ફેઝ-2 રૂટ માટે 1700 કરોડના એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર; ફ્રેન્ચ રાજદૂતે ટ્વિટ કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદની લાઈફ લાઈન મેટ્રો ટ્રેનને વડાપ્રધાન મોદીએ 30 સપ્ટેમ્બરે લીલીઝંડી આપી હતી. ત્યાર બાદ બીજી ઓક્ટોબરથી શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ ગઈ હતી. અમદાવાદમાં હાલ થલતેજથી વસ્ત્રાલ અને મોટેરાથી વાસણા અઙખઈ સુધીના રૂટ પર મેટ્રો દોડતી થઈ ગઈ છે. ફેઝ-1ના બંને કોરિડોર શરૂ થઈ ગયા બાદ ફેઝ-2ના કોરિડોર પર મેટ્રો દોડાવવા માટેના પ્રોજેક્ટે સ્પીડ પકડી છે. મેટ્રો ફેઝ-1 શરૂ થયા બાદ હવે મેટ્રો ટ્રેનના ફેઝ-2 માટેના એગ્રીમેન્ટ કરી દેવાયા છે. ફેઝ-2 માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર ગઇકાલે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
- Advertisement -
ફેઝ-2 માટે ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર ગઇકાલે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ગઈકાલે ગાંધીનગર ખાતે સિગ્નેચર સમારોહ યોજાયો હતો. જે દરમ્યાન ફેઝ-2 માટેના રૂ.1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર સહી કરવામાં આવી હતી. આ અંગે ખુદ ફ્રેન્ચ રાજદૂતે ટ્વિટ કરીને માહિતી આપી હતી. ફ્રેન્ચ રાજદૂતે મેટ્રો સાઈટની પણ વિઝિટ પણ કરી હતી.
અમદાવાદના અન્ય વિસ્તારોમાં મેટ્રો દોડાવવાનું આયોજન
હવે અમદાવાદ અને ગાંધીનગરની હદના વિસ્તારોમાં પણ મેટ્રો ટ્રેનને શરૂ કરવાની વિચારણા શરૂ થઈ ગઈ છે. વડાપ્રધાને મેટ્રોનું ઉદ્ઘાટન કર્યા બાદ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને શહેરના કયા-કયા વિસ્તારોને મેટ્રોથી સાંકળી શકાય તેનો પ્લાન બનાવવાનું સૂચન કર્યું હોવાની સુત્રો પાસેથી માહિતી મળી છે. તેમણે અમદાવાદના અન્ય વિસ્તારો જ નહીં, પરંતુ શહેરની હદની બહાર વિકસેલા વિસ્તારોને પણ મેટ્રોથી સાંકળી લેવાય તે માટે પ્લાન બનાવવા જણાવ્યું હતું. વડાપ્રધાનની સૂચનાને આધારે શહેરી વિકાસ વિભાગ અમદાવાદ તેમજ તેની આસપાસના કયા વિસ્તારોમાં મેટ્રો સર્વિસ શરુ કરી શકાય તેનો એક્શન પ્લાન તૈયાર કરાઈ રહ્યો છે.