By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    3 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    3 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    4 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    6 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    5 hours ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    5 hours ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    7 hours ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    1 day ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 hours ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવનમાં વિકલ્પો હોય શકે પરંતુ જીવનનો કોઈ વિકલ્પ નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > જીવનમાં વિકલ્પો હોય શકે પરંતુ જીવનનો કોઈ વિકલ્પ નથી
Author

જીવનમાં વિકલ્પો હોય શકે પરંતુ જીવનનો કોઈ વિકલ્પ નથી

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 5:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

નિતાંતરીત: નીતા દવે

ધારેલી સિધ્ધિઓ અને કરેલી ઈચ્છાઓ સમય પર કદાચ ફળીભુત ન થાય, પરંતુ કર્મ બીજ સ્વરૂપે વાવેલી ક્ષણ સમયના કોઈ પળમાં અંકુરિત ચોક્કસ થતી રહે છે

- Advertisement -

આપણે દરરોજ આસપાસ ઘણા બધા એવા લોકોને મળીએ છીએ.જે હંમેશા પોતાનાં જીવનને લઈને કંઈ ને કંઈ ફરિયાદો કરતા જ રહેતા હોય છે. જીવનના કેટલાય તબક્કાને પાર કર્યા પછી પણ જીવનને માણ્યાનો કે સંતોષ મેળવવાનો આનંદ જીવી શકતા નથી. છતાં ક્યાંકને ક્યાંક તેની અંદર જીવન જીવવાની જીજીવિષા મૃત્યુ પામતી નથી.એ બાબત સ્પષ્ટ કરે છે કે, જીવનની નકારાત્મક બાજુઓના વર્ણન કરતાં અને તેમાં રચ્યા પચ્યા રહેતાં લોકો જિંદગીથી થાકેલા હારેલા અને ત્રસ્ત થઈ ગયેલા લોકો પણ જીવનથી છુટકારો તો ઈચ્છતા જ નથી..! જીવન અનેકવિધ વિકલ્પો થી ભરેલું છે.ઉંમરના દરેક તબક્કા પર આવતા વળાંક ઉપર જિંદગી વૈકલ્પિક પસંદગીઓ આપતી હોય છે.તેમાંથી જે વિકલ્પને પસંદ કરવામાં આવે તેવા પરીણામ સ્વરૂપ જીવન બને છે અને તે નિર્ણય દ્વારા એ વ્યક્તિના ભવિષ્યનું નિર્માણ પણ થતું હોય છે. દરેક જીવન અનેક સંઘર્ષો અને સમાયોજન નો પર્યાય હોય છે. કોઈપણ વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ સુખી હોય તેવું ક્યારેય જોવા સાંભળવા કે જાણવા મળ્યું નથી. કારણ કે ઈશ્વરે સુખનો ખ્યાલ ભ્રામક રાખેલો છે. દરેક વ્યક્તિની સુખની વ્યાખ્યા પણ અલગ અલગ હોય છે. કેટલીક વ્યક્તિઓને ભૌતિક સંપત્તિમાં સુખ હોય, તો કેટલાકને પ્રતિષ્ઠા મોભો અને દેખાડાની દુનિયામાં સુખ મળતું હોય, તો કેટલાક લોકો પોતાના અંગત લોકોની ખુશીમાંથી સુખ મેળવતા હોયછે..!તો વળી કેટલાક ઈશ્વરને પ્રાપ્ત કરવાનાં માર્ગ પર ચાલી અને જીવનમાં સુખી થવાનો પ્રયત્ન કરતા રહેતા હોય છે. અંતત: જોઈએ તો દરેક જીવન યાત્રા સુખ મેળવવા પાછળની આંધળી દોડ હોય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો સુખનું અસ્તિત્વ ભૌતિક દુનિયા સાથે જોડાયેલું હોતું જ નથી.

