ફાઈનલ મેચમાં રાજકોટની ટીમ ફરી એક વખત વિજેતા બની
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટના આંગણે તાજેતરમાં ઓપન ગુજરાત નાગર જ્ઞાતિ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વ. કમળાબેન નિશિતભાઈ ભુજ, સ્વ. પ્રીતિબેન વિરેન્દ્રરાય માકડ તથા સ્વ. સોનલબેન અક્ષિતભાઈ છાયાના સ્મરણાર્થે તૃપ્તિ કપ રમાડવામાં આવેલ. જેમાં ફાઇનલ મેચમાં રાજકોટ એ અને જામનગરની ટીમ આવી હતી. રસાકસી ભર્યા આ ફાઇનલ મેચમાં રાજકોટની ટીમ ફરી એક વખત વિજેતા બનેલ. રાજકોટની ટીમ છેલ્લા આઠ વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં નાગર જ્ઞાતિની તેની ટુર્નામેન્ટમાં સતત ચેમ્પિયન થતી આવે છે.
- Advertisement -
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કમિટી મેમ્બરો ગૌરાંગભાઈ બૂચ, નીરજભાઈ ઓઝા, ધ્રુવીન છાયા, અજય ઓઝા, હેમલ બક્ષી, ધવલભાઇ અંતાણી, હિતેશ માંકડ, ચિરાગ પંડ્યા, તેજસ ઓઝા તથા અન્ય મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી. ફાઇનલના મેન ઓફ ધ મેચ હિમેશ ઓઝા થયા હતા. આ ટુર્નામેન્ટના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ધ્રુવીનભાઈ છાયા મેન ઓફ ધી સીરીઝ, હેમલ બક્ષી બેસ્ટ બેટ્સમેન, દેવર્ષિ હાથી બેસ્ટ બોલર, પાર્થિવ છાયા બેસ્ટ વિકેટકીપર તથા નમન વોરા બેસ્ટ ફિલ્ડર બનેલા હતા.