ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ખલીલપુર રોડ ઉપર એક કારખાનેદારે પોતાના દિકરાના લગ્ન તેમજ પરિવારજનોની બિમારી માટે 4 લોકો પાસેથી કુલ રૂ. 19 લાખ વ્યાજે લીધા હતા. વ્યાજખોરોએ તેમના બેંક ખાતાના 12 ચેક પણ લીધા હતા. પણ કારખાનેદારે તેઓને રૂ. 29 લાખ જેવી રકમ પરત આપવા છત્તાં વ્યાજખોરોએ હજુ 10 થી 15 લાખ આપો પછીજ બધું પૂરું થાય એવી ઉઘરાણી ચાલુ રાખી.તેઓના ચક્કરમાં ફેક્ટરી અને એક પ્લોટ વેચી નાંખવાનો વારો આવ્યો હતો. આથી તેઓએ ભાગીયું જમીન વાવવા રાખી, પોતાનું ગુજરાન ચલાવવાનો વારો આવ્યો હતો. વ્યાજખોરો તેમણે ઘરે જઈ કોઈ કામ કરવા દેતા નહોતા, કલાકો બેસાડી રાખતા, ઘરના મહિલા સભ્યોને પણ રૂપિયા આપી દેવા દબાણ કરી, બેંકમાં ચેક નાખી, કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદની ધમકી આપતા.
બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો.ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની સુચનાથી બી ડિવિઝન પીઆઇ એમ. એમ. વાઢેર, સ્ટાફના ધાનીબેન, નીતિનભાઈ, વનરાજસિંહ, મુકેશભાઈ, સહિતની ટીમે વ્યાજખોરોને બોલાવી, વ્યાજ જોઈએ કે જેલ જોઈએ એમ શાનમાં સમજાવતા વ્યાજખોર ત્રાસ આપવાનું બંધ કરવાનું કહ્યું હતું.