By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    1 hour ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    24 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 day ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    3 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor
Last updated: 2026/09/19 at 1:46 PM
Khaskhabar Editor 1 hour ago
Share
8 Min Read
SHARE

ચિંતન ગમે તેટલું થાય, પરંતુ નિર્ણયોની અમલવારી અને સ્થાનિકથી પ્રદેશ નેતૃત્વ વચ્ચેના સંકલન વિના ચૂંટણી મેદાનમાં સફળતા અશકય

રીના બ્રહ્મભટ્ટ : વિશેષ

- Advertisement -

હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૩ અને ૨૪ સપ્ટેમ્બરે સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળ સાથે બે દિવસની ‘ચિંતન શિબિર’ યોજવાના છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનો લગભગ અડધો
સમય પૂર્ણ થઈ રહ્યો છે. એટલે આને માત્ર મંત્રીઓની સામાન્ય બેઠક તરીકે જોવાને બદલે અત્યાર સુધીના શાસનનું મૂલ્યાંકન, આગળની પ્રાથમિકતાઓ નક્કી કરવી અને મંત્રાલયો વચ્ચે વધુ સારું સંકલન કેવી રીતે થાય તે
અંગેની વિચારમંથન બેઠક તરીકે નિષ્ણાતોમાં જોવામાં આવી રહી છે. અહેવાલો પ્રમાણે મંત્રીઓને નાના જૂથોમાં વહેંચીને શાસન, સંચાર, સ્વ-સુધારણા, મંત્રાલયો વચ્ચે સંકલન અને સરકારી કામગીરી સુધારવા જેવા વિષયો પર
ચર્ચા કરાવવામાં આવશે. મંત્રીઓ પોતાના વિભાગની કામગીરી અને થયેલા સુધારાઓ અંગે રજૂઆત પણ કરશે.

તેવામાં પ્રશ્ન તે છે કે, આટલી મોટી ‘ચિંતન શિબિર’ની જરૂર કેમ પડતી હોય છે ? સરકાર ચલાવવી એટલે માત્ર યોજનાઓ જાહેર કરવી નહીં, પરંતુ તે યોજનાઓ જમીન પર કેટલી પહોંચી, ક્યાં અટકી, લોકો સુધી સરકારી સેવાઓ કેટલી સરળતાથી પહોંચી રહી છે અને અલગ-અલગ મંત્રાલયો વચ્ચે સંકલન કેટલું છે ? તેની પર સતત ધ્યાન આપવું પણ જરૂરી છે. ઉદાહરણ તરીકે, કેન્દ્ર સરકાર કોઈ એક યોજના માટે નાણાં ફાળવે, બીજું મંત્રાલય તેની અમલવારી સાથે જોડાયેલું હોય અને રાજ્ય સરકારો સાથે સંકલન જરૂરી હોય તો માત્ર એક મંત્રાલયની સારી કામગીરી પૂરતી નથી. આવા સ્થળે મંત્રાલયોની વચ્ચે સંકલન ન હોય તો સારી યોજના પણ ધીમી પડી શકે કે ફેઈલ પણ થઇ શકે.એટલે આવી બેઠકમાં ‘શું નક્કી કર્યું?’ કરતાં ‘જે નક્કી કર્યું હતું તે કેટલું થયું અને હવે શું સુધારવું?’ એ સવાલ વધુ મહત્વનો બને છે અને ભાજપનો સફળતાનો મંત્ર પણ આવા ક્યાંક ચિંતનોમાં જ કે એનાલિસિસ માં જ રહેલો છે.
વેલ આ અંગે, ૨૦૨૧ની ચિંતન શિબિરમાં પણ મંત્રીઓને જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. તેમાં વ્યક્તિગત કાર્યક્ષમતા, યોજનાઓના અમલ, મંત્રાલયની કામગીરી, હિતધારકો સાથે સંવાદ, પક્ષ સાથે સંકલન, અસરકારક સંચાર અને સંસદીય કામગીરી જેવા વિષયો પર વિચારમંથન થયું હતું. કેટલાક જૂથોને ટેક્નોલોજી આધારિત દેખરેખ, કામગીરીના ડેશબોર્ડ અને યુવા વ્યાવસાયિકોની મદદ જેવી બાબતો પર પણ કામ સોંપાયું હતું. આ વખતે પણ ૨૦૨૧ના નિર્ણયોની કેટલી અમલવારી થઈ તેની માહિતી મંત્રાલયો પાસેથી માંગવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. એટલે આ વખતેની બેઠકનો એક મહત્વનો પ્રશ્ન એવો પણ બની શકે છે કે પાંચ વર્ષ પહેલાં જે સુધારાની વાત થઈ હતી, તેમાંથી ખરેખર કેટલું અમલમાં આવ્યું? જો કે, શું આનો અર્થ મંત્રીમંડળ બદલાવ નક્કી છે?

