By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત અને પાકિસ્તાન વચ્ચે ન્યૂક્લિયર વોર થઈ હોત, અમે એને રોકી: ટ્રમ્પ
    14 hours ago
    દુબઈમાં કેરળ સમુદાય દ્વારા પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનું સ્વાગત કરવામાં આવતા લોકોમાં રોષ: ‘શરમજનક’
    17 hours ago
    ટ્રમ્પની ટેરિફ વોર: અમેરિકામાં વિદેશી સ્ટીલ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યું
    18 hours ago
    બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનના સુરાબ શહેર પર કબજો કર્યો
    19 hours ago
    1 જુલાઈથી ફ્રાન્સમાં જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ, નિયમ ભંગ કરનારને 13 હજાર રૂપિયાનો દંડ કરાશે
    19 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે
    17 hours ago
    ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ
    17 hours ago
    PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો
    18 hours ago
    થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું
    18 hours ago
    ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બબાલ, મેદાનમાં બાખડ્યા
    3 days ago
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    3 days ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    4 days ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    5 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    લગ જા ગલે નામની ફિલ્મમાં ટાઈગર સાથે જાહ્નવી દેખાશે! લોકોએ કરી ટીકા
    2 days ago
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    4 days ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    5 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    5 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 days ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    6 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    2 weeks ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 days ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 week ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    3 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો
ખાસ-ખબરરાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર: ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો

Khaskhabar Editor
Last updated: 2025/05/08 at 11:42 AM
Khaskhabar Editor 4 weeks ago
Share
8 Min Read
SHARE

થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓની જગ્યા પર હુમલો

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન તથા PoKમાં એરસ્ટ્રાઇક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના પોણા બે વાગ્યે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણા પર હુમલો કર્યો. જાણો તમામ મહત્ત્વપૂર્ણ અપડેટ્સ

- Advertisement -

100 આતંકીઓનો સફાયો  

ઓપરેશન સિંદૂર હેઠળ ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એરસ્ટ્રાઇક બાદ એક મોટી અપડેટ સામે આવી છે. ભારતના હવાઈ હુમલામાં કુલ 100 આતંકીઓનો સફાયો થઈ ગયાની માહિતી મળી રહી છે. પાકિસ્તાનના મુરદીકેમાં 30 આતંકીઓ માર્યા ગયા છે. જ્યારે અન્ય બીજા આતંકી કેમ્પમાં પણ ડઝનેક આતંકીઓનો સફાયો થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે લગભગ 9 જેટલા આતંકી ઠેકાણે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

પાકિસ્તાનમાં ઘૂસી બહાદુર સેના

ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઇક કરવામાં આવી છે. એરસ્ટ્રાઇક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતાં કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’.

- Advertisement -

મિસાઇલથી હુમલો 

ભારતીય સેનાએ કોટલી, બહાવલપુર, મુઝફ્ફરાબાદ પર મિસાઇલથી હુમલો પણ કર્યો છે. ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે જેનો BSF જડબાતોડ જવાબ આપી રહી છે. ANI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વરિષ્ઠ અધિકારીઓ સાથે સતત ઓપરેશન સિંદૂર પર નજર રાખી રહ્યા છે.

ભારતના ત્રણ લોકોના નિધન

ભારતની એરસ્ટ્રાઇક બાદ પાકિસ્તાને LoC પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. ભારતીય સેન પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાનના ગોળીબારમાં ભારતના ત્રણ લોકોના નિધન થયાની પુષ્ટિ ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે.

Operation Sindoor | 90થી વધુ આતંકીઓનો સફાયો, ભારતે પાકિસ્તાનમાં કહેર વરસાવ્યો 2 - image

ઉડાનો રદ 

એરઇન્ડિયાએ ચંદીગઢ, જમ્મુ, લેહ, શ્રીનગર, જામનગર, રાજકોટ, ભુજ, જોધપુર, અમૃતસર, જમ્મુની બપોર 12 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ્સ રદ કરી.

