By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    17 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    19 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    16 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    2 days ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    2 days ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    17 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    20 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આધુનિક ચિકિત્સા વિજ્ઞાન: માનવજાતની સેવામાં નહીં વિવિધ દેશોની સરકારોની સેવામાં !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > આધુનિક ચિકિત્સા વિજ્ઞાન: માનવજાતની સેવામાં નહીં વિવિધ દેશોની સરકારોની સેવામાં !
Authorલાઇફ સ્ટાઇલ

આધુનિક ચિકિત્સા વિજ્ઞાન: માનવજાતની સેવામાં નહીં વિવિધ દેશોની સરકારોની સેવામાં !

Khaskhabar Editor
Last updated: 2022/06/06 at 6:41 PM
Khaskhabar Editor 4 years ago
Share
15 Min Read
SHARE

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં પોષક તત્વોને વ્યાખ્યાયિત કરવાનું અને તેના રાસાયણિક બંધારણને સમજવાનું કામ હજુ હમણાં 1926માં થયું

આપણે ત્યાં છેલ્લા બે દાયકા દરમિયાન “હેલ્થ અવેરનેસ” શબ્દ વ્યાપક પ્રસિદ્ધિ પામ્યા છે. ઠેર ઠેર તેને લગતા વર્કશોપ સેમિનાર વિગેરે ચાલતા હોય છે. જોકે હું આજે અહી એક સ્પષ્ટ નિવેદન આપુ છું કે આ એક બિલકુલ ખોખલી શબ્દ છે! ઈિંં મજ્ઞયતક્ષ’િં યિફહહુ ળયફક્ષ ફક્ષુ વિંશક્ષલ! તમને મારી વાર વધારે પડતી લાગતી હોય તો કહો કે માનવ સ્વાસ્થ્યના બારમાં તમે શું જાણો છો? હા, આ હેલ્થ અવેરનેસ શબ્દનો એક વ્યહવારૂ અને ગર્ભિત અર્થ જરૂર છે. તો વયફહવિં ફૂફયિક્ષયતત એટલે સ્વાસ્થ્ય બાબતે સરકાર, એલોપેથીક તબીબો અને આયુર્વેદ વૈદ્યો તમારા મગજમાં જે ભ્રાંતિઓ પેદા કરવા માગે છે અને પેદા કરી ચૂક્યા છે તે! વાસ્તવમાં આ વયફહવિં ફૂફયિક્ષયતત શબ્દ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની આનુષંગિક પેદાશ છે. આયુર્વેદ વૈદ્યો તો અગાઉથી જ ક્યારેય એવું ઈચ્છતા ન્હોતા કે લોકો સ્વાસ્થ્ય બાબતે કાઈ સમજે. હાલમાં આ ક્ષેત્રે તેઓની સતર્કતા એ પ્રવર્તમાન સંજોગોની નીપજ છે, એ તેમનો બેઝિક એટીટયુંડ નથી.
ખેર આ બધી વાત કહેવાની જરૂરત આજે એટલે ઊભી થઈ કે મારે તમને આજે એ પૂછવું હતું કે ગલતફેમીથી જેને આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કહેવામાં આવે છે તેની પાસે આહાર બાબતે તમને કહેવા માટે શું છે? આહાર એક એવી વસ્તુ છે જે પ્રત્યેક મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી લે છે એટલે સ્વાસ્થ્ય પર તેનો પ્રભાવ હોય જ. તો આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું વિવિધ ખાદ્ય પદાર્થ, વિવિધ વાનગીઓ વીશે શું કહેવું છે? વિવિધ ખાદ્ય પદાર્થોના વર્ગીકરણ પૃથથકરણ માટે તેની પાસે શું માપદંડ છે શું તર્ક છે? જેમ કે આયુર્વેદમાં કફકારક પિત્તકારક વાયુકારક જેવું વર્ગીકરણ છે તેમ એલોપથી પાસે શું??? હું એ સમજવા માંગુ છું તમારી પાસેથી કે માણસ અને ખાદ્ય પદાર્થોને એલોપથી ઓળખે છે કેવી રીતે? અત્યંત આઘાતજનક વાત એ છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પાસે શાકભાજી ફળફૂલ અનાજ કઠોળ દૂધ ઈંડા માંસ જેવા ખાદ્ય પદાર્થોની કોઈ તાર્કિક સર્વાંગી સુક્ષ્મ પહેચાન જ નથી. આપણી ચર્ચાના આ તબક્કે સામાન્ય એવી એક વાત એ સમજી લઈએ કે વિજ્ઞાનના કહેવા મુજબ કોઈ એક તત્વ પાસે પોતાના આગવા સારા ખરાબ ગુણધર્મો હોય છે. તેની સાથે કોઈ બીજું તત્વ ભળે ત્યારે તેને મિશ્રણ કહેવાય છે ને તેમાં આ બંન્ને તત્વોના ગુણધર્મો હોય છે. આવા ત્રણ કે ત્રણથી વધુ તત્વો ભળે ત્યારે તેને સંયોજન કહેવાય છે અને તેમાં આ તમામ તત્વોના ગુણધર્મો ઉપરાંત તે સંયોજનના પરિણામ રૂપે તેના કેટલાક આગવા ગુણધર્મો પણ હોય છે. આ બહુ મહત્ત્વની અને અદભૂત વાત છે.
પશ્ર્ચિમી સ્વાસ્થ્ય વિજ્ઞાન અને આપણાં સ્વાસ્થ્ય વિજ્ઞાનમાં આ જ ફર્ક છે. આપણે કેળાને કેટલાયે પદાર્થોના સરવાળા રૂપ કેળાના આગવા ગુણધર્મોથી ઓળખીએ છીએ અને તેઓ કહે છે કેળા એટલે ફલાણા વિટામિન ફલાણા મિનરલ પ્રોટીન વિગેરે. અને આ જ કારણ છે કે એલોપથી તબીબ જ્યારે કેળા માહેના પોષક તત્વો ધ્યાનમાં રાખી કોઈ દર્દીને કેળા ખાવાનું કહે છે તે કેળાના સર્વાંગી સરવાળા રૂપ ગુણધર્મો તરફ આંખ આડા કાન કરે છે પણ કેળા પોતે કેળા તરીકે કામગીરી કરતા હોય છે, જે તે વિટામિન મિનરલના સ્ત્રોત તરીકે નહી. આથી જ પછી છેલ્લે દર્દી ડોકટરને કહે છે કે સાહેબ તમે કહ્યું એમ જ ભોજન લઉં છું પણ મને કાઈ ફર્ક પડતો નથી! આ ફર્ક ન પડવાનું કારણ એ છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના કોઈ પણ પુસ્તકના કોઈ પણ પાને એવું જ્ઞાન આપવામાં આવ્યું નથી કે કઈ વસ્તુ ક્યારે ખવાય ક્યારે ન ખવાય! એલોપથી રોગના કેટલાક કારણો મહે એક કારણ પોષક તત્વોનો અભાવનું ગણે છે પરંતુ આ પોષક તત્વોની પહેચાનની શરૂઆત પણ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં 1926થી થઈ. તો 1926 પહેલા ક્યાં આધારે તેઓએ દર્દીને ટ્રીટ કર્યા? એલોપથી આમ જ સદીઓથી હવામાં
બાચકા ભરે છે.
ચેપી અને બિનચેપી રોગના ફેલાવામાં પોષક તત્વોની શું ભૂમિકા છે તેઓ હજુ તેઓ સ્પષ્ટ રીતે પ્રસ્થાપિત કરી શક્યા નથી. તેમ છતાં આપ સહુની જાણકારી માટે એલોપથીમાં પોષક તત્વોની પહેચાન અંગેની વિગતો સંક્ષિપ્તમાં અહી રજૂ કરું છું.
હજુ આજે પણ ચેપી અને બિનચેપી રોગ થવામાં પોષક તત્વોની ભૂમિકા નિર્વિવાદ રૂપે પુરવાર થઈ નથી તેમ છતાં માનવજાતના પેટમાં દર વર્ષે અબજો ડોલરના વિટામિન્સ મિનરલ્સ ધરબી દેવામાં આવે છે!