ત્યારે આ ચિંતન શિબિરને લઈને કેટલા અખબારો અને નિષ્ણાતોમાં તેમ ચર્ચા છે કે, કદાચ આ શિબિર મંત્રીમંડળ માં ફેરબદલને લઈને છે. તેવામાં ચિંતન શિબિર અને મંત્રીમંડળ ફેરબદલની ચર્ચા એક જ સમયે ચાલી રહી છે, પરંતુ આ એક અટકળ છે.ચિંતન શિબિર મંત્રીમંડળ બદલવા માટે જ યોજાઈ રહી છે એવું સત્તાવાર રીતે જાહેર થયું નથી. હા, તાજેતરમાં વડાપ્રધાને રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે બેઠક કરીને તેમના વિભાગોની કામગીરી, પ્રોજેક્ટની પ્રગતિ, સમયસર અમલ અને પારદર્શિતા અંગે સમીક્ષા કરી હતી. આ દરમિયાન મંત્રીમંડળમાં સંભવિત ફેરફાર અંગેની અટકળો પણ ચાલી રહી હતી. અહીંથી રાજકીય ગણિતની ચર્ચાસ્વાભાવિક છે. મંત્રીમંડળમાં ફેરફાર થાય ત્યારે માત્ર વ્યક્તિ બદલાતી નથી.પ્રદેશ, સામાજિક પ્રતિનિધિતુ, અનુભવ, નવા ચહેરાઓ ને તક, વિભાગની કામગીરી અને સરકારની આગામી પ્રાથમિકતાઓ જેવા અનેક પરિબળો ચર્ચામાં આવી શકે છે. પરંતુ કયા ફેરફાર થશે તે સત્તાવાર નિર્ણય બહાર આવે ત્યાં સુધી તેને અટકળ તરીકે જ જોવું યોગ્ય છે.

- Advertisement -

તો શું કોંગ્રેસમાં આવી વ્યવસ્થા નથી? જો કે, સાવ તેવું પણ નથી .થોડા વર્ષો અગાઉ કોંગ્રેસે પણ ‘ચિંતન શિબિર’ યોજી હતી. ઉદાહરણ તરીકે મે ૨૦૨૨માં ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર યોજાઈ હતી. તેમાં રાજકીય, આર્થિક, સામાજિક ન્યાય, ખેડૂતો, યુવાનો અને સંગઠન જેવા આ છ મુખ્ય ક્ષેત્રોમાં અલગ- અલગ જૂથો બનાવી ચર્ચા કરવામાં આવી હતી. કોંગ્રેસે તે માટે છ સંકલન સમિતિઓ પણ બનાવી હતી. પરંતુ અહીં એક મોટો તફાવત સમજવો જરૂરી છે. સરકારની ચિંતન શિબિર અને રાજકીય પક્ષની ચિંતન શિબિરનો હેતુ એકસરખો નથી હોતો. સરકારની બેઠકમાં મંત્રાલયોની કામગીરી, નીતિના અમલ, વહીવટી સુધારા અને આગળના શાસન અંગે ચર્ચા થાય છે,જ્યારે પક્ષની બેઠકમાં સંગઠન, રાજકીય વ્યૂહરચના, ચૂંટણી, સામાજિક જોડાણ અને પક્ષની આંતરિક રચના જેવા મુદ્દા મહત્વના બને છે.કોંગ્રેસની પોતાની સત્તાવાર માહિતી પ્રમાણે ૨૦૨૨ની ઉદયપુર બેઠકમાં પણ સંગઠન અને રાજકીય વ્યૂહરચના સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