મનુષ્ય જીવનનું પણ કંઈક આવું જ છે.
મનુષ્ય જીવનની એક વિટંબણા છે કે, તે મેળવ્યા કરતા ગુમાવ્યાનો અફસોસ જીવન પર્યંત કરતો રહે છે.જે તે સમયે પરિસ્થિતિની માંગ પ્રમાણે લેવાયેલો નિર્ણય દુ:ખ નું કારણ બની શકે એવું પણ બને..!સમય જતાં કટોકટીના સમયે અનેક વિકલ્પોમાંથી પસંદ કરાયેલો વિકલ્પ ભવિષ્યમાં ખોટો લાગે તેવું પણ બને..! પરંતુ સમય ક્યારેય પણ એક જગ્યા ઉપર ઉભો રહેતો નથી. સમયના ચાલતા વ્યક્તિનાં જીવન વિશેનાં અનુભવો, સમજણ, અને પરિસ્થિતિમાં પણ સતત પરિવર્તન આવતું રહે છે.આથી ભૂતકાળની ભૂતાવળ માંથી ‘જો’ અને ‘તો’નાં તર્ક જન્મ લેતા હોય છે.
પરંતુ જીવનનાં દરેક ગણિતના દાખલાનો જવાબ મેળવી શકાતો નથી.

