By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    8 hours ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    1 day ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    3 days ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    5 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોરાયેલા મોબાઈલ રિકવરી કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે
    6 hours ago
    SRHએ MIને 6 વિકેટથી હરાવ્યું, રાયન રિકેલ્ટનની સદી વ્યર્થ ગઈ
    6 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવૅ પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા
    6 hours ago
    ભારત-રશિયા સહિતના BRICS દેશો ટ્રમ્પને આપશે ઝટકો, યુદ્ધ વચ્ચે ડોલરનો દબદબો ખતમ થશે!
    6 hours ago
    ક્રૂડ ઓઈલ ચાર વર્ષમાં સૌથી મોંઘું $126
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    1 day ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    3 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    3 days ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    6 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    8 hours ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પતંગોત્સવ નિમિત્તે ઉત્સાહ-આનંદનો માહોલ: રાજકોટની બજારોમાં રોનક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પતંગોત્સવ નિમિત્તે ઉત્સાહ-આનંદનો માહોલ: રાજકોટની બજારોમાં રોનક
રાજકોટ

પતંગોત્સવ નિમિત્તે ઉત્સાહ-આનંદનો માહોલ: રાજકોટની બજારોમાં રોનક

Khaskhabar Editor
Last updated: 2024/01/13 at 3:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

એ… કાય..પો છે.. એ… લપેટ.. લપેટ.. ઢીલ દે..દે..રે.. દેદે.. ભૈયા..

ખાસ-ખબર સંવાદદાતા
આવતીકાલે મકરસંક્રાંતિ – ઉત્તરાયણનાં તહેવાર નિમિત્તે રાજકોટમાં ઠેરઠેર આનંદ-ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રવિવારે પતંગોત્સવ હોવાથી રાજકોટની મોટાભાગની બજારો શનિવારે રાતે પણ મોડે સુધી ખુલી રહેશે. ખાસ કરીને રાજકોટનાં સદર બજાર વિસ્તારમાં પતંગ રસિયાઓ ઉમટી પડ્યા છે. એકે 56, સાંકળ-8, ગેંડાછાપ, સુરતી જેવા સારામાં સારા પતંગ-દોર વડે આવતીકાલે પતંગબાજો પેચ લગાવી એકબીજાની પતંગ કાપવા આતુર-અધીરા બન્યા છે. રંગીલા રાજકોટે અગાસી-ધાબા પર ઉત્તરાયણની ઉજવણી કરવાની પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. પતંગના જથ્થા, ફિરકીઓ અને સાઉન્ડ સિસ્ટમ્સ સાથે અબાલ-વૃધ્ધો સૌ કોઈ પતંગોને આકાશી ઉડાન કરાવવા માટે પવનદેવને પધારવા પ્રાર્થના કરી રહ્યાં છે.

- Advertisement -

ઉત્તરાયણ એટલે…
ઉત્તરાયણ એટલે જે દિવસથી સૂર્ય ઉત્તર દિશાની તરફ રાયણ કરે છે. તેથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસથી દિવસ લાંબો થાય છે. ઉત્તરાયણ બાદ દરરોજ દિવસ થોડોક થોડોક લાંબો થાય છે. 14મી જાન્યુઆરી જ એક એવો દિવસ છે જ્યારે ધરતી પર સારા દિવસની શરૂઆત થાય છે. કારણ કે, આ દિવસથી સૂર્ય દક્ષિણના બદલે હવે ઉત્તર દિશામાં ગમન કરવા લાગે છે. જ્યાં સુધી સૂર્ય પૂર્વથી દક્ષિણ તરફ ગમન કરે છે ત્યારે તેનાં કિરણોને ખરાબ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે પૂર્વથી ઉત્તરની તરફ ગમન કરવા લાગે છે ત્યારે તેનાં કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે.

આવતીકાલે પતંગબાજોનું પર્વ ઉત્તરાયણ અને સૂર્યદેવની આરાધનાનું પર્વ મકરસંક્રાંતિ ઉજવાશે

જો આવતીકાલે પવન પૂરજોશમાં લહેરાશે તો દિવસભર સંગીતની ધૂન અને પીપૂડીઓના અવાજો સાથે એ કાઇપો છે.. કાઇપો..ના નાદ ગૂંજતા રહેશે. આકાશમાં દિવસે પતંગ યુદ્ધ તો સાંજે આતશબાજીની જમાવટ થશે. ગુજરાત અને એમાં પણ રાજકોટમાં ઉત્તરાયણનાં પર્વ પર લોકો વહેલી સવારે ધાબા પર ચઢી જાય છે અને પંતગ ચગાવે છે. સાથોસાથ શેરડી, બોર, જીંજરા, ચીકી, મમરાનાં લાડું ખાઈ પણ આનંદ માણે છે. મકરસંક્રાંતિનાં દિવસે મોટાભાગનાં ઘરોમાં ઊંધિયું અને ખીચડો રાંધવામાં આવે છે. જલેબી, શીખંડ, પૂરણપોળી અને બાસુંદી જેવી મિષ્ટાનો જમવામાં આવે છે. એકંદરે રાજકોટમાં મકરસંક્રાંતિ ઉત્તરાયણનો તહેવાર બહુ જ ધામધૂમથી ઉજવવામાં આવશે એ નક્કી છે.