- Advertisement -

દરિયાઈ જહાજોના નિર્માતા જેમ્સ લીન્ડેએ પોતાના ખલાસીઓને સ્કર્વિથી બચાવવા સત્તત લીંબુ પાણીનો સફળ પ્રયોગ કર્યાના 225 વર્ષ પછી આધુનિક ચિકિત્સા વિજ્ઞાન વિટામિન સી જેવી કોઈ બલા હોવાનો ખ્યાલ આવ્યો હતો!

પ્રથમ વિટામિન હજુ હમણાં 96 વર્ષ પહેલાં 1926માં રાસાયણિક પરિભાષામાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ 50 વર્ષથી વધુ સમયગાળા દરમિયાન આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું પૂરું ફોકસ એકાંકી પોષક તત્વની ઉણપથી પેદા થતા(!) રોગના સંશોધનો પર જ કેન્દ્રિત રહ્યું! ત્યારથી છેક અત્યાર સુધી પોષક તત્વોની જરૂરિયાત અને તેમના કહેવા મુજબ તેની ઉણપથી જે રોગ થાય છે તેના પર સંશોધનો થતાં રહ્યાં પણ ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ, બીપી જેવી સમસ્યાઓમાં પોષક તત્વોની ખામીને પ્રત્યક્ષ જવાબદાર ઠેરવી શકાય તેવા સહસંબંધ હજુ સુધી પ્રસ્થાપિત કરી શકાયા નથી.
વિટામિનની શોધનો યુગ
20મી સદીના પૂર્વાર્ધમાં ઘણા જાણીતા વિટામિન્સ અને ખનિજોની ઓળખ અને તેનું બંધારણ સમજવામાં આવ્યું. સ્કર્વી, બેરીબેરી, પેલાગ્રા, રિકેટ્સ, ઝેરોફ્થાલ્મિયા અને ન્યુટ્રિશનલ એનિમિયા સહિત જેને પોષણની ઉણપ સંબંધિત રોગો કહેવામાં આવે છે તેને સમજવામાં આ સમય વીત્યો. 1913 માં કેસિમીર ફંકને ખોરાકમાં “મહત્વપૂર્ણ એમાઈન”નો ખ્યાલ આવ્યો. ત્યારબાદ 1936માં વિટામિન ઇ1 વ્યાખ્યાયિત કરવામાં આવ્યું. 1932માં વિટામીન સીને સ્કર્વી સામે રક્ષણ આપવા માટે પ્રથમ વખત સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક ઘટના દરિયાઈ જહાજના નિર્માતા જેમ્સ લિંડેએ પોતાના ખલાસીઓને સ્કરવી સામે રક્ષણ આપવા લીંબુ પાણી પર રાખ્યાના 200 વર્ષ પછી બની હતી. તેના પરથી સમજી શકાય છે કે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન કરતા સામાન્ય લોકો કેટલા વધુ આધુનિક હતા. છેક 20મી સદીના મધ્યકાળ દરમિયાન વિવિધ વિટામીનની વ્યાખ્યા તૈયાર કરી તેનું રાસાયણિક બંધારણ સમજવામાં આવ્યું હતું.
વળી પોષક તત્વોની કમીના કારણે રોગ થાય છે તેવા ત્રુટી યુક્ત તર્કના આધાર પર ઉભેલા આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો વિકાસ તાર્કિક ક્રમમાં નથી બલ્કે તેમાં બહુ મોટી એવી કેટલીક રાજકીય સામાજિક ઘટનાઓએ તેના અગત્યના ચાલકબળ તરીકે ભૂમિકા ભજવી છે. જેમ કે બબ્બે વિશ્વયુદ્ધ પછી અન્ન પુરવઠા બાબતે ભારે તંગી અનુભવાતી હતી. લોકોમાં તે વખતે પોષણના અભાવ બાબતે જબરો હાઉ ઊભો કરવામાં આવ્યો હતો. આ લોકપ્રકોપે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં રોગના કારણો તરીકે પોષક તત્વોના અભાવના મતને ઘણું બળ આપ્યું હતું. તેના પરિણામ રૂપે ઉણપના રોગોને રોકવા પર પણ વધુ ભાર મૂકવામાં આવ્યો. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડમાં પ્રથમ વખત ભલામણ કરાયેલ આહાર ભથ્થાં (છઉઅત) આ ચિંતાઓનું સીધું પરિણામ હતું, જ્યારે લીગ ઓફ નેશન્સ, બ્રિટિશ મેડિકલ એસોસિએશન અને યુએસ સરકારે અલગથી વૈજ્ઞાનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા માટે ન્યૂનતમ આહારની જરૂરિયાતો પેદા કરવા માટે અલગથી કામ સોંપ્યું હતું. 1941માં પ્રથમ આરડીએની જાહેરાત સંરક્ષણ પરની રાષ્ટ્રીય પોષણ પરિષદમાં કરવામાં આવી હતી, જેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન અને ચોક્કસ વિટામિન્સ સહિત કુલ કેલરી અને પસંદ કરેલા પોષક તત્વો માટે નવી માર્ગદર્શિકા પ્રદાન કરવામાં આવી હતી. ચોક્કસ રોગની સ્થિતિ સાથે જોડાયેલા એકાંકી પોષક તત્વો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આમ વિજ્ઞાનનો મત રાજકીય સ્થિતિથી અસરગ્રસ્ત થયો હતો.
ચરબી વિરુદ્ધ ખાંડ અને પ્રોટીનની કમી
આ 20 થી 30 વર્ષો દરમિયાન સમૃદ્ધ રાષ્ટ્રોમાં કેલરી કુપોષણ અને ચોક્કસ વિટામિનની ઉણપમાં તીવ્ર ઘટાડો થયો હતો કારણ કે આર્થિક વિકાસ અને ખનિજો અને વિટામિન્સ સાથે મજબૂત મુખ્ય ખોરાકની ઓછી કિંમતની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં વધારો થયો હતો. તે જ સમયે, આહાર સંબંધિત બિન-સંચારી રોગોના વધતા બોજને ઓળખવામાં આવવાનું શરૂ થયું, જેના કારણે સંશોધન જુદી દિશાઓ ફંટાયું. આમ આહારમાં ચરબી અને ખાંડની બે મુખ્ય બાબતો પર ધ્યાન કેન્દ્રિત થયું.
પ્રારંભિક ઇકોલોજીકલ અભ્યાસો અને ટૂંકા ગાળાના સર્વેક્ષણ વિગેરે દ્વારા એન્સેલ કીઝ, ફ્રેડરિક સ્ટેર અને માર્ક હેગસ્ટેડે તે માન્યતા ઊભી કરી કે હૃદય રોગમાં મુખ્ય ફાળો ચરબીનો હોય છે. તે જ સમયે જ્હોન યુડકિન અને અન્ય લોકો દ્વારા કરવામાં આવેલા કામમાં કોરોનરી રોગ હાયપરટ્રિગ્લિસેરિડેમિયા કેન્સર અને ડેન્ટલ કેરીઝમાં અધિક ખાંડની ભૂમિકા સામે લાવવામાં આવી. છેવટે ચરબી પરના ભારને વૈજ્ઞાનિક અને નીતિગત સ્વીકૃતિ મળી, જે 1977ના યુએસ સેનેટ સમિતિના અહેવાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ માટેના ડાયેટરી ગોલ્સમાં નોંધાયેલ છે અને તેમાં લોકોને ઓછી ચરબી અને ઓછા કોલેસ્ટ્રોલ વાળા આહારની ભલામણ કરવામાં આવી હતી. તે વખતે આ મુદ્દે કોઈ વિવાદ પણ ઉભો થયો નહોતો પરંતુ 1980માં યુએસ નેશનલ એકેડેમી ઓફ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન બોર્ડે તે ડેટાની સમીક્ષા કરી અને તારણ કાઢ્યું કે પ્રજામાં કુલ ચરબી સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલને મર્યાદિત કરવાની અગાઉ જે ભલામણ કરવામાં આવી છે તે માટે પર્યાપ્ત પુરાવાઓ છે નહી.

