રાષ્ટ્ર પ્રત્યે વફાદારી એ જ સાચો ધર્મ: દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા નાગરિક નહીં પણ ’ગદ્દાર’
તમે જયારે કોઈપણ દેશના નાગરિક તરીકે આ દેશની ધરતી પર જન્મ લો છો ત્યારથી જ ધરતીના ઋણી થઇ જાઓ છો.માભોમ કે આ ધરતી , તેના લોકો અને તેના કાયદાને વફાદાર રહેવાની ફરજ સાથે જોડાઈ જાવ છો.તમારે આ દેશની માટીને માથે ચડાવવી પડે છે, જ્યાં તમે રહો છો, આ દેશના બંધારણ અને કાયદાનું સન્માન કરવું પડે છ.પરંતુ અગર તમે આ જ દેશમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા રહો છો તો તમે ગદ્દારીની વ્યાખ્યામાં તો આવો જ છો પરંતુ તે જ સાથે તમે આ દેશના નાગરિક પણ મટી જાવ છો કેમ કે તમે દેશ વિરોઘી પ્રવૃત્તિ કરો છો.એટલે તમે ઈંક્ષમશફક્ષ નથી..ઝફિશજ્ઞિિં છો.તો તમને આ ધરતી પર રહેવાનો હક તો છોડો પણ તમે ગુનેગાર બની જેલના સળિયા પાછળ ધકેલાવ છો.ગુનાખોરીમાં પણ ગદ્દારી આખો અલગ જ વિષય છે.
હાલમાં અહીં આ રિલેટેડ ખાસ કેટલાક મુદ્દા અંગે વાત કરીયે,
વેલ , દેશમાં 28 થી 30 % જેટલા લોકો મુસ્લિમ છે.જે શીખો અને જૈનોની જેમ લઘુમતીમાં આવે.પરંતુ દેશમાં હાલ જે પણ સરકારી યોજનાઓ લાગુ છે તે બધી જ યોજનાઓનો લાભ દેશના તમામ નાગરિકોને કોઈપણ ભેદભાવ વગર એકસમાન રીતે બધાને મળે જ છે.સરકારી અન્ન યોજના થકી અનાજ, આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેવી નાની મોટી અનેક યોજનાઓનો લાભ આજે કરોડો લોકોને મળે છે.મતલબ કે તમે મફત સરકારી તમામ લાભો પણ આ દેશના નાગરિકો તરીકે લો જ છો.તો પછી તમારી ફરજમા આ દેશના એક વફાદાર નાગરીક બનવાનું કર્તવ્ય નથી આવતું ? તમારી જાતને જ આ સવાલ પૂછો અને જો તમે અગર આમ નથી કરતા તો તમે આ દેશના નાગરિક ગણાવ ખરા ? જાતે જ નક્કી કરો.હાલમાં હાલ બનેલા કેટલાક ખાસ, કેસ જોઈએ તો,
નાસિકની ઝઈજ માં તેની ઇંછ નિદા ખાન દ્વારા કેટલીક યુવતીઓને બળજબરીથી ધર્માતરણ, બુરખો પહેરાવવો,નમાજ પઢાવવી, માંસ ખવડાવવું જેવી પ્રવૃત્તિ કરવામાં આવી. આ મામલે દેશભરમાં ચર્ચા જગાવી.આવું કરવા પાછળનો ઉદેશ્ય જે પણ હોય પરંતુ સમજી લેવું જોઈએ કે, દેશ એટલે જ પ્રજા તમે પ્રજા વિરોધી પણ કોઈ પ્રવૃત્તિ કરો છો તો તે દેશ વિરોધી જ પ્રવૃત્તિ છે.
ધર્મ દરેકની અંગત બાબત છે , એક આઇડેન્ટિટી છે તમારે જબરદસ્તી ધર્મ પરિવર્તન કેમ કરાવવું પડે છે ? દરેક ધર્મ પોતાને સ્થાને યોગ્ય જ છે.તેમછતાં યાદ રાખજો કે ધર્મના નામે તમે કોઈક સાથે ગુનાખોરી કરી રહ્યા છો, બાકી કોઈ ધર્મ તમને આવું શીખવાડતો નથી.તો તમારે આમ કરવાની શું જરૂર છે ?ધર્મ શાંતિનો માર્ગ જ ચીંધે છે અને ધર્મ હોય છે પણ શાંતિ માટે જ તે સમજી લો.
