‘સ્વસ્તિક હાઈલેન્ડસ’ની જેમ અહીં પણ બિલ્ડર દ્વારા મોટાં-મોટાં દાવાઓ કરાયા છે
‘દરેક પ્રકારની મોડર્ન એમેનિટિઝ’નો વાયદો, પરંતુ કઈ-કઈ એમેનિટિઝ છે- તેનો ફોડ પાડીને કશો જ ઉલ્લેખ નહીં
મવડી વિસ્તારમાં, પુનિતનગર- સર્વોદય સ્કૂલ પાસે બની રહેલાં પ્રોજેક્ટમાં રોકાણ કરતાં પહેલાં આ જ ગ્રુપનાં રૈયાધાર પર આવેલા પ્રોજેક્ટનાં ગ્રાહકોનો અભિપ્રાય લઈ લેજો!
- Advertisement -
શહેરનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ કોલોની ‘સ્વસ્તિક હાઈલેન્ડસ’નાં બિલ્ડર્સ દ્વારા ફ્લેટ ધારકોને થતાં અન્યાય વિશે ‘ખાસ-ખબર’માં ગઈકાલે વિગતવાર અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. આ સોસાયટીનાં રહેવાસીઓને બિલ્ડરે ચાંદ-તારા દેખાડીને ફ્લેટસનું વેંચાણ કર્યું હતું અને આજે હવે ફ્લેટ હોલ્ડરોએ દરેક નાની-મોટી સુવિધાઓ માટે રઝળવું પડે છે. આ અંગેનો વિસ્તૃત – વિગતવાર અહેવાલ પુરાવા સાથે પ્રકાશિત થતાં જ આ જ બિલ્ડરોની મવડી સર્વોદય સ્કૂલ પાસે ચાલતા ‘સ્વસ્તિક હાઈટસ’ નામનાં પ્રોજેક્ટનાં ગ્રાહકોમાં પણ નાસભાગ મચી ગઈ છે.
વિગત એવી છે કે, ‘સ્વસ્તિક હાઈલેન્ડસ’માં અનેક પ્રકારે ગ્રાહકોને ઉલ્લુ બનાવ્યા બાદ આ જ બિલ્ડરો દ્વારા હવે મવડી વિસ્તારમાં ‘સ્વસ્તિક હાઈટ્સ’ નામનો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે. હાઈલેન્ડસમાં જેમ મોટાં મોટાં વાયદાઓ કર્યા હતાં તેમ અહીં પણ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે, આ કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં ફ્લેટસ લકઝરિયસ હશે, નેચર લાઈટ માટે, મહત્તમ હવાઉજાસ માટે ખૂબ જગ્યા ખુલ્લી રખાશે, તમામ મોડર્ન એમેનિટિઝ અપાશે…
ફલેટ અને દુકાન માટે આવા તો અનેક વાયદાઓ કરાયા છે. પરંતુ સ્વસ્તિક હાઈલેન્ડસનાં અનુભવ પછી આ નવા પ્રોજેક્ટમાં કેટલો વિશ્ર્વાસ મૂકવો એ સૌને અવઢવ છે.
સ્વસ્તિક હાઈલેન્ડસનાં અનુભવ
પછી નવા પ્રોજેક્ટમાં કેટલો વિશ્ર્વાસ મૂકવો એ સૌને અવઢવ
‘ખાસ-ખબર’નાં અહેવાલ પછી બિલ્ડરનો ફ્લેટ ધારકોને ગર્ભીત ધમકી આપતો મેસેજ
ઉપરોક્ત જવાબદારી માટે 2 દિવસના સમયના બદલે
6 દિવસ થયા હોવા છતાં કોઈપણ ટાવરના કોઈ સભ્ય જવાબદારી માટે આગળ આવ્યા નથી. ઓફીસ દ્વારા આપને સહયોગ આપવા છતાં આપ સભ્યો દ્વારા સહયોગ મળતો નથી. આથી હવે આપ સભ્યો દ્વારા 6 સભ્યોની ટીમ બને કે નો બને, હવેથી ઓફીસ દ્વારા બહારથી વેચાતું પાણીની વ્યવસ્થા કરવામાં આવશે નહીં અને અત્યાર સુધી આ 7 દિવસ દરમ્યાન આપની સગવડતા જાળવવા માટે 20 ટેન્કર બહારથી મંગાવેલ જેનો ખર્ચ આશરે રૂા. 20000 એસોસિએશનની
આવકમાંથી કાપવામાં આવશે. આપ દ્વારા 6 સભ્યોની યોગ્ય ટીમ તાત્કાલિક બની હોત તો અમુક સભ્યોના સામાન્ય પ્રશ્ર્નોના નીરાકરણ ટીમ દ્વારા કરી શકાય, તેનો એક-એક કરીને પ્રત્યક્ષ નીરાકરણ અમે ન કરી શકિએ. બીજું અત્યારે કોર્પોરેશનનું પાણી કનેક્શન માટે પણ સોસાયટી દ્વારા અરજી કરી કેવી રીતે મેળવી શકાય, અને આગળ જતા સોસાયટી ફંડ ખૂટે તો શું કરવું તેનું માર્ગદર્શન ઓફીસમાંથી આપવામાં આવત.
– બિલ્ડર દ્વારા મોકલાયેલો મેસેજ