પાછળનો હેતુ માત્રને માત્ર પોતાના વ્યક્તિઓ-વિચારોનું સ્થાપન કરી સ્વયંનો સ્વાર્થ સંતોષવાનો જ હોય છે. તેઓ એટલું સમજી શકતા નથી કે, ઘનશ્યામ પાંડેજી પોતે સો વર્ષ જીવી ન શક્યા અને બિમારીના કારણે મૃત્યુ પામ્યા છે તો તેઓ બીજાને અક્ષરધામમાં કેવી રીતે લઈ જઈ શકે?

સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી

સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે: બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે

ઘનશ્યામ પાંડેની શૈક્ષણિક લાયકાતનો કોઈ પુરાવો ઉપલબ્ધ નથી. તેઓએ વેદ, ઉપનિષદ, તત્વજ્ઞાન વગેરે ધાર્મિક ગ્રંથો વાંચ્યા કે સાંભળ્યા પણ નથી. સહજાનંદ સ્વામી માટે તેમના અનુયાયીઓ દ્વારા કહેવાતી મોટાભાગની વાતમાં કોઈ જ વાસ્તવિકતા નથી કે તેમના પુરાવાઓ શાસ્ત્રોમાં કે અન્ય કશે પણ ઉપલબ્ધ નથી.

સનાતનમાંથી બનેલા લગભગ તમામ કલ્ટ કોર્પોરેટ કંપનીઓ જેવા છે, જેની કમાણી પર માત્રને માત્ર તેમના સંચાલકોનો ઈજારો છે. અને તેમની કમાણી થાય છે ક્યાંથી? આપણા જેવા સનાતનીઓના ખિસ્સા ખંખેરી. ભક્તોને જરૂર પડે તેઓ લોન આપવા બેઠા નથી, ભક્તો પાસેથી લઈ બધું લેવા હાજરાહાજુર છે. જો ધ્યાનથી સમજશો તો શંકરાચાર્યજી દ્વારા કલ્પના કરાયેલા વાસ્તવિક હિંદુ ધર્મે જ વૈષ્ણવ સંપ્રદાયની શરૂઆત કરી હતી, પરંતુ ગુરુઘંટાલોને કારણે આ ભક્તિકાળ લગભગ લુપ્ત થઈ ગયો. અને જે સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા તેમની પર બાળકો-મહિલાઓના શોષણથી લઈ મનીલોન્ડરિંગ સુધીના આરોપ લાગતા આવ્યા છે. તેઓ અંદરો-અંદર પણ ઝગડતા રહે છે. ખાનગીમાં ગરીબ-પીડિતને છેતરતા રહે અને જાહેરમાં સેવાભાવી હોવાનો ઢોંગ કરે છે. તેમાના કોઈ દૂધે ધોયેલા નથી. આ મામલે આપણે જ દુર્બુદ્ધિ દૂર કરી સદ્દબુદ્ધિ કેળવવાની જરૂર છે. ત્રિદેવ ક્યાં ટૂંકા પડે છે કે આપણે તિલકવાળાને શરણે જવું પડે છે?

સ્વામિનારાયણ સંપ્રદાયવાળા તમામ તહેવારોની પરંપરાઓને માન આપે છે પરંતુ માત્ર ઘનશ્યામ પાંડેને સર્વોચ્ચ માને છે. બીજી તરફ તેઓ ગીતાને નહીં શિક્ષાપત્રીને અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કૃષ્ણને નહીં સહજાનંદ સ્વામીને સર્વોપરી માને છે. જો ભવિષ્યમાં પણ સ્વામિનારાયણ જેવા સંપ્રદાયનો આ રીતે જ પ્રચાર-પ્રસાર થતો રહેશે તો એક દિવસ સનાતનનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..

હિંદુ ધર્મનું સ્થાન ધીમેધીમે આવા સંપ્રદાય લઈ રહ્યા છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય જેવી તમામ સમસ્યાનો એક જ ઈલાજ છે, તેનો બહિષ્કાર કરો.. કારણ સંપ્રદાય ભૂલ્યા છે ધર્મ..

