પ્રબોધ સ્વામી જૂથ દ્વારા જિલ્લા પોલીસવડાને આવેદન આપી રજૂઆત કરાઈ
હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણીના લેટરમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા પ્રબોધ સ્વામીનું જૂથ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા પહોંચ્યું હતું. પ્રબોધ સ્વામીના જૂથના સભ્યોએ રજૂઆત કરી કે હાઈકોર્ટમાં કેસ ચાલે છે ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ કેમ? યોગી ડીવાઈન સોસાયટીના લેટરહેડ પર આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીની સહી કેમ તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.
- Advertisement -
ચાદર ઓઢાડવાના પ્રોગ્રામ થતાં જ નથી
પ્રબોધસ્વામી જૂથના એક ભક્તે જણાવ્યું હતું કે, અમારી એક જ માંગણી છે કે હરિધામ સોખડામાં આગામી 11 મેએ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તે ધામધૂમથી ઉજવવો જોઇએ. પરંતુ તેમાં યોગી ડિવાઇન સોસાયટીના લેટર પેડ પર જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તેમા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હરિપ્રસાદ સ્વામીના અનુગામી તરીકે તેમને ચાદર ઓઢાડવાનો કાર્યક્રમ યોજાશે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવા કોઇ ચાદર ઓઢાડવાના કોઇપણ પ્રોગ્રામ થતાં જ નથી.
શું છે ચાદરવિધિ?
કોઈ મંદિર કે આશ્રમના મુખ્ય સંતનું જ્યારે અવસાન થાય ત્યારે તેમના ઉત્તરાધિકારી તરીકે જે સંતની નિમણૂક કરવામાં આવે ત્યારે તેમને ચાદર ઓઢાડવામાં આવે છે. આ વિધિને ચાદરવિધિ કહેવામાં આવે છે. જો હરિધામ સોખડામાં પ્રેમસ્વરૂપ સ્વામીની ચાદરવિધિ થાય તો તેઓ હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી કહેવાશે.
હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીના વિવાદ મુદ્દે બંને પક્ષો વચ્ચે થઇ બેઠક
- Advertisement -
હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીનો વિવાદ મુદ્દે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન માટે બેઠક થઈ હતી. બેઠકમાં બંને પક્ષો તરફથી હકારાત્મક ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે.આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ અંગે વિશેષ ચર્ચા કરાઇ હતી. હવે 12 મેના રોજ ફરી બેઠકમાં ચર્ચા કરાશે. હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહની હાજરીમાં બેઠક થશે. હરિધામ સોખડા મંદિર સંસ્થાનમાં ફરીથી યોગ્ય વાતાવરણ સ્થપાય તેવા પ્રયાસો કરાશે. સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં આ બેઠક મળી હતી. 13 જૂન સુધીમાં કોર્ટને મીડિયેશન રિપોર્ટ આપવો પડશે. બેઠકમાં પ્રબોધ સ્વામી દ્વારા કેટલીક શરતો મૂકવામાં આવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં પ્રેમસ્વરૂપ સ્વામીએ સ્વીકારવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. પ્રબોધ સ્વામીએ મુકેલી શરતોમાં જે પગલા ટ્રસ્ટ માટે લેવાયા છે તે પાછા ખેંચવામાં આવે અને ગુરુની હાજરીમાં જે પરિસ્થિતિ હતી તે પરિસ્થિતિ ફરી રાખવામાં આવે તેવું જણાવાયું હતું. આ મિટિંગમાં હરિધામ સોખડા સંસ્થામાં પ્રેમ વિશ્વાસનું વાતાવરણ કેળવાય તે માટે સમાધાની વલણ અપનાવવા અંગે પણ ચર્ચા થી હતી. સંસ્થામાં બંને જૂથે સંપીને સંસ્થા ચલાવવા માટે પણ કહેવામાં આવ્યું હતું. હરિપ્રસાદ સ્વામીની સંસ્થા સાથે મળીને ચલાવવામાં આવે તેવું સુચન કરાવામાં આવ્યું હતું. હરિધામ સોખડા મંદિર વિવાદ સમાપ્ત કરવા માટે હાઇકોર્ટની મધ્યસ્થીમાં બેઠકનું આયોજન થઈ રહ્યું છે તેની વચ્ચે ગઈ કાલે વધુ એક વવાદ સામે આવ્યો હતો. મંદિરમાં અત્યારે અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના પ્રગાટ્ય દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત યોગી ડિવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને પ્રેમ સ્વરૂપ સ્વામીને ચાદર ઓઢાડવાના જ્ઞાન વલ્લભ સ્વામીના પત્રને લઈને વિવાદ સર્જાયો છે. આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિવાદ વધુ વકર્યો છે. પ્રબોધ સ્વામી જૂથે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. તેઓએ કહ્યું કે ચાદર ઓઢાડવાનું સન્માન ગાદીપતિને જ મળી શકે છે. હરિભક્તોનું કહેવું છે કે હાઈકોર્ટમાં 9મી તારીખે સમાધાન મુદ્દે બેઠક થવાની છે ત્યારે બેઠક પૂર્વે ચાદર ઓઢાડવાની પ્રક્રિયા ન થવી જોઈએ.