આતંકીઓના ઠેકાણા તબાહ

પ્રાથમિક અહેવાલો અનુસાર ભારતીય સેનાએ મુખ્યત્વે આતંકવાદી સંગઠન જૈશ-એ-મહોમ્મદ અને લશ્કરના ઠેકાણાઓને નિશાને લીધા હતા.

હિઝબુલનો ટ્રેનિંગ કેમ્પ, જૈશનું સૌથી મોટું હેડ ક્વાર્ટર, લાદેનના ફન્ડિંગવાળું મકરઝ ધ્વસ્ત

1. મરકઝ સુભાન અલ્લાહ, બહાલપુર- જૈશનું મુખ્યાલય
મરકઝ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુર શહેરની બહાર સ્થિત છે. અહીં યુવાનોને તાલીમ આપવામાં આવે છે અને તેમનું બ્રેઇનવોશ કરવામાં આવે છે. એ લગભગ 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે.

14 ફેબ્રુઆરી 2019ના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનું આયોજન અહીં જ કરવામાં આવ્યું હતું. પુલવામા હુમલાના આતંકવાદીઓને આ કેમ્પમાં તાલીમ આપવામાં આવી હતી.
આ મરકઝમાં જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર, મુફ્તી અબ્દુલ રઉફ અસગર, મૌલાના અમ્માર અને 600થી વધુ સભ્યો રહે છે.

2. મરકઝ તૈયબા, મુરિદકે પંજાબ-લશ્કર કેમ્પ, લાદેને ફંડ પૂરું પાડ્યું
પાકિસ્તાનમાં લશ્કરનું સૌથી મહત્ત્વપૂર્ણ તાલીમ કેન્દ્ર
સ્થાપના- 2000, વિસ્તાર- 82 એકર
ઓસામા બિન લાદેને 1 કરોડ રૂપિયાનું ભંડોળ પૂરું પાડ્યું હતું. 26/11ના મુંબઈ હુમલાના અજમલ કસાબ સહિત તમામ ગુનેગારોને અહીં તાલીમ આપવામાં આવી હતી.
અહીં ફક્ત પાકિસ્તાનના જ નહીં, પરંતુ અન્ય દેશોના આતંકવાદીઓને પણ તાલીમ મળે છે. લશ્કરના માસ્ટરમાઇન્ડ ગણાતા આમિર હમઝા, અબ્દુલ રહેમાન આબિદ અને ઝફર ઇકબાલ અહીં રહે છે.

3. સરજલ, તાહરા કલાં ફેસિલિટી, જૈશની મહત્ત્વપૂર્ણ લોન્ચિંગ સાઇટ
આ જગ્યાએથી ભારત-પાકિસ્તાન સરહદ નીચે સુરંગ ખોદવામાં આવી છે, જેનો ઉપયોગ આતંકવાદીઓ ઘૂસણખોરી માટે કરે છે.
આ કેન્દ્ર ભારતીય સરહદ (સાંબા સેક્ટર, જમ્મુ)થી માત્ર 6 કિમી દૂર છે.
અહીંથી ડ્રોન દ્વારા ભારતમાં શસ્ત્રો, દારૂગોળો અને ડ્રગ્સ મોકલવામાં આવે છે.
આ કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આડમાં ચલાવાય છે, જ્યાં હંમેશાં 20થી 25 આતંકવાદી તહેનાત હોય છે.

