By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    37 minutes ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    44 minutes ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ

Khaskhabar Editor
Last updated: 2022/11/01 at 6:15 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

વડોદરાના સાંડેસરા બંધુઓએ બેન્કોને 17 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે

ચેતન સાંડેસરાનો સાળો હિતેશ પટેલ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં જે નિર્દોષ નાગરિકોના મોત થયા છે, તેનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની – જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો અને તેનું કનેક્શન વડોદરાના કૌભાંડીઓ સાથેનું નીકળ્યું છે. આ કનેક્શન એવી રીતે જોડાય છે કે, બનેવી સાથે મળી બેંકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલા વડોદરાના કૌભાંડી હિતેશ પટેલની પુત્રીના લગ્ન જયસુખ પટેલના પુત્ર સાથે થયા છે. આમ, હિતેશ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે. રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ ખાનગી ફાયનાન્સ કંપનીઓને 17 હજાર કરોડ ઉપરાંતનો ચુનો ચોપડી અંડર ગ્રાઉન્ડ થઈ ગયેલા વડોદરાના કૌભાંડી ચેતન ઉર્ફે ચીકુ સાંડેસરા, તેની પત્ની દિપ્તી સાંડેસરા, નીતિન સાંડેસરા, ચીકુના સાળા હિતેશ પટેલ અને મયુરી પટેલને આજે પણ સીબીઆઈ શોધે છે. હવે, કૌભાંડી હિતેશના વેવાઈ જયસુખ પટેલના કાંડે દેશમાં જ નહીં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. મોરબીમાં જે ઝુલતા પુલનું મેઈટેન્સન્સ કરી 15 વર્ષ માટે ચલાવવાનો ઈજારો આપવામાં આવ્યો હતો, તે જયસુખ પટેલની ઓરેવા કંપની પાસે હતો. બે કરોડના ખર્ચે ઝુલતા પુલને રીપેર કરી નગર પાલિકાની મિલીભગતથી નવા વર્ષે જ પબ્લિક માટે ખુલ્લો મુકી દેવાયો હતો. જેને લઈ રવિવારે મોડીસાંજે ઝુલતો પુલ તુટી પડતાં આશરે 150 જેટલા લોકોના મૃત્યુ થયા છે.

ચેતન સાંડેસરા, બહેન દીપ્તિ અને વિદેશ ભાગી ગયેલા હિતેશ પટેલને ઈઇઈં શોધે છે

મુખ્ય આરોપી જયસુખ પટેલ સામે ફરિયાદ ન થતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું
પોલીસે દુર્ઘટનામાં મેઈન્ટેન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સીઓને જવાબદાર ઠેરવીને નાના કર્મચારીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પુલ દુર્ઘટનાના કલાકો બાદ ક્યાં છે જયસુખ પટેલ? શું ધરપકડના ડરથી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે? મોરબી પોલીસ પણ કેમ જયસુખને છાવરી રહી છે? કાર્યવાહીના નામે શું માત્ર નાના કર્મચારીઓને પકડીને પોલીસ સંતોષ માનશે? આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે.

- Advertisement -

ઝૂલતાં પુલનાં જઘન્ય સામુહિક હત્યાકાંડનાં આરોપી જયસુખ પટેલને છાવરવાનો પ્રયાસ

પોલીસને તમામ નામ અને એજન્સીની જાણ હતી છતાં નામજોગ ફરિયાદ ન કરી

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે શરૂઆતથી જ અમુક મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રવિવારે સાંજના સમયે બનેલી ઘટનાની ગણતરીની કલાકોમાં જ એફઆઈઆર પોલીસે નોંધી લીધી છે અને તેમાં માત્ર એજન્સીનો જ ઉલ્લેખ કરાયો છે કઈ એજન્સી છે તે પણ લખવામાં આવ્યું નથી. રવિવારની રાત્રે જ એજન્સી અને નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી ફરતી થઈ ગઈ હતી અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કઈ કંપનીને કેટલા સમય માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમ છતાં પોલીસે કોઇકના ઈશારે ભૂંડી ભૂમિકા ભજવવાની શરૂઆત કરી દીધી છે. કોઇ અજાણી વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ આપણે સંવેદના વ્યક્ત કરતા હોઈએ છીએ, ટ્વીટ કરતા હોઈએ છીએ, બે હાથ જોડે તેવા ઈમોજી પણ આપણે મૂકતા હોઈએ છીએ, ઓમ શાંતિના સંદેશા વહેતા મૂકતા હોઇએ છીએ પરંતુ રાજકોટ રેન્જ આઈજી કે જેના હાથ બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં ખરડાયેલા છે તે અશોક યાદવ, મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રકાશ દેકાવાડિયાએ મોટા માથાને બચાવવા માટે ખેલ શરૂ કર્યો હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. એફઆઈઆરમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાનો સમય સાંજના 6.30 કલાકનો દર્શાવવામાં આવ્યો છે અને 20:15 એટલે કે રાત્રે 8.15 કલાકે પોલીસને જાણ થયાનો સમય દર્શાવ્યો છે. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રકાશ દેકાવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે 1) ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી 2) મેનેજમેન્ટ કરનાર એજન્સી અને 3) તપાસમાં ખૂલે તે. તેવું દર્શાવવામાં આવ્યું છે. આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

