By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    13 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    13 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    10 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    10 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    10 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    10 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    13 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    12 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    12 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    13 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    13 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહાશિવરાત્રિ મેળો ‘મિની કુંભ’ જેવો ભવ્ય બનશે: રવેડીનો રૂટ 500 મીટર વધારાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મહાશિવરાત્રિ મેળો ‘મિની કુંભ’ જેવો ભવ્ય બનશે: રવેડીનો રૂટ 500 મીટર વધારાયો
ગુજરાત

મહાશિવરાત્રિ મેળો ‘મિની કુંભ’ જેવો ભવ્ય બનશે: રવેડીનો રૂટ 500 મીટર વધારાયો

Khaskhabar Editor
Last updated: 2026/01/31 at 4:32 PM
Khaskhabar Editor 4 months ago
Share
6 Min Read
SHARE

મહાશિવરાત્રિ મેળો આ વર્ષે ‘અલૌકિક અને યાદગાર’ બની રહેશે: ઉુ. ઈળ હર્ષ સંઘવી

‘મિની કુંભ’ ને ભવ્યાતિભવ્ય બનાવવા સરકાર સજ્જ: ટૂરિઝમ વિભાગ દ્વારા ભોલેનાથ થીમ પર સુશોભન

- Advertisement -

શુદ્ધ પીવાનું પાણી અને સ્વચ્છતા માટે વહીવટી તંત્ર દ્વારા માઈક્રો પ્લાનિંગ તૈયાર.

દેશભરના સાધુ-સંતોને હર્ષ સંઘવીનું નિમંત્રણ: આસ્થા અને સુરક્ષા સાથે ભવ્ય આયોજન.

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31

- Advertisement -

જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં યોજાતા વિશ્ર્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂૂ આયોજન માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રીએ મેળામાં રવેડીની પરંપરા, શાહી સ્નાન સહિતના મહત્વના આયોજનો બાબતે શ્રીગોરક્ષ નાથ આશ્રમના મહંત શેરનાથબાપુ, જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજીઅને અગ્નિ અખાડાના પ્રતિનિધિ તથા સાધુ સંતો- પ્રતિનિધિઓ સાથે પરામર્શ કર્યો હતો .
આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 11 ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.
મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે. શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂૂટ 1.5 કિ.મી. નો હોય છે જેમાં 500 મીટરનો વધારો કરીને આ વર્ષે 2 કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે 1600 પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900થી વધુ કરવામાં આવી છે. મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં ઈઈઝટ કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર 1,000 થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. 300 થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.
આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડો.જયરામ ગામીત, જુનાગઢ ભવનાથ જુના અખાડાના ઇન્દ્રભારતી બાપુ, શેરનાથ બાપુ, આહવાન અખાડાના ભારદ્વાજજી અને અગ્નિ આખાડાના પ્રતિનિધિ તેમજ સાધુ સંતો, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા‘

મહાશિવરાત્રિ મેળામાં જાણો આ વર્ષે શું હશે નવું

1 અગાઉ 1600 પોલીસ જવાનો ફરજ બજાવતા હતા, જેની સંખ્યા વધારીને આ વર્ષે 2900 કરવામાં આવી.
2સમગ્ર મેળા વિસ્તાર અને રૂૂટ પર સીસીટીવી કેમેરા દ્વારા 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે.
3પ્રથમવાર જૂનાગઢના 1000થી વધુ સ્થાનિક યુવાનોને ‘વોલેન્ટિયર’ તરીકે જોડીને વ્યવસ્થાપનમાં સામેલ થશે.
4ભોલેનાથની થીમ પર સુશોભન અને લાઈવ સ્ટ્રીમીંગ, જૂનાગઢ શહેર રોશનીથી ઝળહળી ઉઠશે.
5યાત્રિકો માટે ઠેર-ઠેર સેલ્ફી પોઈન્ટ અને ઈન્ફોર્મેશન સેન્ટરો ઉભા કરવામાં આવશે.
6જે શ્રદ્ધાળુઓ મેળામાં નથી આવી શકતા તેના માટે શાહી સ્નાનનું સીધું પ્રસારણ કરવામાં આવશે.
7લાખો ભક્તો માટે 300થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભોજન અને ઉતારાની વ્યવસ્થા કરવામાં આવશે.

મહાશિવરાત્રિ મેળો: મનપા વિરોધ પક્ષના નેતાની મહત્વની માંગણીઓ

જૂનાગઢમાં આગામી 11 ફેબ્રુઆરીથી શરૂ થનાર મહાશિવરાત્રી મેળાને હવે માત્ર 11 દિવસ બાકી છે, ત્યારે વિરોધ પક્ષના નેતા લલિત પણસારાએ તંત્રના આયોજન સામે સવાલો ઉઠાવ્યા છે. તેમની મુખ્ય રજૂઆતોમાં આ મેળો માત્ર વીઆઈપી લોકો, પદાધિકારીઓ કે અધિકારીઓ પૂરતો સીમિત ન રહેવો જોઈએ. તંત્રએ ‘વીઆઈપી કલ્ચર’ બાજુએ મૂકીને સામાન્ય ભાવિકોની સગવડતાને પ્રાધાન્ય આપવું જોઈએ, તમામ વાહનોને ’ભરડાવાવ’ પાસે અટકાવી દેવાની વિચારણા અયોગ્ય છે. જો વાહનો ત્યાં જ અટકાવી દેવાશે, તો સિનિયર સિટીઝન, મહિલાઓ, બાળકો અને દિવ્યાંગો મેળા સુધી કેવી રીતે પહોંચશે તે એક મોટો પ્રશ્ર્ન છે. મેળામાં અન્નક્ષેત્ર, ઉતારા મંડળ અને સાધુ-સંતો માટે તંત્ર દ્વારા શું નવી વ્યવસ્થા કરાશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કામનાથ મહાદેવ મંદિર પાસેના ગોળાઈવાળા સાંકડા રસ્તાને પહોળો કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે તેમ છે. તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવનારી સુવિધાઓની બહોળી પ્રસિદ્ધિ થવી જોઈએ, જેથી દૂરથી આવતા યાત્રીઓને અગાઉથી જાણકારી મળી રહે.

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદ: સેન્ટ્રલ બૅન્કમાં પરચુરણ નોટોના વિતરણમાં ભારે ધાંધિયા, લોકોનો ઉગ્ર રોષ
Next Article જૂનાગઢ ટીંબાવાડી પાસે ટ્રકે કારને ઠોકરે લેતાં ટ્રાફિકજામ: બાયપાસના અભાવે અકસ્માતો વધ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ગુજરાત

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?