4. શવાઈ નાલા કેમ્પ, મુઝફ્ફરાબાદ- લશ્કર-એ-તૈયબા
આ કેમ્પ મુઝફ્ફરાબાદ-નીલમ રોડ (પીઓકે) પર ચેલા બાંડી બ્રિજ પાસે આવેલો છે. એને હુઝૈફા બિન યમન કેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કેમ્પમાં ફાયરિંગ રેન્જ, તાલીમ ગ્રાઉન્ડ, લશ્કર-એ-તૈયબા મદરેસા અને લગભગ 40 રૂમ છે.
અહીં 200-250 આતંકવાદીને રોકાવાની ક્ષમતા છે. સામાન્ય રીતે અહીં 40થી 50 આતંકવાદી રહે છે.
અહીં દૌરા-એ-આમ નામની બેઝિક તાલીમ આપવામાં આવે છે. આમાં લડવૈયાઓને શારીરિક તાલીમ, ૠઙજ, નકશા વાંચન અને શસ્ત્રો (રાઇફલ, ગ્રેનેડ) ચલાવવાની તાલીમ આપવામાં આવે છે.
આ છાવણીનો મુખ્ય અબુ દુજાના છે. કમર ભાઈ ટ્રેનિંગ શિડ્યૂલ જુએ છે. હાફિઝ સઈદ પણ નવા લડવૈયાઓનું સ્વાગત કરવા માટે અહીં આવતો રહે છે.
આ કેમ્પ એક સ્ટેજિંગ સેન્ટર તરીકે પણ કામ કરે છે- અહીંથી આતંકવાદીઓને ઉત્તર કાશ્ર્મીરના સરહદી વિસ્તારોમાં મોકલવામાં આવે છે.

5. મહમૂના ઝોયા, સિયાલકોટ- હિઝબુલ મુજાહિદ્દીનનો ટ્રેનિંગ કેમ્પ
પંજાબ (પાકિસ્તાન)માં કોટલી ભુટ્ટા સરકારી હોસ્પિટલ પાસે આવેલું છે.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી LoCની મદદથી સ્થાપના થઈ હતી.
આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા અને શસ્ત્રોની દાણચોરી કરવા માટે તાલીમ આપવામાં આવે છે. અહીં હિઝબુલ મુજાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના લડવૈયાઓ તાલીમ લે છે.
મોહમ્મદ ઈરફાન ખાન, અબુ લાલા, માજભાઈ અને ઈરફાન ખુમાન જેવા હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ અહીંથી કામ કરે છે. સામાન્ય રીતે અહીં 25થી 30 આતંકવાદી રહે છે.

6. મરકઝ અહલે હદીસ, બરનાલા (POK)- લશ્કર-એ-તૈયબાનો મુખ્ય આધાર
એનો ઉપયોગ પૂંછ, રાજૌરી, રિયાસી સેક્ટરમાં આતંકવાદીઓ અને હથિયારોની ઘૂસણખોરી માટે થાય છે. આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરતાં પહેલાં અહીં લાવવામાં આવે છે અને રાખવામાં આવે છે.
આ મરકઝમાં 100-150 આતંકવાદીને રહેવાની વ્યવસ્થા છે. સામાન્ય રીતે અહીં 40-50 આતંકવાદી હોય છે.
કાસિમ ગુજ્જર, કાસિમ ખાંડા, અનસ ઝરાર, બહુબ (મોહમ્મદ અમીન બટ્ટ) ઘણી વખત અહીં આવ્યા છે.

7. મરકઝ અબ્બાસ, કોટલી, જૈશનું મુખ્ય કેન્દ્ર
એ POKના કોટલી શહેરમાં લશ્કરી છાવણીથી 2 કિમી દૂર સ્થિત છે.
આ ઈમારતમાં 100થી 125 જૈશ કેડરોને રોકાવાની ક્ષમતા છે.
હાફિઝ અબ્દુલ શકુર ઉર્ફે કારી જરાર તેનો વડા છે. ઝરાર જૈશ-એ-મોહમ્મદની શૂરા કાઉન્સિલનો સભ્ય છે.
2016માં જમ્મુના નાગરોટામાં ભારતીય સૈન્ય કેમ્પ પર થયેલા હુમલાના સંબંધમાં NAI દ્વારા ઝરારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