બધી જ જાણ હોવા છતાં પોલીસે…
રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર દેકાવાડિયાને એ જાણ હતી કે, 7 માર્ચ 2022ના રોજ નગરપાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. (ઓરેવા ગ્રૂપ) વચ્ચે ઝૂલતા પુલના મેન્ટેનન્સ સહિતના કરારો થયા છે આ કરારમાં કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું, કેવી રીતે સોંપવામાં આવ્યું, રિપેરિંગનો ખર્ચ કેટલો થશે, સંચાલન કેવી રીતે થશે, જે રૂપિયા આવશે તે કોને મળશે સહિત તમામનો ઉલ્લેખ હતો. જોકે, નગરપાલિકા પાસેથી કરારની કોપી લઈને એજન્સી તેમજ એજન્સીના માલિકો અને ડિરેક્ટરો સામે નામજોગ ફરિયાદ કરવાને બદલે બે આઈપીએસ અને એક ક્લાસ-2 અધિકારીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનું ન્યાયપાલિકા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું મેનેજમેન્ટ-રિપેરિંગનું કામ કેવી રીતે મળ્યું?

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગત રવિવારે સાંજે ઝૂલતા પુલ પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો.મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટીને નદીમાં પડી જવાથી અત્યાર સુધીમાં આશરે 150 જેટલા લોકોના મોત થયા છે.આ ઘટના બાદથી પુલની જાળવણીની જવાબદારી સંભાળતું ઓરેવા ગ્રુપ શંકાના દાયરામાં આવ્યું છે.અહીં પ્રશ્ન એ ઉભો થયો છે કે અંજતા ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું સંચાલન તેમજ સમારકામ કેવી રીતે મળ્યું? તે સૌથી મોટો સવાલ છે. આ પુલનું નવીનીકરણ કરનાર ઓરેવા ગ્રુપ અને જયસુખ પટેલે આ બ્રિજ માટે 25 વર્ષની ગેરંટી આપી હતી.આ બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ અને સરકારની ત્રણ એજન્સીઓ દ્વારા તપાસ કરવાની બાકી હતીપરંતુ દિવાળી દરમિયાન ઉતાવળમાં જયસુખ પટેલે તેમની પૌત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું.

બ્રિજનાં સમારકામનું ટેન્ડર ન કરાયું, જૂના વાયરો બદલાયા નહીં

ખાસ-ખબર સંવાદદાતા
બ્રિજનું નવીનીકરણ કરનાર ગુજરાત સ્થિત કંપની ઓરેવાને મોરબી પાલિકા દ્વારા માર્ચમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોઈ ટેન્ડર રૂૂટ લેવામાં આવ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું કે દેશની ટોચની ફોરેન્સિક લેબોરેટરીએ પણ ભારે ભીડને કારણે પુલ ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક ટીમે પૃથ્થકરણ માટે ભારે કટીંગ ટૂલ્સ વડે પુલ પરથી ધાતુના નમૂનાઓ કાઢ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે ફોરેન્સિક અધિકારીઓએ સ્ટ્રક્ચરના સેમ્પલ લેવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે તેમને જાણવા મળ્યું કે લોકોની ભારે ભીડને કારણે કેબલ બ્રિજનું માળખું નબળું પડી ગયું છે. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં ડઝનેક લોકો પુલ પર કૂદતા અને દોડતા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં આનંદ માટે સંરચનાને પ્રભાવિત કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હોવાનું જણાય છે.
મચ્છુ નદી પર બનેલા આ પુલની ક્ષમતા 100-150 લોકોની જ હતી. અકસ્માતના દિવસે એટલે કે રવિવારે આ પુલ પર ક્ષમતા કરતા 5 ગણા વધુ લોકો હતા. 100 લોકોની ક્ષમતાવાળા બ્રિજ પર 400-500 લોકો આવી પહોંચ્યા હતા.

PM મોદી બપોર પછી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચશે
આજે વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લેશે. એને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવર-જવર બંધ કરાઇ છે. જ્યારે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

You Might Also Like

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો

સરધારમાં મંજૂરી વિના જ ‘શૌર્ય સિંદૂર મેળો’ ધમધમી રહ્યો છે : અકસ્માત થાય તો જવાબદાર કોણ?

જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

TAGGED: BRIDGE, JAYSUKHPATEL, machhuriver, morbi, orevacompany
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ સાથે સુરક્ષાના સાધનોનો અભાવ
Next Article Avast Antivirus Software program Review

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
સરધારમાં મંજૂરી વિના જ ‘શૌર્ય સિંદૂર મેળો’ ધમધમી રહ્યો છે : અકસ્માત થાય તો જવાબદાર કોણ?
જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન
મક્કામાં સાઉદી, તુર્કી અને પાકિસ્તાન વચ્ચે સંયુક્ત સંરક્ષણ કરારઃ ભારત માટે ચિંતનનો વિષય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટ

સરધારમાં મંજૂરી વિના જ ‘શૌર્ય સિંદૂર મેળો’ ધમધમી રહ્યો છે : અકસ્માત થાય તો જવાબદાર કોણ?

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?