સમય હંમેશા સરપ્રાઈઝથી ભરેલ હોય છે.દરરોજ નવો દિવસ અને નવી ક્ષણ નવીન અનુભવો લઈને આવતી હોય છે. તેમાંથી કેટલાક મીઠા તો કેટલાક કડવા અનુભવો પણ થતા હોય છે.ક્યારેક કોઈ સાવ અજાણી વ્યક્તિનું ઓચિંતુ મળવું અને બહુ ખાસ થઈ જવું..તો ક્યારેક સાવ અંગત વ્યક્તિનાં વ્યવહાર નાં અજાણ્યા પણા ને જીરવવું..!કોઈનું સાવ નજીક આવી દૂર થઈ જવું તો.. કોઈનું જોજોનો દૂર હોવા છતાં સામીપ્ય નું અનુભવવું..ક્યારેક કોઈ અંગતનાં છોડી જવાની પીડા..તો ક્યારેક નવા આગંતુકોના ઓવારણાંને વધાવતો દિવસ ઉગતો હોય છે.બહુવિધ રંગીન વિકલ્પો વાળું જીવન ક્યારેક આનંદની છોડો ઉડાડી દે છે તો ક્યારેક ઉદાસીનતાના કાળા વાદળો ઘેરાય આવે છે. પરંતુ જીવનના આ ઘટનાક્રમમાં માનવી સામે દરરોજ એક નવો સંઘર્ષ હોય છે. દરરોજ કોઈ એકને પામ્યાની ખુશી અને કંઈક ગુમાવ્યાનો અફસોસ હોય છે. ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે કોઈ વ્યક્તિના જવાથી જીવન ઊભું નથી રહી જતું. જીવંતતા તેના નક્કી કરેલા માર્ગ પર સતત ધીમી ચાલે આગળ વધતી રહે છે. પરંતુ જેટલું સરળ અને સહજ લાગતું જીવન એટલું સ્વાભાવિક રીતે પસાર કરી શકાતું નથી. અચાનક કોઈ અંગતની વિદાય દૈનિક કાર્યસૂચીમાં સ્વીકારી શકાય.પરંતુ મનથીએ ખાલી જગ્યાઓ ફરી થી ભરી શકાતી નથી. જીવનમાં શૂન્યાવકાશ સર્જાયા પછી દિશાઓ શૂન્ય ભસે છે. અસહ્ય આંતરિક પીડાઓ થતી હોવા છતાં..જીવનનું અંતિમ સત્ય જાણ્યા પછી પણ વ્યક્તિ જીવે જ છે..! કેમ કે, જીવનનો વિકલ્પ નથી. ક્યારેક સમય મલમનું કામ કરે છે તો કયારેક મીઠાનું પણ.!વ્યક્તિ પાસે પોતાનું જીવન જીવવાના પોતાના સ્વપ્નાઓને પૂરા કરવાના અને પોતે ધારેલા લક્ષ્યાંકોને સફળતાપૂર્વક સિદ્ધ કરવાના અનેકવિધ વિકલ્પો મળી રહે છે. જેની પાછળ આજીવન દોડ લગાવતા હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ હતાશ કે નિરાશ થઈ અને આત્મધાતી વિચારો તરફ દોરવાય અને કદાચ કર્મવશાત્ અયોગ્ય વિકલ્પ પસંદ કરી અને જીવનને પૂર્ણાહુતિ તરફ લઈ જાય છતાં પણ જીવનનો અંત ક્યાં થાય છે..? જીવન તો નિરંતર છે સતત ને સતત ચાલતું નિર્વિકલ્પ..! કાળનાં સમયચક્રમાં અનંત કાળથી આવાગમન કરતા અનેક જીવ દરરોજ પૃથ્વી પર આવે છે પોતાની યાત્રા કરે છે અને અંતે ફરીથી પુનરપિ જનનં પુનરપિ મરણં, પુનરપિ જનની જઠરે શયનમ્..! અગણિત ફરિયાદો અને અઢળક અધૂરા સપનાઓ વચ્ચે જીવાતી જિંદગીની એક અદભુત ખૂબી એ પણ છે કે જીવન ગમે તેવું હોય એ સતત વિતતું રહે છે. સમય ગમે તેવો હોય ધીમે ધીમે પસાર થતો જ રહે છે. ધારેલી સિધ્ધિઓ અને કરેલી ઈચ્છાઓ સમય પર કદાચ ફળીભુત ન થાય, પરંતુ કર્મ બીજ સ્વરૂપે વાવેલી ક્ષણ સમયના કોઈ પળમાં અંકુરિત ચોક્કસ થતી રહે છે અને સમય પાકતા પૂર્ણ બીજ સ્વરૂપે જીવન માં એ સાક્ષાત્કાર સ્વરૂપે સ્પષ્ટ થતું હોય છે. માનવ જીવનની વિકાસયાત્રા કદાચ બ્રહ્માંડનાં સત્યો જેટલી પૌરાણિક હશે. આ વિકાસ યાત્રામાં ઘણી બધી શોધ અને અનેકાનેક આવિષ્કારો કરનાર માનવી સમયના ચક્રને રોકવાનું શક્ય બનાવી શક્યો નથી,જીવનને ફ્લેશ બેકમાં જીવવાની વિદ્યા શીખી શક્યો નથી કે, કાળના ગર્ભમાં છુપાયેલા સચોટ ભવિષ્યને જાણી શકવાનું સામર્થ્ય કેળવી શક્યો નથી. આથી એવું કહી શકાય કે સમય અને માનવ જીવન એક સિક્કાની બે બાજુઓ છે. જે પરસ્પર અતુટ રીતે જોડાયેલા છે. બદલતા સમયના રંગો સાથે જીવન ભલે ગમે તે ચડાવ ઉતાર માંથી પસાર થતું રહે પરંતુ વહેતું રહેવું એ સમયની જેમ જીવનનો પણ ક્રમ છેઅને એ ક્રમ મેળવી નિર્વિકલ્પ છે. ગુજરાતી સાહિત્ય નાં પ્રખ્યાત ગઝલકાર શ્રી અમૃત ઘાયલ સાહેબની ગઝલની કેટલીક પંક્તિઓ છે કે
સમય જાતા બધું સહેવા હૃદય ટેવાઈ જાય છે,
ગમે તેવું દુ:ખી હો પણ જીવન જીવાઈ જાય છે..!

- Advertisement -

You Might Also Like

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

ખાસ-ખબરની છ વર્ષની ખબર

TAGGED: life
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં ડેન્ગ્યુ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ 8 માસના બાળકનું મોત
Next Article શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા મોટા સર્કલ કાપવાનું શરૂ : અન્યનું શું?

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorBhavy Raval

શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
AuthorBhavy Raval

કનેસરા ગામ પાસે કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને ખોડિયાર માતાજીનું મંદિરનો ત્રિવેણી સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Authorરાજકોટ

શિવભક્તનો અદભુત સેવાયજ્ઞ : રામનાથધામનું નવસર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?