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની સહુથી વધુ જો કાળી સાઈડ હોય તો તે એ છે કે તે માનવજાતની સેવામાં હોવાના બદલે વિવિધ દેશોની સરકારોની સેવામાં રહી મલાઇ માખણ ઝાપટે છે અને તેની માર્ગદર્શક શક્તિઓ ડીવાઈન વીલ હોવાને બદલે મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓના ધણખુટ જેવા માલિકો છે!

- Advertisement -

વિકાસશીલ રાષ્ટ્રોમાં આ સમયગાળા દરમિયાન પોષણ નીતિ અને ભલામણોનો મુખ્ય ઉદ્દેશ્ય કેલરી અને સૂક્ષ્મ પોષકતત્ત્વો વધારવા પર રહ્યો હતો. અનેક રીતે ખોરાકને જરૂરી પોષક તત્ત્વો અને કેલરી પહોંચાડવાના કેરિયર તરીકે જોવામાં આવે છે. આ રીતે કૃષિ વિજ્ઞાન અને ટેક્નોલોજીએ ખાદ્ય પદાર્થમાં મહત્તમ સ્ટાર્ચ આણવા પર ભાર મૂક્યો હતો. આમ ઘઉં, ચોખા અને મકાઈ જેવા સ્ટાર્ચયુક્ત પાકના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
કુપોષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિજ્ઞાનીઓ શિશુ અને બાળ રોગો જેમ કે મેરાસમસ અને ક્વાશિઓર્કોરમાં કુલ કેલરી અને પ્રોટીનની સંબંધિત ભૂમિકા પર અસંમત હતા-જેને “પ્રોટીન-કેલરીની ઉણપના રોગો” તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. વિકાસશીલ દેશો માટે પ્રોટીન સમૃદ્ધ આહારને પ્રમોટ કરતા સૂત્રો દ્વારા લોકોના માનસમાં પ્રોટીનની ત્રુટી અંગે હાઉ ઊભો કરવામાં આવ્યો હતો. આ જ કારણે લોકો માતાના દૂધથી વિમુખ થાય હતા.
આ વાતાવરણમાં બહુરાષ્ટ્રીય ફૂડ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના આવ્યું હતું. ગરીબ અને વિકાસશીલ દેશોમાં તેમની પ્રોટીન પ્રોડક્ટ અને પોષક તત્ત્વોના મજબૂતીકરણના નામે બેબી ફૂડને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યું હતું. વધુમાં, પોષક તત્ત્વો પૂરક બનાવવાની વ્યૂહરચના સ્થાનિક ઉણપના રોગોને રોકવા અથવા સારવાર માટે ખાસ અસરકારક રહી ન હતી.
આ સમય દરમિયાન સ્થૂળતા અને ટાઇપ2 ડાયાબિટીસ અને ચોક્કસ પ્રકારના કેન્સર સહિતના અન્ય ઘણા આહાર સંબંધિત ક્રોનિક રોગો વધી રહ્યા હતા. તેના જવાબમાં ઓછી ચરબી, સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ અને સૂક્ષ્મ પોષકતત્ત્વો સાથે મજબૂત ઔદ્યોગિક રીતે તૈયાર કરાયેલા ખાદ્ય ઉત્પાદનોનો પ્રસાર થયો, તેમજ ઘટાડવા માટે અન્ય પોષક કેન્દ્રિત તકનીકોનો વિસ્તરણ થયો. સંતૃપ્ત ચરબી જેમ કે વનસ્પતિ તેલનું આંશિક હાઇડ્રોજનેશન.
તે જ સમયે, વૈશ્વિક સમુદાયે ઓછી આવક ધરાવતા દેશોમાં ભૂખમરો અને સૂક્ષ્મ પોષકતત્ત્વોની ઉણપને દૂર કરવા પગલાંને પ્રાથમિકતા આપી. આ સમયગાળા દરમિયાન મુખ્ય સૂક્ષ્મ પોષકતત્ત્વોના લક્ષ્યો આયર્ન, વિટામિન અ અને આયોડિન હતા. તે વખતે આ અંગે પૂરતા પુરાવાઓ હોવા બાબતે પણ શંકાઓ વ્યક્ત થઈ ચૂકી છે. વિટામિન અ સપ્લીમેંત ઓરી જેવા ચેપથી બાળ મૃત્યુદરને અટકાવી શકે છે કે કેમ તે અંગે જે ડેટા છે તેને શંકાથી પર માનીએ તો પણ બીજા ઘણા પેટા પ્રશ્નો ઉદભવે છે.
