By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
    23 minutes ago
    હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે
    2 days ago
    તાલિબાન સરકારના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી આવશે ભારતની મુલાકાતે
    2 days ago
    POKમાં સૌથી વધુ વસ્તી હિન્દૂ કે મુસ્લિમની છે ? ચાલો જાણીયે
    2 days ago
    રશિયન સેના દ્વારા અનેક યુક્રેનિયન સૈન્ય ઠેકાણા અને ગેસ પ્લાન્ટન પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
    2 days ago
    પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
    2 days ago
    ભારતીય ન્યાયતંત્ર કાયદાના શાસન માટે છે, બુલડોઝર ન્યાય માટે નહીં; પોતાના ચુકાદાને ટાંકે છે: મોરેશિયસમાં CJI BR ગવઈ
    2 days ago
    નવ બાળકોના મૃત્યુ બાદ મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રીફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો
    2 days ago
    ફ્લિપકાર્ડ, ઝોમેટો જેવી ઇ-કોમર્સ કંપની એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ લે છે તો તેમની સામે કાર્યવાહી થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    2 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    7 days ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    7 days ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    7 days ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    4 days ago
    શિલ્પા અને રાજને થાઈલેન્ડ ત્રણ દિવસના વેકેશન પર જવાની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી
    4 days ago
    શ્રદ્ધા કપૂરે એનિમેટેડ ફિલ્મ ‘છોટી સ્ત્રી’ની જાહેરાત કરી
    7 days ago
    દિલજીત -પરિણિતીની અમર સિંહ ચમકીલા માટે ઇન્ટરનેશનલ એમી એવોર્ડ માટે નોમિનેટ
    1 week ago
    સરદારજી 3 વિવાદ બાદ દિલજીત દોસાંઝે ભારત-પાકિસ્તાનની મેચો પર કટાક્ષ કર્યો
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    5 days ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
    શક્તિ અને આરાધનાના પર્વનો પ્રારંભ
    2 weeks ago
    આજે અનંત ચતુર્દશી: દુર્લભ સંયોગ હોવાથી આ નિયમોનું પાલન અવશ્ય કરો
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    1 week ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    2 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ
ખાસ-ખબરગુજરાતરાજકોટ

જયસુખ પટેલનાં કુટુંબીઓ પણ વ્હાઈટ કોલર ક્રિમિનલ

Khaskhabar Editor
Last updated: 2022/11/01 at 6:15 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

વડોદરાના સાંડેસરા બંધુઓએ બેન્કોને 17 હજાર કરોડનો ચૂનો લગાવ્યો છે

ચેતન સાંડેસરાનો સાળો હિતેશ પટેલ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનામાં જે નિર્દોષ નાગરિકોના મોત થયા છે, તેનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની – જયસુખ પટેલને આપવામાં આવ્યો હતો અને તેનું કનેક્શન વડોદરાના કૌભાંડીઓ સાથેનું નીકળ્યું છે. આ કનેક્શન એવી રીતે જોડાય છે કે, બનેવી સાથે મળી બેંકો સાથે કરોડો રૂપિયાનું કૌભાંડ કરી વિદેશ ભાગી ગયેલા વડોદરાના કૌભાંડી હિતેશ પટેલની પુત્રીના લગ્ન જયસુખ પટેલના પુત્ર સાથે થયા છે. આમ, હિતેશ અને જયસુખ પટેલ વેવાઈ થાય છે. રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ ખાનગી ફાયનાન્સ કંપનીઓને 17 હજાર કરોડ ઉપરાંતનો ચુનો ચોપડી અંડર ગ્રાઉન્ડ થઈ ગયેલા વડોદરાના કૌભાંડી ચેતન ઉર્ફે ચીકુ સાંડેસરા, તેની પત્ની દિપ્તી સાંડેસરા, નીતિન સાંડેસરા, ચીકુના સાળા હિતેશ પટેલ અને મયુરી પટેલને આજે પણ સીબીઆઈ શોધે છે. હવે, કૌભાંડી હિતેશના વેવાઈ જયસુખ પટેલના કાંડે દેશમાં જ નહીં વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. મોરબીમાં જે ઝુલતા પુલનું મેઈટેન્સન્સ કરી 15 વર્ષ માટે ચલાવવાનો ઈજારો આપવામાં આવ્યો હતો, તે જયસુખ પટેલની ઓરેવા કંપની પાસે હતો. બે કરોડના ખર્ચે ઝુલતા પુલને રીપેર કરી નગર પાલિકાની મિલીભગતથી નવા વર્ષે જ પબ્લિક માટે ખુલ્લો મુકી દેવાયો હતો. જેને લઈ રવિવારે મોડીસાંજે ઝુલતો પુલ તુટી પડતાં આશરે 150 જેટલા લોકોના મૃત્યુ થયા છે.

