જગન્નાથજી રથયાત્રાનાં આયોજનને લઇ કાલે રાત્રે મિટિંગ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જગન્નાથજી રથયાત્રા સમિતિ દ્વારા રથયાત્રા ને લઈ શનિવારે જનરલ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 1 જુલાઇના રોજ અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં પૌરાણિક જગન્નાથજી મંદિરે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાના સુચારૂં આયોજનને લઈ જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ગંધ્રપ વાડા ખાતે આવેલા જગન્નાથજી મંદિરે જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 11 ને શનિવારે રાત્રે 9 કલાકે રથયાત્રાના આયોજનને લઈ યોજાનાર જનરલ મીટીંગમાં જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના સર્વે હોદ્દેદારો, કારોબારી સભ્યો, શહેરના આગેવાનો, સ્વયંસેવકો, દાતાઓ સહિતના તમામ ધર્મપ્રેમીઓને ઉપસ્થિત રહેવા જગન્નાથ રથયાત્રા મહોત્સવ સમિતિએ જણાવ્યું છે.