અમરાવતીમાં પણ 180 જેટલી યુવતીઓનું ઉત્પીડન તમને અજમેર કાંડની યાદ અપાવી જાય છે. આમાં પણ અયાન અહમદ નામના યુવાને હિન્દૂ યુવતીઓનું યૌન શોષણ કરી તેના 350 જટિલ વીડિઓ બનાવ્યા હતા.આ આખો સિલસિલાબંધ બનાવ છે.આટલી મોટી માત્રામાં આટલી યુવતીઓ સાથે આમ કરતા શું તેને કાયદાનો કોઈ ડર નહીં લાગ્યો હોય ?
વધુમાં કેરલા 1 અને 2 માં બતાવ્યા મુજબ આ પ્રકારની પ્રવૃતિઓ કેવળ પુરુષો જ કરે છે તેવું હરગિજ નથી.સ્ત્રીઓ દ્વારા પણ હિન્દૂ યુવતીઓને મિત્ર બનાવી ફસાવવાના ષડયંત્રો રચવામાં આવે છે અને આવા અસંખ્ય વિડિઓ ફરતા જોવા પણ મળે જ છે.
આ સિવાય રોજબરોજ છૂટક મુટક લવ જેહાદના મામલાઓ તો રોજેરોજ ક્યાંકને ક્યાંક બનતા જ રહે છે.તે સાથે જ સ્કૂલોમાં પણ વિદ્યાર્થીને જબરદસ્તી નમાજ પઢાવવી જેવા મામલાઓ પણ નોંધાતા રહે છે.
ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ નો અર્થ શું ? આટલા બનાવોની તો ચર્ચા છે બાકી જે હજી ઘટનાઓ પ્રકાશમાં નથી આવી કે ક્યાંક ખૂણે ખાચરે બની રહી છે તે તો અલગ જ ઘટના છે.
પાકિસ્તાન જિંદાબાદ હૈ તો હૈ ..લેકિન હિન્દુસ્તાન મુરાદાબાદ તો ન જ હોઈ શકે.
- Advertisement -
પાકિસ્તાન જેવી કટ્ટરતા દેશને બરબાદી તરફ લઈ જશે
મુસ્લિમ બૌદ્ધિકોનું મૌન ક્યારે તૂટશે?
જે કોઈ ના સ્વીકારે તે સ્લોગન આવી પ્રવૃતિઓ કરનારા લોકો સમજી લે.કેમ કે, આ લોકો રહેતા હિન્દુસ્તાનમાં હોય છે પણ દિલ આજેપણ પાકિસ્તાન માટે ધડકે છે. જે કેટલાય વર્તનમાં અને સોશયલ મીડિયામાં દેખાય છે.
- Advertisement -
તે સિવાય પણ આતંકી ષડયંત્રો રચવા, સ્લીપર સેલ બનવું ,દુશમન દેશમાંથી રેકી કરવા આવતા શત્રુઓને લોકલી સહાય કરવી ? જેવી પ્રવૃતિઓ પણ બનતી જ રહે છે. ત્યારે નથી લાગતું કે , આ બધી પ્રવૃતિઓ પણ દેશ
વિરોધી છે ?
બાકી ભારતીય સંવિધાનમાં ધાર્મિક સ્વતન્ત્રતા નો અધિકાર અનુચ્છેદ 25 થી 28 સુધી મુદ્દાસર મોજુદ છે.જે દરેક નાગરિકને તેના પોતાના ધર્મને માનવા, આચરણ કરવાની સ્વતન્ત્રતા આપે છે.ત્યારે તમે તમારા ધર્મને અનુસરો, તેની પ્રાર્થના કરો તે એક સ્વાભાવિક બાબત છે.
આફટર ઓલ આ બધી પ્રવૃતિઓમાં અગર 5 થી 7 % કોમ્યુનિટી પણ જો સામેલ હોય તો તેને લીધે સમગ્ર કોમ્યુનિટીને ભોગવવાનો વારો આવે છે.લોકો માટે સમગ્ર કોમે ધિક્કારની ભાવના વેઠવી પડે છે તેમજ સારા લોકો હોય તેમને પણ શકની નજરે જોવામાં આવે છે.તેમજ દેશમાં પણ કોમી સૌહાર્દ બગડે છે.આ ધિક્કાર સમાજની શાંતિ અને એકતામાં પણ દરાર
પાડે છે.