પરંતુ બીજી તરફ, કોંગ્રેસની આવી બેઠકોના ચર્ચાયેલા નિર્ણયોને જમીન પર કેટલા પ્રમાણમાં અમલમાં મૂકવામાં આવ્યા, તે અંગે ભૂતકાળમાં પ્રશ્નો પણ રહેલા છે. ૨૦૨૨ની ચિંતન શિબિર અંગેના એક વિશ્લેષણમાં પણ કોંગ્રેસના અગાઉના સંગઠનાત્મક સુધારા અંગેના સૂચનોના અમલ પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. તેવામાં હાલમાં ગુજરાતની જ વાત કરીયે તો,કોંગ્રેસ માટે ગુજરાતમાં બનાસકાંઠાનું ઉદાહરણ કેમ મહત્વનું છે ? હમણાં જ બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈને વિવાદ સામે આવ્યો છે. અહેવાલો અનુસાર જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પ્રદેશની મંજૂરી વિના નવી જિલ્લા ટીમ જાહેર કરી હતી અને પ્રદેશ કોંગ્રેસે તે માળખું રદ કર્યું. ત્યારબાદ આંતરિક મતભેદો વધુ જાહેર
થયા અને જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખના રાજીનામાની પણ વાત સામે આવી. ત્યારે અહીંથી એક મોટો સંગઠનાત્મક સવાલ ઊભો થાય છે જો પક્ષની અંદર જ જિલ્લા સ્તરે નવી ટીમ બનાવતી વખતે પ્રદેશ અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે પૂરતું સંકલન ન રહે, તો ચૂંટણીના મેદાનમાં સંકલિત રીતે કામ કેવી રીતે થશે? આ પ્રશ્ન માત્ર કોંગ્રેસ માટે જ નહીં, કોઈપણ રાજકીય પક્ષ માટે મહત્વનો છે. કારણ કે સંગઠનનું કામ માત્ર પદો વહેંચવાનું નથી. સ્થાનિક કાર્યકરોનો અભિપ્રાય, નેતાઓ વચ્ચે સંકલન, ઉમેદવાર પસંદગી, મતદારો સાથે સતત સંપર્ક અને જૂથવાદ નિયંત્રિત કરવાની ક્ષમતા આ બધું ચૂંટણી પહેલાં જ ગોઠવવું પડે છે.

તો ચિંતન શિબિર કેટલી જરૂરી?

ત્યારે તેનો જવાબ બેઠક યોજાઈ કે નહીં એમાં નહીં, પરંતુ બેઠક પછી શું બદલાયું તેમાં છે.ચિંતન શિબિર ત્યારે જ અર્થપૂર્ણ બને જ્યારે ત્યાં માત્ર ભાષણો ન થાય, પરંતુ દરેક વિભાગ માટે સ્પષ્ટ પ્રશ્નો પૂછાય.સાચા અર્થમાં ચિંતન થાય, મંથન થાય. તે સિવાય ચૂંટણી જીતવા, કયા લક્ષ્યાંક નક્કી થયા હતા? કેટલા પૂરા થયા? ક્યાં વિલંબ થયો? જવાબદારી કોની હતી? લોકોને ક્યાં મુશ્કેલી પડી?

આગામી એક-બે વર્ષમાં શું બદલવાનું છે?
અને સૌથી મહત્વનું બેઠક પૂરી થયા પછી તેના નિર્ણયો માટે સમયમર્યાદા અને જવાબદારી નક્કી થાય.કારણ કે દેશ હોય, રાજ્ય હોય કે રાજકીય પક્ષ ચિંતન તો એક દિવસમાં થઈ શકે, પરંતુ પરિણામ માટે સતત અમલ જોઈએ.આથી દિલ્હીની ચિંતન શિબિર સાથે ગુજરાતના બનાસકાંઠાના કોંગ્રેસ વિવાદને જોતા એક મોટો સવાલ સામે આવે છે,રાજકારણમાં ચિંતન શિબિરની જરૂર છે કે નહીં એ પ્રશ્ન કરતા અગત્યનું છે કે ચિંતન પછી નિર્ણય કેટલો બદલાય છે અને નિર્ણય પછી જમીન પર કેટલું કામ કે અમલવારી થાય છે?

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

ધર્મ-વિજ્ઞાન પરસ્પર વિરોધી નહીં પરંતુ એકબીજાના પૂરક

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
Next Article શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 53 minutes ago
Author

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?