By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    18 hours ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    18 hours ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    18 hours ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    18 hours ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો

Khaskhabar Editor
Last updated: 2025/05/08 at 11:42 AM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓની જગ્યા પર હુમલો

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. જાણો તમામ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ

- Advertisement -

100 આતંકીઓનો સફાયો  

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઇક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો થઈ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરદીકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં ઘૂસી બહાદુર સેના

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’.

- Advertisement -

મિસાઇલથી હુમલો 

ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.

ભારતના ત્રણ લોકોના નિધન

ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના નિધન થયાની પુષ્ટિ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે.

Operation Sindoor | 90થી વધુ આતંકીઓનો સફાયો, ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો 2 - image

ઉડાનો રદ 

એરઇન્ડિયાએ ચંદીગઢ, જમ્મુ, લેહ, શ્રીનગર, જામનગર, રાજકોટ, ભુજ, જોધપુર, અમૃતસર, જમ્મુની બપોર 12 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરી.

આતંકીઓના ઠેકાણા તબાહ

પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.

હિઝબુલનો ટ્રેનિંગ કેમ્પ, જૈશનું સૌથી મોટું હેડ ક્વાર્ટર, લાદેનના ફન્ડિંગવાળું મકરઝ ધ્વસ્ત

1. મરકઝ સુભાન અલ્લાહ, બહાલપુર- જૈશનું મુખ્યાલય
મરકઝ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુર શહેરની બહાર સ્થિત છે. અહીં યુવાનોને તાલીમ આપવામાં આવે છે અને તેમનું બ્રેઇનવોશ કરવામાં આવે છે. એ લગભગ 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું. પુલવામા હુમલાના આતંકવાદીઓને આ કેમ્પમાં તાલીમ આપવામાં આવી હતી.
આ મરકઝમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર, મુફ્તી અબ્દુલ રઉફ અસગર, મૌલાના અમ્માર અને 600થી વધુ સભ્યો રહે છે.

2. મરકઝ તૈયબા, મુરિદકે પંજાબ-લશ્કર કેમ્પ, લાદેને ફંડ પૂરું પાડ્યું
પાકિસ્તાનમાં લશ્કરનું સૌથી મહત્ત્વપૂર્ણ તાલીમ કેન્દ્ર
સ્થાપના- 2000, વિસ્તાર- 82 એકર
ઓસામા બિન લાદેને 1 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું હતું. 26/11ના મુંબઈ હુમલાના અજમલ કસાબ સહિત તમામ ગુનેગારોને અહીં તાલીમ આપવામાં આવી હતી.
અહીં ફક્ત પાકિસ્તાનના જ નહીં, પરંતુ અન્ય દેશોના આતંકવાદીઓને પણ તાલીમ મળે છે. લશ્કરના માસ્ટરમાઇન્ડ ગણાતા આમિર હમઝા, અબ્દુલ રહેમાન આબિદ અને ઝફર ઇકબાલ અહીં રહે છે.

3. સરજલ, તાહરા કલાં ફેસિલિટી, જૈશની મહત્ત્વપૂર્ણ લોન્ચિંગ સાઇટ
આ જગ્યાએથી ભારત-પાકિસ્તાન સરહદ નીચે સુરંગ ખોદવામાં આવી છે, જેનો ઉપયોગ આતંકવાદીઓ ઘૂસણખોરી માટે કરે છે.
આ કેન્દ્ર ભારતીય સરહદ (સાંબા સેક્ટર, જમ્મુ)થી માત્ર 6 કિમી દૂર છે.
અહીંથી ડ્રોન દ્વારા ભારતમાં શસ્ત્રો, દારૂગોળો અને ડ્રગ્સ મોકલવામાં આવે છે.
આ કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આડમાં ચલાવાય છે, જ્યાં હંમેશાં 20થી 25 આતંકવાદી તહેનાત હોય છે.

4. શવાઈ નાલા કેમ્પ, મુઝફ્ફરાબાદ- લશ્કર-એ-તૈયબા
આ કેમ્પ મુઝફ્ફરાબાદ-નીલમ રોડ (પીઓકે) પર ચેલા બાંડી બ્રિજ પાસે આવેલો છે. એને હુઝૈફા બિન યમન કેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કેમ્પમાં ફાયરિંગ રેન્જ, તાલીમ ગ્રાઉન્ડ, લશ્કર-એ-તૈયબા મદરેસા અને લગભગ 40 રૂમ છે.
અહીં 200-250 આતંકવાદીને રોકાવાની ક્ષમતા છે. સામાન્ય રીતે અહીં 40થી 50 આતંકવાદી રહે છે.
અહીં દૌરા-એ-આમ નામની બેઝિક તાલીમ આપવામાં આવે છે. આમાં લડવૈયાઓને શારીરિક તાલીમ, ૠઙજ, નકશા વાંચન અને શસ્ત્રો (રાઇફલ, ગ્રેનેડ) ચલાવવાની તાલીમ આપવામાં આવે છે.
આ છાવણીનો મુખ્ય અબુ દુજાના છે. કમર ભાઈ ટ્રેનિંગ શિડ્યૂલ જુએ છે. હાફિઝ સઈદ પણ નવા લડવૈયાઓનું સ્વાગત કરવા માટે અહીં આવતો રહે છે.
આ કેમ્પ એક સ્ટેજિંગ સેન્ટર તરીકે પણ કામ કરે છે- અહીંથી આતંકવાદીઓને ઉત્તર કાશ્ર્મીરના સરહદી વિસ્તારોમાં મોકલવામાં આવે છે.