હા, સમાજમાં સારા કેટલાય મુસ્લિમો છે જ, જી ઘણા હિન્દુઓના સારા અને નજીકના મિત્રો હોય જ છે.પરંતુ દેશમાં કે ગુજરાતમાં જયારે પણ હુમલા થયા છે ત્યારે લોકલ સપોર્ટ તેમને મળ્યો જ છે ત્યારે સ્લીપર સેલ બની દેશ વિરોધી પ્રવૃત્તિમાં તમે સામેલ થાવ છો ત્યારે સમગ્ર કોમ્યુનિટી કે સમુદાયને તમે શકના
ઘેરા માં નાખી દો છો.
ત્યારે અહીં સવાલ તે જ છે કે, સજ્જન અને બૌદ્ધિક મુસ્લિમો કેમ આવા કેસોમાં મૌન પાળીને બેસી રહે છે ? કેમ જાહેર નથી કરતા કે, જયારે આવો કોઈપણ બનાવ બને ત્યારે કોમ્બેટ કરો અમે સહકાર આપીશું અને આવા ગદ્દારો કે દેશ વિરોધી તત્વોને શોધો અમારો પૂરો સપોર્ટ રહેશે.કેમ કે, આવા બનાવો કદી કોઈ જ ફાયદો કરાવતા નથી.તમારે જે સમુદાય સાથે સતત રહેવાનું છે તેમને જો તમે ટાર્ગેટ કરો છો તો પેલી કહેવત યાદ છે ને કે, પાણીમાં રહેવું અને મગરમચ્છ સાથે વેર તેવો ઘાટ થાય છે.
વળી કટ્ટરવાદથી કોઈનું ભલું નથી થયું.પાકિસ્તાનને જ જુવો આજે પણ ગરીબી,બેકારી અને બેરોજગારીના ખપ્પરમાં તેવું હોમાયેલું છે કે, દાણા દાણા માટે મોહતાઝ છે. કટ્ટરતાવાદના લીધે ન તો તેણે ઇન્ફ્રાસ્ટક્ચર વિકસાવ્યું છે, ન તો કોઈ આવકના સ્તોત્રો ઉભા કર્યા છે,બસ આંતંકવાદની ફેકટરીઓ ચલાવે છે અને ગરીબ અને બેકાર યુવાનો ભરતી કરી ભારતને બરબાદ કરવા આંતકીઓ તૈયાર કરે છે.આ જ કામ તેની પાસે બચ્યું છે.તે સમજી લેવા જેવું છે.
ત્યારે અગર તમે ભારતમાં રહો છો અને ભારતના નાગરિકો છો તો બી ઇન્ડિયન નોટ ટ્રેટર કેમ કે, ગદ્દારો ને તો લોકો ધિક્કારથી જોશે અને જ્યાં રહેવું છે ત્યાં અગર તમે ધિક્કારથી રહેશો તો તમે નેચરલી સારી રીતે નહીં જ જીવી શકો.વળી મુસ્લિમ સમાજમાં પણ ઓછા એજ્યુકેશનના લીધે ગરીબી, બેકારી અને બેરોજગારી તો છે જ..ત્યારે આ સડાને દૂર કરી બીજાનું તો ઠીક પણ તમારા સમાજનું જ પહેલા તો જુવો કે, જેથી તે ગરીબીમાંથી બહાર આવી વિકાસ તરફ આગળ વધે નહીં કે બેકવર્ડ બનીને..આવી પ્રવૃતિઓ સમાજને હાંસિયામાં ધકેલી દે છે તે મુસ્લિમ સજ્જનો અને મોભીઓએ સમજવું કે સમજાવવું જોઈએ.
છેવટે અહીં એટલું જ કહેવું છે કે, દેશના વડાપ્રધાન અને ભાજપ માથે હિન્દૂ-મુસ્લિમ ની રાજનીતિના આરોપો લગાવવામાં આવે છે તો તે માની લો કે થાય છે કેમ કે, તેવા કારણો પણ તો બને જ છે ને, અહીં બહુમતીમાં રહેલ હિન્દૂ વર્ગ બહુમતીમાં હોવાછતાં આવા ષડયંત્રોનો ભોગ બને છે તો પછી તેવું તો લોકો માનવાના જ ને કે તેઓ સલામત નથી.તો સલામતી શોધવા તો તે પ્રયત્ન કરશે જ ને ??? ખોટું પણ કોઈ કેવી રીતે કહી શકે કેમ કે, કારણો અનેક છે…