ચેતન સાંડેસરા, બહેન દીપ્તિ અને વિદેશ ભાગી ગયેલા હિતેશ પટેલને ઈઇઈં શોધે છે

મુખ્ય આરોપી જયસુખ પટેલ સામે ફરિયાદ ન થતાં અનેક ચર્ચાએ જોર પકડ્યું
પોલીસે દુર્ઘટનામાં મેઈન્ટેન્સ અને મેનેજમેન્ટ કરનાર એજન્સીઓને જવાબદાર ઠેરવીને નાના કર્મચારીઓની ધરપકડ કરી છે, પરંતુ મુખ્ય આરોપી સામે હજુ સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ. ઘટનાને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે. પુલ દુર્ઘટનાના કલાકો બાદ ક્યાં છે જયસુખ પટેલ? શું ધરપકડના ડરથી જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે? મોરબી પોલીસ પણ કેમ જયસુખને છાવરી રહી છે? કાર્યવાહીના નામે શું માત્ર નાના કર્મચારીઓને પકડીને પોલીસ સંતોષ માનશે? આ તમામ સવાલો હાલ ઉઠી રહ્યા છે.

- Advertisement -

ઝૂલતાં પુલનાં જઘન્ય સામુહિક હત્યાકાંડનાં આરોપી જયસુખ પટેલને છાવરવાનો પ્રયાસ

પોલીસને તમામ નામ અને એજન્સીની જાણ હતી છતાં નામજોગ ફરિયાદ ન કરી

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનામાં પોલીસે શરૂઆતથી જ અમુક મોટા માથાઓને બચાવવાનો ખેલ શરૂ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રવિવારે સાંજના સમયે બનેલી ઘટનાની ગણતરીની કલાકોમાં જ એફઆઈઆર પોલીસે નોંધી લીધી છે અને તેમાં માત્ર એજન્સીનો જ ઉલ્લેખ કરાયો છે કઈ એજન્સી છે તે પણ લખવામાં આવ્યું નથી. રવિવારની રાત્રે જ એજન્સી અને નગરપાલિકા વચ્ચે થયેલા કરારની કોપી ફરતી થઈ ગઈ હતી અને તેમાં સ્પષ્ટપણે ઉલ્લેખ છે કે કઈ કંપનીને કેટલા સમય માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આમ છતાં પોલીસે કોઇકના ઈશારે ભૂંડી ભૂમિકા ભજવવાની શરૂઆત કરી દીધી છે. કોઇ અજાણી વ્યક્તિનું મૃત્યુ થાય તો પણ આપણે સંવેદના વ્યક્ત કરતા હોઈએ છીએ, ટ્વીટ કરતા હોઈએ છીએ, બે હાથ જોડે તેવા ઈમોજી પણ આપણે મૂકતા હોઈએ છીએ, ઓમ શાંતિના સંદેશા વહેતા મૂકતા હોઇએ છીએ પરંતુ રાજકોટ રેન્જ આઈજી કે જેના હાથ બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં ખરડાયેલા છે તે અશોક યાદવ, મોરબીના એસ.પી. રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પ્રકાશ દેકાવાડિયાએ મોટા માથાને બચાવવા માટે ખેલ શરૂ કર્યો હોય તેવું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. એફઆઈઆરમાં ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાનો સમય સાંજના 6.30 કલાકનો દર્શાવવામાં આવ્યો છે અને 20:15 એટલે કે રાત્રે 8.15 કલાકે પોલીસને જાણ થયાનો સમય દર્શાવ્યો છે. ત્યારબાદ પોલીસ ઈન્સ્પેક્ટર પ્રકાશ દેકાવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી તેમાં આરોપી તરીકે 1) ઝૂલતો પુલ મેન્ટેનન્સ કરનાર એજન્સી 2) મેનેજમેન્ટ કરનાર એજન્સી અને 3) તપાસમાં ખૂલે તે. તેવું દર્શાવવામાં આવ્યું છે. આઈપીસી કલમ 304, 308 અને 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

બધી જ જાણ હોવા છતાં પોલીસે…
રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર દેકાવાડિયાને એ જાણ હતી કે, 7 માર્ચ 2022ના રોજ નગરપાલિકા અને અજંતા મેન્યુફેક્ચરિંગ પ્રા. લિ. (ઓરેવા ગ્રૂપ) વચ્ચે ઝૂલતા પુલના મેન્ટેનન્સ સહિતના કરારો થયા છે આ કરારમાં કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું, કેવી રીતે સોંપવામાં આવ્યું, રિપેરિંગનો ખર્ચ કેટલો થશે, સંચાલન કેવી રીતે થશે, જે રૂપિયા આવશે તે કોને મળશે સહિત તમામનો ઉલ્લેખ હતો. જોકે, નગરપાલિકા પાસેથી કરારની કોપી લઈને એજન્સી તેમજ એજન્સીના માલિકો અને ડિરેક્ટરો સામે નામજોગ ફરિયાદ કરવાને બદલે બે આઈપીએસ અને એક ક્લાસ-2 અધિકારીએ ગંભીર બેદરકારી દાખવી હોવાનું ન્યાયપાલિકા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.

ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું મેનેજમેન્ટ-રિપેરિંગનું કામ કેવી રીતે મળ્યું?

ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં ગત રવિવારે સાંજે ઝૂલતા પુલ પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો.મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટીને નદીમાં પડી જવાથી અત્યાર સુધીમાં આશરે 150 જેટલા લોકોના મોત થયા છે.આ ઘટના બાદથી પુલની જાળવણીની જવાબદારી સંભાળતું ઓરેવા ગ્રુપ શંકાના દાયરામાં આવ્યું છે.અહીં પ્રશ્ન એ ઉભો થયો છે કે અંજતા ઘડિયાળ બનાવતી કંપનીને ઝૂલતા પુલનું સંચાલન તેમજ સમારકામ કેવી રીતે મળ્યું? તે સૌથી મોટો સવાલ છે. આ પુલનું નવીનીકરણ કરનાર ઓરેવા ગ્રુપ અને જયસુખ પટેલે આ બ્રિજ માટે 25 વર્ષની ગેરંટી આપી હતી.આ બ્રિજનું ફિટનેસ સર્ટિફિકેટ અને સરકારની ત્રણ એજન્સીઓ દ્વારા તપાસ કરવાની બાકી હતીપરંતુ દિવાળી દરમિયાન ઉતાવળમાં જયસુખ પટેલે તેમની પૌત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું.

બ્રિજનાં સમારકામનું ટેન્ડર ન કરાયું, જૂના વાયરો બદલાયા નહીં

ખાસ-ખબર સંવાદદાતા
બ્રિજનું નવીનીકરણ કરનાર ગુજરાત સ્થિત કંપની ઓરેવાને મોરબી પાલિકા દ્વારા માર્ચમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને કોઈ ટેન્ડર રૂૂટ લેવામાં આવ્યો ન હતો. સૂત્રોએ જણાવ્યું કે દેશની ટોચની ફોરેન્સિક લેબોરેટરીએ પણ ભારે ભીડને કારણે પુલ ધરાશાયી થયો હોવાનું જાણવા મળ્યું છે. ફોરેન્સિક ટીમે પૃથ્થકરણ માટે ભારે કટીંગ ટૂલ્સ વડે પુલ પરથી ધાતુના નમૂનાઓ કાઢ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે ફોરેન્સિક અધિકારીઓએ સ્ટ્રક્ચરના સેમ્પલ લેવા માટે ગેસ કટરનો ઉપયોગ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે તેમને જાણવા મળ્યું કે લોકોની ભારે ભીડને કારણે કેબલ બ્રિજનું માળખું નબળું પડી ગયું છે. સોશિયલ મીડિયા પરના વિડીયોમાં ડઝનેક લોકો પુલ પર કૂદતા અને દોડતા દર્શાવવામાં આવ્યા હતા, જેમાં આનંદ માટે સંરચનાને પ્રભાવિત કરવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ હોવાનું જણાય છે.
મચ્છુ નદી પર બનેલા આ પુલની ક્ષમતા 100-150 લોકોની જ હતી. અકસ્માતના દિવસે એટલે કે રવિવારે આ પુલ પર ક્ષમતા કરતા 5 ગણા વધુ લોકો હતા. 100 લોકોની ક્ષમતાવાળા બ્રિજ પર 400-500 લોકો આવી પહોંચ્યા હતા.

PM મોદી બપોર પછી મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચશે
આજે વડપ્રધાન નરેન્દ્ર મોદી મોરબીની મુલાકાત લેશે. એને લઇને મોરબી સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. સિવિલ હોસ્પિટલમાં દર્દી સિવાય અન્ય લોકોને પ્રવેશ બંધ કરાયો છે અને આસપાસના રોડ રસ્તા પર પણ વધારાની અવર-જવર બંધ કરાઇ છે. જ્યારે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક પાળવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

You Might Also Like

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે

જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્ર્વકર્મા

શક્તિ વાવાઝોડું: ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદની આગાહી

સરગમ પરિવારના રાસોત્સવમાં 250 ઇનામોનો વરસાદ: હજારો ખેલૈયા ઝૂમ્યા

TAGGED: BRIDGE, JAYSUKHPATEL, machhuriver, morbi, orevacompany
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓ સાથે સુરક્ષાના સાધનોનો અભાવ
Next Article Avast Antivirus Software program Review

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

અમેરિકા શટડાઉનની અસર સ્પેસ એજન્સી નાસામાં જોવા મળી છે

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ઈરાનમાં હવે 10,000 રિયાલની વેલ્યૂ 1 થઈ ? જાણો શા માટે
મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો
PM મોદી 8 ઓક્ટોબરે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે
પ્રિલિમ્સ પુરી થતા જ આવી જશે આન્સર કી, UPSCનો નિર્ણય
ગ્રીનકાર્ડ કેમ મેળવશો?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

મધ્યપ્રદેશ અને રાજસ્થાન બાદ હવે ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રીએ કફ સિરપના વેચાણ અંગે તાત્કાલિક તપાસનો આદેશ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

હમાસ ગાઝા પર કબજો છોડશે, બંધકોને મુક્ત કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ગુજરાત

જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા વિશ્ર્વકર્મા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?