યોગી ડિવાઈન સોસાયટીની 10 હજાર કરોડની સંપત્તિ પર ત્યાગવલ્લભ સ્વામીનો ડોળો
ખાસ-ખબર સંવાદદાતા
અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડાનો પાયો નાંખનારા હરિપ્રસાદ સ્વામીનું એક વર્ષ પહેલા નિધન થયા પછીથી સંસ્થાની મિલકતોના વારસદારો વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો છે અને મામલો છેક હાઈકોર્ટ સુધી પહોચ્યો છે. જાણવા મળ્યા મુજબ, હરિપ્રસાદ સ્વામીએ બનાવેલી યોગી ડિવાઈન સોસાયટી પાસે દેશભરમાં મંદિરો, આશ્રમો, જમીનો અને 560 કિલો સોના સહિત કરોડો રૂપિયાની સંપત્તિ છે અને આ સંપત્તિ પર ત્યાગવલ્લભ સ્વામીનો ડોળો છે તેવું હરીભક્તોમાં ચર્ચાઈ રહ્યું છે. હરિપ્રસાદ સ્વામીએ બીએપીએસ સંસ્થામાંથી 30મે 1966ના રોજ છૂટા થયા પછી સોખડા આવી ગયા હતા. 1971માં માત્ર પાંચ સ્વામીઓને દીક્ષા અપાઈ અને સોખડા આશ્રમનો પાયો નંખાયો હતો. અહીં તેમણે યોગી ડિવાઈન સોસાયટીની સ્થાપના કરીને હરિધામ સોખડાનું નિર્માણ કર્યું હતું. આ સોસાયટી પાસે 560 કિલો સોના ઉપરાંત મંદિરો, આશ્રમો, જમીનો સહિત 10 હજાર કરોડની સંપત્તિ છે. ગત વર્ષે 27 જુલાઈ, 2021એ હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા તે પછી તેમના આધ્યાત્મિક વારસદારો અને સ્થાવર-જંગમ સંપત્તિના વારસદારો વચ્ચે જંગ શરૂ થયો છે. આ મામલો હવે હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હરિપ્રસાદ સ્વામીના અંતિમ સંસ્કાર પછી સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયની જવાબદારી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને સોંપાઈ હતી. સંપ્રદાયની જવાબદારી એકના બદલે બે સંતોને સોંપાતા ઝઘડાના મૂળ રોપાયાં હતા. ચાલતી ચર્ચા મુજબ, યોગી ડિવાઈન સોસાયટી પાસે જે સંપત્તિઓ છે તેના ભાગલાને લઈને ચાલતા કેસમાં સોમવારે બંને જૂથના આગેવાન સંતોની મહત્વની બેઠક યોજાઈ હતી. આ સોસાયટી પાસેની સંપત્તિની વાત કરીએ તો સોખડામાં 25 વીઘામાં મંદિર, સંતનિવાસ, સ્વામીજી નિવાસ, ઉતારાઓ, હરિપ્રસાદ સ્વામીજીનું નિવાસ સ્થાન અને 150 વિઘા ખેતીની જમીન. આ ઉપરાંત વાઘોડિયામાં 400 વિધા ખેતીની જમીન આવેલી છે. યોગી ડિવાઈન સોસાયટી પાસે વડોદરાના માંજલપુર વિસ્તારમાં ચાર વિધામાં ફેલાયેલા સત્સંગ હોલ સહિતની સંપત્તિ છે. રાજપીપળા નજીક કાળીડોળી ગામે 100 વિધા ખેતીની જમીન છે. આ ઉપરાંત દિલ્હીમાં 4 વિઘાનું ફાર્મ હાઉસ, મુંબઈના કાંદીવલીમાં મંદરિ, ગોરેગાંવમાં પાંચ વિધા જમીન પર સંત્સંગ હોલ સહિતની સુવિધાઓ, જુહુમાં 100 કરોડની પ્રોપર્ટી છે. કરજણમાં 2 લાખ સ્ક્વેર ફૂટ જમીન, સત્સંગ હોલ છે. બાકરોલના વિદ્યાનગરમાં આત્મિય વિદ્યાધામ સ્કૂલ, મંદિર, સત્સંગ ોલ સહિત 200 કરોડની પ્રોપ્રટી આ સંસ્થાના નામે છે. અમદાવાદના નિર્ણય નગરમાં આત્મિય વિદ્યાધામ સ્કૂલ, ઘોડાસરમાં મંદિર તેની માલિકીનું છે. રાજકોટમાં મંદિર, સત્સંગ હોલ અને વિશાળ જમીન પથરાયેલું આત્મિય યુનિવર્સિટી કેમ્પસ પણ તેની માલિકીનું છે. માણાવદર, જસદણ, નવસારી અને વલસાડમાં આ સંસ્થાની માલિકીની સત્સંગ હોલ સહિતની પ્રોપર્ટી આવેલી છે. સુરતના ભરથાણામાં મંદિર, સ્કૂલ અને શણાયામાં સત્સંગ હોલ તેની માલિકીનો છે. ભરૂચમાં પણ મંદિર અને સત્સંગ હોલ આવેલા છે. હરિપ્રસાદ સ્વામીજીની દેશ-વિદેશમાં 7 વખત સુવર્ણતુલા થઈ હતી, તેના દ્વારા 560 કિલો સોનું મળ્યું હતું, જેની હાલમાં બજાર કિંમત લગભગ 280 કરોડ જેટલી થાય છે. આ સિવાય ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા અને લંડનમાં મંદિરો, સત્સંગ હોલ તથા જમીનો આવેલી છે.
શું છે વિવાદ ?
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના દેવલોક પામ્યા
તેમના સ્થાને કોણ ગાદી પર બેસશે તેને લઈને વિવાદ ઉભો થયો
સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય બે ભાગમાં વહેંચાઈ ગયું
પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીના બે જૂથ પડી ગયા
સંતો અને હરિભક્તો બે જૂથમાં વહેંચાઇ ગયા
ગાદી મેળવવા બંને જૂથના શક્તિ પ્રદર્શન થયા
પ્રમોદ સ્વામી જૂથે લાંભવેલમાં અને પ્રેમ સ્વરૂપના જૂથે કરજણમાં શક્તિ પ્રદર્શન કર્યું
સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીએ કરી હતી આત્મહત્યા