પરંતુ આ બધી વાતોના આધારે જ યુએન રાષ્ટ્રીય સરકારો અને અન્ય આંતરરાષ્ટ્રીય જૂથોએ વધતા સંબંધિત પુરાવાઓના પૂરક અને મજબૂતીકરણ અને એકીકરણ દ્વારા સૂક્ષ્મ પોષકતત્ત્વોની ખામીઓને રોકવા માટે પોર્ટફોલિયો અપનાવ્યા છે.
વૈજ્ઞાનિક તપાસ અન્ય પર્યાવરણીય પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે સૂક્ષ્મ પોષકતત્ત્વો અને આહાર પ્રોટીન સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે, જેમ કે ચેપ અને સંબંધિત નબળી સ્વચ્છતા, જે સબક્લિનિકલ એન્ટરિટિસ અથવા મેલાબ્સોર્પ્શન જેવા વિભાવનાઓ તરફ દોરી જાય છે જેને પ્રથમ “ઉષ્ણકટિબંધીય એન્ટરિટિસ”, પછી “પર્યાવરણ એન્ટરઓપથી” કહેવામાં આવે છે અને હાલમાં ” પર્યાવરણીય આંતરડાની તકલીફ વિગેરે બાબતે છે. તેથી જ નીચી અને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં અંશત: ઓવરલેપિંગ કારણોસર પોષક તત્ત્વોના વિશિષ્ટ ધ્યાને વૈજ્ઞાનિક સંશોધનો અને નીતિ ઘડતરમાં બન્નેને આકાર આપતા રહ્યા પરંતુ સંશોધનો માટે ચોક્કસ પૂર્વધારણાઓના કારણે રોગના કારણો અને સ્વાસ્થ્ય પ્રાપ્તિની પદ્ધતિ બાબતે ભજ્ઞળાયિવયક્ષતશદય સત્ય ક્યારેય બહાર આવ્યું નહી અને તે રીતે આધુનિક ચિકિત્સા વિજ્ઞાન ઉપલક સારવારનું સાધન બની રહ્યું.
1990 થી અત્યાર સુધી
આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનું સહુથી નબળું કે સહુથી સબળું એવું જો કોઈ પાસું હોય તો તે એ છે કે તે માનવ સેવાની બદલે સરકારની સેવામાં છે અને તેને દોરનાર કોઈ મશદશક્ષય ૂશતમજ્ઞળ હોવાને બદલે મલ્ટિનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓના ધણખુટ જેવા અધિકારીઓ છે. આધુનિક ચિકિત્સા વિજ્ઞાને અત્યાધુનિક હાઇફાઇ ડાયગ્નોસ્તિક ઇક્વિપમેન્ટ ડેવલપ કરાવરાવ્યા હોવા છતાં આજે પણ તે અનેક અનેક બાબતોનું સફળ નિદાન અને સફળ સારવારથી જોજનો દૂર છે. આ બાબતનું સહુથી મહત્વનું કારણ જ એ છે કે તે પોષક તત્વોના અભાવ તેમજ વાઇરસ બેક્ટેરિયાને રોગના કારણ સમજે છે. તેથી જ છેક 1990માં પોષક તત્વો સંદર્ભે ગાડી જ્યાં અટકી હતી ત્યાંથી વધુ આગળ આવી કોઈ નવી દિશાની સફર શક્યા બની નથી. તેમના માટે ડાયાબિટીસ કેન્સર બીપી કોલેસ્ટરોલ જેવા રોગો હજુ એટલા જ અસાધ્ય છે જેટલા અગાઉ હતા. કારણ કે તેમને પોષક તત્વોની તો પહેચાન છે પણ અલગ અલગ પોષક તત્વોના સરવાળા રૂપ એક અનન્ય ખાદ્ય પદાર્થની ઓળખ નથી! તેઓ એકાંકી તત્વો ને ઓળખે છે પણ તેના સંયોજનોને સમજી શકતા નથી.

 

 

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: health
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધો. 10 બોર્ડનું મોરબી જિલ્લાનું 73.79% પરિણામ
Next Article ભાજપમાંથી નુપૂર શર્મા અને નવીન જિંદલ સસ્પેન્ડનો વિવાદ વકર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?