8. મસ્કર રાહિલ શાહિદ, કોટલી (POK)- હિઝબુલનું તાલીમ કેન્દ્ર
એ સૂમસામ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે, જ્યાં ફક્ત કાચા રસ્તા દ્વારા જ પહોંચી શકાય છે.
અહીં આતંકવાદીઓને હથિયારો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે. સ્નાઈપર્સને ખાસ તાલીમ આપવામાં આવે છે.
પર્વતોમાં યુદ્ધ અને અસ્તિત્વ ટકાવી રાખવાની તાલીમ પણ આપવામાં આવે છે.
આ કેમ્પમાં 150-200 આતંકવાદી કેડર રાખવાની વ્યવસ્થા છે. સામાન્ય રીતે અહીં 25-30 આતંકવાદી હાજર હોય છે.
આ કેમ્પનું નિરીક્ષણ અબુ માઝ દ્વારા કરવામાં આવે છે. આ પહેલાં હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન પોતે નવા કાર્યકરોને તાલીમ આપતો હતો.
આતંકવાદીઓનાં પોસ્ટર, વીડિયો અને ફોટોગ્રાફ્સ અહીં રાખવામાં આવે છે, જેથી નવા કાર્યકરોને કટ્ટરપંથી બનાવી શકાય.

9. સૈયદના બિલાલ કેમ્પ, મુઝફ્ફરાબાદ – જૈશ-એ-મોહમ્મદ
એ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે એ કજ્ઞઈની ખૂબ નજીક છે.
આ કેમ્પ એક પરિવહન સુવિધા તરીકે કામ કરે છે, એટલે કે અહીંથી આતંકવાદીઓને જમ્મુ અને કાશ્ર્મીરમાં ઘૂસણખોરી કરવા મોકલવામાં આવે છે.
જૈશ-એ-મોહમ્મદના 50થી 100 આતંકવાદી છે.
ભારત આવતાં પહેલાં એનો ઉપયોગ છેલ્લા સ્ટોપ તરીકે થાય છે.
આ કેમ્પ મુફ્તી અસગર ખાન કાશ્મીરી દ્વારા ચલાવવામાં આવે છે.

You Might Also Like

ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ

PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો

થરૂરની નારાજગી બાદ કોલંબિયાએ પાકિસ્તાન અંગેનું નિવેદન પાછું ખેંચ્યું

ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી: કેદારનાથ હાઇવે પર ભૂસ્ખલન, એક શ્રદ્ધાળુનું મોત, પાંચ લોકો ઘાયલ થયા

TAGGED: Indian Forces Strike Terror Camps in Pakistan and PoK, Operation Sindoor
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક બાદ ભારતભરમાં ઍલર્ટ, અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ
Next Article પાકિસ્તાનને એવો જવાબ આપો કે ભારતની સામે કોઈ પણ પગલું ભરતા પહેલા 100 વાર વિચારે: અસદુદ્દીન ઓવૈસી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખાખીને કલંકિત કરતી ઘટના, અમરેલીમાં બે પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
શાપરમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના 7 વર્ષના બાળકને કૂતરાંના ટોળાંએ ફાડી ખાધો
ઉચાપત કેસમાં જે. કે. ટ્રેડિંગના બંને ભાગીદારોને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
લાજપોર મધ્યસ્થ જેલ ખાતે CPR તાલીમ તેમજ મેડીકલ કેમ્પનું આયોજન
મોરબીમાં સાવકા પિતા એ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું, પત્નીએ છાતીમાં પાટા મારી હત્યા કરી નાખી
મોરબીમાં સરકારના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે 1 દિવસીય વર્કશોપ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપ સાથે આગામી 4-5 દિવસ સુધી ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને સૌથી પહેલા સંપર્ક કરી સીઝફાયરની રજૂઆત કરી હતી: પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

PM મોદી ભોપાલમાં, દેવી અહલ્યાબાઈ મહિલા શક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?