5. મહમૂના ઝોયા, સિયાલકોટ- હિઝબુલ મુજાહિદ્દીનનો ટ્રેનિંગ કેમ્પ
પંજાબ (પાકિસ્તાન)માં કોટલી ભુટ્ટા સરકારી હોસ્પિટલ પાસે આવેલું છે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી LoCની મદદથી સ્થાપના થઈ હતી.
આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા અને શસ્ત્રોની દાણચોરી કરવા માટે તાલીમ આપવામાં આવે છે. અહીં હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના લડવૈયાઓ તાલીમ લે છે.
મોહમ્મદ ઈરફાન ખાન, અબુ લાલા, માજભાઈ અને ઈરફાન ખુમાન જેવા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ અહીંથી કામ કરે છે. સામાન્ય રીતે અહીં 25થી 30 આતંકવાદી રહે છે.

6. મરકઝ અહલે હદીસ, બરનાલા (POK)- લશ્કર-એ-તૈયબાનો મુખ્ય આધાર
એનો ઉપયોગ પૂંછ, રાજૌરી, રિયાસી સેક્ટરમાં આતંકવાદીઓ અને હથિયારોની ઘૂસણખોરી માટે થાય છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરતાં પહેલાં અહીં લાવવામાં આવે છે અને રાખવામાં આવે છે.
આ મરકઝમાં 100-150 આતંકવાદીને રહેવાની વ્યવસ્થા છે. સામાન્ય રીતે અહીં 40-50 આતંકવાદી હોય છે.
કાસિમ ગુજ્જર, કાસિમ ખાંડા, અનસ ઝરાર, બહુબ (મોહમ્મદ અમીન બટ્ટ) ઘણી વખત અહીં આવ્યા છે.

7. મરકઝ અબ્બાસ, કોટલી, જૈશનું મુખ્ય કેન્દ્ર
એ POKના કોટલી શહેરમાં લશ્કરી છાવણીથી 2 કિમી દૂર સ્થિત છે.
આ ઈમારતમાં 100થી 125 જૈશ કેડરોને રોકાવાની ક્ષમતા છે.
હાફિઝ અબ્દુલ શકુર ઉર્ફે કારી જરાર તેનો વડા છે. ઝરાર જૈશ-એ-મોહમ્મદની શૂરા કાઉન્સિલનો સભ્ય છે.
2016માં જમ્મુના નાગરોટામાં ભારતીય સૈન્ય કેમ્પ પર થયેલા હુમલાના સંબંધમાં NAI દ્વારા ઝરારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

8. મસ્કર રાહિલ શાહિદ, કોટલી (POK)- હિઝબુલનું તાલીમ કેન્દ્ર
એ સૂમસામ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે, જ્યાં ફક્ત કાચા રસ્તા દ્વારા જ પહોંચી શકાય છે.
અહીં આતંકવાદીઓને હથિયારો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. સ્નાઈપર્સને ખાસ તાલીમ આપવામાં આવે છે.
પર્વતોમાં યુદ્ધ અને અસ્તિત્વ ટકાવી રાખવાની તાલીમ પણ આપવામાં આવે છે.
આ કેમ્પમાં 150-200 આતંકવાદી કેડર રાખવાની વ્યવસ્થા છે. સામાન્ય રીતે અહીં 25-30 આતંકવાદી હાજર હોય છે.
આ કેમ્પનું નિરીક્ષણ અબુ માઝ દ્વારા કરવામાં આવે છે. આ પહેલાં હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન પોતે નવા કાર્યકરોને તાલીમ આપતો હતો.
આતંકવાદીઓનાં પોસ્ટર, વીડિયો અને ફોટોગ્રાફ્સ અહીં રાખવામાં આવે છે, જેથી નવા કાર્યકરોને કટ્ટરપંથી બનાવી શકાય.

9. સૈયદના બિલાલ કેમ્પ, મુઝફ્ફરાબાદ – જૈશ-એ-મોહમ્મદ
એ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ કજ્ઞઈની ખૂબ નજીક છે.
આ કેમ્પ એક પરિવહન સુવિધા તરીકે કામ કરે છે, એટલે કે અહીંથી આતંકવાદીઓને જમ્મુ અને કાશ્ર્મીરમાં ઘૂસણખોરી કરવા મોકલવામાં આવે છે.
જૈશ-એ-મોહમ્મદના 50થી 100 આતંકવાદી છે.
ભારત આવતાં પહેલાં એનો ઉપયોગ છેલ્લા સ્ટોપ તરીકે થાય છે.
આ કેમ્પ મુફ્તી અસગર ખાન કાશ્મીરી દ્વારા ચલાવવામાં આવે છે.

You Might Also Like

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી

દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ

TAGGED: Indian Forces Strike Terror Camps in Pakistan and PoK, Operation Sindoor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ
Next Article પાકિસ્તાનને એવો જવાબ આપો કે ભારતની સામે કોઈ પણ પગલું ભરતા પહેલા 100 વાર વિચારે: અસદુદ્દીન ઓવૈસી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?