- Advertisement -

ભગવાન શ્રી રામે પણ ઉડાડી હતી પતંગ
રામ ઇક દિન ચંગ ઉડાઇ!
ઇન્દ્રલોક મે પહૂંચ ગઈ!!
જાસુ ચંગ અસ સુન્દરતાઈ!
સો પુરુષ જગ મેં અધિકાઈ!!
પૌરાણિક માન્યતા અનુસાર શ્રી રામ ભગવાને પણ પતંગ ઉડાડી હતી. જે અંગે તમિલી રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીરામચરિતમાનસનાં બાલકાંડમાં પણ તુલસીદાસે ઉલ્લેખ કર્યો છે કે, રામ ઇક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક મેં પહૂંચ ગઈ. ત્રેતાયુગમાં એવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે પતંગ ઉડાવ્યો હતો. એક વાર શ્રીરામનો પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી ગયો. જેને જોઈને દેવરાજ ઇન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધો અને વિચારવા લાગી, જાસુ ચંગ અસ સુન્દરતાઈ. સો પુરુષ જગ મેં અધિકાઈ પતંગ ઉડાવનાર અવશ્ર્ય તેને લેવા માટે આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછો ન આવતાં શ્રીરામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ ઉડાવનારનાં દર્શન કર્યાં પછી જ પતંગ પાછો આપવાનું જણાવ્યું અને શ્રીરામના ચિત્રકૂટમાં દર્શન આપવાના આશ્ર્વાસન પછી જ પતંગ પાછો આપ્યો. આ પ્રસંગથી પતંગ ઉડાવવાની પરંપરા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે.

શું કામ ઉત્તરાયણમાં છે તલ, સ્નાન અને દાનનું મહત્ત્વ
વિષ્ણુ ધર્મસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની આત્માની શાંતિ માટે તથા સ્વ સ્વાસ્થ્યવર્ધન તથા સર્વકલ્યાણ માટે તલના છ પ્રયોગ પુણ્યદાયક તથા ફળદાયક હોય છે. તલના તેલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલમાંથી બનેલું ભોજન, જળમાં તલ અર્પણ, તલની આહુતિ, તલનું ઉબટન કરવું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે, જે સૂર્યના પુત્ર હોવા છતાં પણ સૂર્યદેવ સાથે શત્રુભાવ રાખે છે, તેથી શનિદેવના ઘરમાં સૂર્યદેવની ઉપસ્થિતિ દરમિયાન શનિદેવ તેમને કષ્ટ ન આપે તે માટે તલનું દાન અને સેવન મકરસંક્રાંતિના દિવસે ખાસ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માઘ માસમાં જે વ્યક્તિ રોજ ભગવાન વિષ્ણુનું પૂજન તલથી કરે છે તેનાં સમસ્ત કષ્ટ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગમાં બધાં જ દેવી-દેવતાઓ પોતાનું સ્વરૂપ બદલીને સ્નાન કરવા માટે આવે છે તેથી આ દિવસે દાન, તપ, જાપ, સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. ઉત્તરાયણનાં દિવસે ગંગાસ્નાન કરવાથી બધાં જ પ્રકારનાં કષ્ટ અને બીમારીઓમાંથી મુક્તિ મળે છે. મકરસંક્રાંતિના દિવસે અનાજ, વસ્ત્ર, ઊનનાં કપડાં, શેરડી, વિવિધ ફળ વગેરેનું દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. દીર્ઘાયુ તથા નીરોગી રહેવા માટે રોગીએ આ દિવસે ઔષધી, તેલ અને પૌષ્ટિક આહારનું દાન પણ કરવું જોઈએ.

You Might Also Like

3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે

રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો

ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે

રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી

TAGGED: KiteFestival, markets, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટના એકતાબેન ધકાણને પતિ જયેશ અને તેના ભાગીદાર હિતેષ સાગરે ઢોરમાર માર્યો
Next Article ભારતીયોની લાઈફ સ્ટાઈલ બની હાઈફાઈ: સમૃદ્ધિમાં વધારો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

જૂનાગઢમાં વિકાસના નામે વિનાશ? કેવડા વાડીમાં ગટર યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે
રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન
રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો
ડિજિટલ ગુજરાત પોર્ટલ : હવે 20 સેવાઓ એક જ ક્લિકથી મળી જશે
રાજ્યના 3 શહેરમાં નવી બસ સેવા શરૂ: શહેરી બસ યોજના હેઠળ 17 રૂટને મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

3 મેએ UG NEET અને TAT પરીક્ષા યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રવિવારે સમસ્ત કોળી સમાજ દ્વારા 15 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

રૂ.7000 અને મોબાઈલ માટે મિત્રએ જ મિત્રની છરીના ઘા મારી કરી હત્યા: લૂંટની વાર્તા બનાવનાર હત્યારો પકડાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?