છેલ્લાં પચ્ચીસ વર્ષથી ભાજપનો ગઢ ગણાય ત્યારે જુથવાદ કરીને પક્ષને નુકસાન થતું હોવાનો કાર્યકરોમાં વસવસો

કેશોદ: ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રમાં રોડ માર્ગે પ્રવાસે આવવાની ગણતરીની કલાકો બાકી છે ત્યારે કેશોદ શહેર-તાલુકા ભાજપ માં રાજકીય ખળભળાટ મચ્યો છે. ગત ધારાસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી ત્યારે સમગ્ર જિલ્લામાં એક માત્ર કેશોદ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા હતાં. કેશોદના ધારાસભ્ય ની ટીકીટ મેળવવા શરૂ થયેલાં કાવાદાવા વચ્ચે બે જુથ પડી ગયેલા છે ત્યારે ચૂંટાયેલા ધારાસભ્ય નાં અણવરો કચેરીઓ માં રૂઆબથી સાચાં ખોટાં કામ કરવાતા હોય ત્યારે સિધ્ધાંતો ને વરેલા કાર્યકરો આગેવાનો નારાજ છે. કેશોદ નગરપાલિકા અને તાલુકા પંચાયત ભાજપના કબજામાં છે પરંતુ આંતરિક જુથવાદ ને કારણે વિવાદો સર્જાતાં રહે છે. નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સૌરાષ્ટ્રમાં સંગઠન ની વિગતો મેળવવા માટે આવી રહ્યાં છે ત્યારે કેશોદ શહેર-તાલુકા નાં સંગઠન માં પદ મેળવવા માટે કોભાંડીયા, લાંચીયા, દારૂડિયા જુથવાદ કરીને મજબૂત દાવેદારી કરી રહ્યાં છે ત્યારે આવાં વ્યક્તીઓ ને સંગઠન ની જવાબદારી સોંપવામાં આવશે તો આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં નુકશાની વેઠવી પડશે એવો વસવસો કાર્યકરો કાઢી રહ્યાં છે. કેશોદ શહેર-તાલુકા ભાજપ માં પાંચ પાંચ જુથ પોતપોતાના ઉપલા ગોડફાધર ની સુચનાઓ મુજબ રાજનીતિ કરી રહ્યા છે ત્યારે સંગઠન ની નિમણુંકો માં પોતાનું પલડું ભારે રાખવા મરણિયા પ્રયાસો કરવા લાગ્યા છે.

કેશોદના બે આગેવાનો જીલ્લા ભાજપના પ્રમુખ માટે મજબુત દાવેદારી નોંધાવી છે ત્યારે બન્ને જુથના આગેવાનો ટેકેદારો ને સાચવવાના થાય છે ત્યારે જવાબદાર પ્રદેશ કક્ષાએ થિગડા મારવામાં આવે છે કે પક્ષની વિચારધારા મુજબ શિસ્ત અને અંનુશાશન નું પાલન કરવામાં આવશે એ આવનારાં દિવસોમાં ખબર પડશે. રાજકીય વર્તુળોમાં થી મળતી માહિતી મુજબ જુથવાદ ને નબળો કરવા માટે કદાવર નેતાઓ ને બોર્ડ નિગમ માં સમાવેશ કરવામાં આવશે અને જ્ઞાતિવાદ નાં સમીકરણો જાળવી રાખવા માટે સ્વચ્છ પ્રતિભા ધરાવતાં નામો પર મહોર મારી સ્થિતિ થાળે પાડવામાં આવશે. પુર્વ સાંસદ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતાં એ તમામ ને ચૂંટણીમાં ઉમેદવારી કરાવવાને બદલે સંગઠન ની જવાબદારી સોંપવામાં આવશે જેથી આવનારાં દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં પરિણામ મેળવી શકાય એવું ચર્ચાઈ રહ્યું છે.
(અનિરુધસિંહ બાબરીયા – કેશોદ)