સ્વામી નારાયણ સંપ્રદાયની ક્યારેય માનવામાં ન આવે તેવી માન્યતાઓ
– સ્વામિનારાયણ ભગવાન વિષ્ણુના અવતાર છે. હજારો બ્રહ્માના, હજારો શિવના, હજારો બ્રહ્માંડો છે, તે બધા એક માત્ર શ્રીજી મહારાજ (ભગવાન સ્વામિનારાયણ)ના નિયંત્રણ હેઠળ છે. અનંતકોટી બ્રહ્માંડના સર્જક અને સંચાલક ઘનશ્યામ પાંડે છે!
– જેઓ સ્વામિનારાયણ ભવન અક્ષરધામ ધામને પ્રાપ્ત કરે છે તેઓ ક્યારેય ભૌતિક જગતમાં પાછા ફરતા નથી, પરંતુ જેઓ ભગવાન કૃષ્ણ (ગોલોકધામ) અને ભગવાન રામ (વૈકુથધામ) પ્રાપ્ત કરે છે તેઓને પૃથ્વી પર આવવું પડે છે અને તેઓ ક્યારેય જન્મ-મરણ ફેરામાંથી મુક્ત થતા નથી.
– જ્યારે સહજાનંદ સ્વામીના ભક્ત મૃત્યુની નજીક હોય છે ત્યારે સહજાનંદ સ્વામી પોતે તેમના પ્રિય ભક્તને અક્ષરધામ (ભગવાનના નિવાસસ્થાન) લઈ જવા માટે આવે છે અને જ્યારે શ્રી કૃષ્ણ, શીવજી કે રામજી પોતાના ભક્તોને મૃત્યુ સમયે તેમના નિવાસ સ્થાને લેવા માટે આવતા નથી. હરિ.. હરિ..

You Might Also Like

તિરુવનંતપુરમ: અનંતનું પવિત્ર નગર

થેક્કડી ટ્રાવેલર્સ ડ્રીમ ડેસ્ટિનેશન

મુન્નાર અનોખું હિલસ્ટેશન

ભારતનું વેનિસ એલ્લેપ્પી-અલાપ્પુઝા

જટાયુ અર્થ સેન્ટર

TAGGED: HINDURELIGION, SANATAN, swaminarayansampraday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જીનપીંગ આવે કે ન આવે, કોઈ ફર્ક પડતો નથી: એસ.જયશંકર
Next Article રાજકોટ બન્યું ગોકુળિયું ગામ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં રહી નર્સિંગમાં નોકરી કરતી ગિર સોમનાથની યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ઈન્સ્ટામાં રીલ બનાવી બે સોશિયલ મીડિયા ઈન્ફલુએન્સરે રેસકોર્સમાં ફિનાઈલ પી લીધું
રાજકોટની પંચનાથ હૉસ્પિટલમાં હવે મળશે GIPSA/PPN હેઠળ કેશલેસ સારવાર સુવિધા
શિયાળામાં હૂંફ આપવા ફ્રીડમ યુવા ગ્રુપનો સંકલ્પ: ફૂટપાથ અને ઝૂંપડપટ્ટીના 1200 જરૂરતમંદોને ધાબળા અપાશે!
ચિક્કીમાં થતી ભેળસેળ સામે કાર્યવાહી: રાજકોટમાં ફૂડ વિભાગે ચિક્કી, કચરીયાના 8 નમૂના લીધા
કેમરૂન ગ્રીન ઈંઙક ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી: 25 કરોડ 20 લાખમાં ઊંઊંછએ ખરીદ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

તિરુવનંતપુરમ: અનંતનું પવિત્ર નગર

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

થેક્કડી ટ્રાવેલર્સ ડ્રીમ ડેસ્ટિનેશન

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Bhavy Raval

મુન્નાર અનોખું હિલસ્ટેશન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?