By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    12 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    12 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોરારિબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો શનિવારથી પ્રારંભ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોરારિબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો શનિવારથી પ્રારંભ
રાજકોટ

મોરારિબાપુના શ્રીમુખે વૈશ્વિક રામકથા ‘માનસ સદ્ભાવના’નો શનિવારથી પ્રારંભ

Khaskhabar Editor
Last updated: 2024/11/20 at 4:32 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સદ્ભાવના વૃદ્ધાશ્રમના નવનિર્મિત ભવનના લાભાર્થે આયોજન

દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે: ભોજન-પ્રસાદમાં રામકથા દરમિયાન ભાવિકોનો ધસારો વધી જાય તો વધુ રસોઈ બનાવવાની તેમજ અન્નનો બગાડ ન થાય તે માટે પણ વ્યવસ્થા

- Advertisement -

રામકથામાં ભોજન-પ્રસાદ વ્યવસ્થા સંભાળનાર ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે ખાસ-ખબર પ્રેસની શુભેચ્છા મુલાકાત સમયે આપી માહિતી હતી.

ભોજન-પ્રસાદમાં બધી સામગ્રીઓ ચોખ્ખા ઘી અને શિંગતેલમાં જ બનાવાશે
ભોજન વ્યવસ્થામાં ખોડલધામ મહિલા સમિતિની 100થી વધુ બહેનો નિ:સ્વાર્થભાવે પોતાની સેવા આપશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદ્ભાવના વૃદ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્ર્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે. રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોના શુભાર્થે મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા તા. 23 નવેમ્બરથી શરૂ થઈને તા. 1 ડીસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજારથી વધુ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે.

- Advertisement -

ત્યારે આ સમગ્ર આયોજનમાં રસોડાની જવાબદારી ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્ર ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા સંભાળવામાં આવી રહી છે. ખોડીયાર રાસમંડળ દ્વારા વિવિધ ધાર્મિકોત્સવમાં છેલ્લા 63 વર્ષથી ભોજન વ્યવસ્થા સંભાળવાનો બહોળો અનુભવ છે, તાજેતરમાં જ સંપન્ન થયેલ જૂનાગઢ પરિક્રમા દરમિયાન ખોડીયાર રાસમંડળ દ્વારા રોજના 70 હજારથી વધુ ભાવિકોને ચા-પાણી-નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. ત્યારે રેસકોર્સ ખાતે યોજાઈ રહેલી રામકથા દરમિયાન રોજ 50 હજારથી વધુ ભાવિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ભોજન-પ્રસાદમાં બધી સામગ્રીઓ ચોખ્ખા ઘી અને શિંગતેલમાં જ બનાવવામાં આવશે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રામકથા દરમિયાન ભાવિકોનો ધસારો વધી જાય તો વધુ રસોઈ બનાવવાની તેમજ અન્નનો બગાડ ન થાય તે માટે પણ અલાયદી વ્યવસ્થા રાખવામાં આવી છે. ભોજન વ્યવસ્થા માટે દરરોજ જરૂરિયાત મુજબ તાજા શાકભાજી માટે પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. ભાવિકો માટે ભોજન-પ્રસાદનો સમય સવારે 11-00થી બપોરે 2-00 રાખવામાં આવેલો છે ત્યારે ભોજન-પ્રસાદની સમગ્ર વ્યવસ્થા કિશોરભાઈ વાડોદરીયા, ભીખાભાઈ આંબલીયા, જાદવભાઈ મોહનભાઈ કાકડીયા, વલ્લભભાઈ મનજીભાઈ પટેલની ટીમ સંભાળી રહી છે.

સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ સેવાયજ્ઞમાં ભોજન વ્યવસ્થામાં ખોડલધામ મહિલા સમિતિની 100થી વધુ બહેનો નિ:સ્વાર્થભાવે પોતાની સેવા આપશે. આમ સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા મોરારિબાપુની વૈશ્ર્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવ્યું છે ત્યારે આ વૈશ્ર્વિક રામકથા દરમિયાન ભોજન-પ્રસાદની વ્યવસ્થા સંભાળી રહેલા ખોડીયાર રાસમંડળ અન્નક્ષેત્રના કિશોરભાઈ વાડોદરીયા, ભીખાભાઈ આંબલીયા, વલ્લભભાઈ મનજીભાઈ પટેલે પ્રેસ શુભેચ્છા મુલાકાત દરમિયાન માહિતી આપતાં જણાવ્યું હતું.

રામકથા દરમિયાન નવ દિવસ શું હશે ભોજન પ્રસાદમાં ?
પ્રથમ દિવસ: ફાડા લાપસી, મીક્સ ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
બીજો દિવસ: મોહનથાળ, ગાંઠીયા, દૂધીચણા દાળ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
ત્રીજો દિવસ: લાહાલાડુ, ભજીયા, દેશી ચણા, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
ચોથો દિવસ: બરફી ચુરમુ, ડાકોરના ગોટા, ચોળાનું શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
પાંચમો દિવસ:ડ્રાયફ્રૂટ બુંદી, ગાંઠીયા, મીક્સ શાક, કાબુલી ચણા, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
છઠો દિવસ: અડદીયા પાક, ખમણ, સુકા વટાણા, મીક્સ લીલોતરી, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
સાતમો દિવસ: મગદાળનો શીરો, મીક્સ ભજીયા, ઉંધીયું, રોટલી, દાળ-ભાત, સંભારો છાશ.
આઠમો દિવસ: અમરતપાક, ફૂલવડીના ભજીયા, મગ, મીક્સ શાક, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.
નવમો દિવસ: રવાનો શીરો, ગાંઠીયા, ભજીયા, મીક્સ કઠોળ, રોટલી, દાળ-ભાત, સંભારો, છાશ.

આજે દેવતાઓને આહવાન સ્વરૂપે માનસ સદ્ભાવના યજ્ઞનું આયોજન કરાયું

રેસકોર્સ મેદાનમાં 23 નવેમ્બરથી યોજાનારી આરામ કથાનું આયોજન સફળ રહે તે માટે આજે દેવતાઓને આહવાન સ્વરૂપે માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓ તેમજ સમાજના શ્રેષ્ઠિઓ આ યજ્ઞમાં જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં સદભાવના પ્રસરે અને વિશ્વમાં થતા યુદ્ધ બંધ થાય તે માટે યજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞ પણ ઇકો ફ્રેન્ડલી હતો એટલે કે તેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામા આવ્યો હતો. વધુમાં જણાવ્યું હતુ કે, ભગવાનને આરાધના માટે માનસ સદભાવના યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી ઉપરાંત રામકથાના યજમાન તેમજ સમાજના શ્રેષ્ઠિઓ જોડાયા હતા. પ્લાસ્ટિકના ઉપયોગ વિના ઇકો ફ્રેન્ડલી મહાયજ્ઞ યોજાયો હતો. જેમાં 108 દંપતીએ મહાયજ્ઞમાં આહુતિ આપી હતી અને રામકથાની સફળતા માટે પ્રાર્થના કરી હતી. જેમાં મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. સમગ્ર વિશ્વમાં સદભાવના પ્રસરે અને વિશ્વમાં થતા યુદ્ધ બંધ થાય તે માટેનો આ યજ્ઞ છે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ માંડવા પક્ષે છે જેથી રાજકોટના લોકોએ કોઈના આમંત્રણની રાહ જોવાની જરૂર નથી તમામ લોકો રામકથામાં પધારે તે માટેનું આમંત્રણ છે.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

TAGGED: Manas Sadbhavana, Moraribapu, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગિર સોમનાથમાં ખરા સમયે ફરી એકવાર ખાતરની અછત સર્જાઇ
Next Article થાનગઢના નળખંભાથી ખખરાથળ ગામના રસ્તે દેશી દારૂનો આથો ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?