દશેરાના પાવન દિવસે આજરોજ તારીખ ૨૫.૧૦.૨૦૨૦ ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્રારા રાજપૂત સમાજ ભવન, લાલપુલ પાસે, ગોંડલ ખાતે સવારે ૦૯.૦૦ કલાકે શુભમુહૂર્ત શાસ્ત્રો વિધિ મુજબ સરકારી ગાઈડ લાઈનના અમલ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું વેદોમાં આપેલ વર્ણન અનુસાર દશેરા ક્ષત્રીય સમાજના મુખ્ય તહેવાર માનવામાં આવે છે. જે અનુસંધાને સાદગીપૂર્વક આ તહેવારની ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે ધારાસભ્ય ના પ્રતિનિધિ જ્યોતિરાદીત્યસિંહ જાડેજા, તથા રાજપૂત સમાજની તમામ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ તથા યુવાનોએ હાજરી આપી હતી.
ગોડલ સીટી પોલીસ ના અધિકારી દ્વારા કરાયુ શસ્ત્ર પુજન વિધિ કરનાર શાસ્ત્રી ગોંડલ શહેર માં TRB ટ્રાફિક શાખામા જ ફરજ બજાવે છે.
ગોડલ સીટી પોલીસ મથક ખાતે આજે દશેરા પ્રસંગે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતુ જેમા સીટી પી.આઈ એસ.એમ.જાડેજા, પી.એસ.આઈ બી.એલ.ઝાલા અને પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્ર ની આરતી ઉતારી શાસ્ત્રોકત વિધી કરી ને હથિયોરો નું પુજન કરવા માં આવ્યું હતું ગોંડલ શહેર પોલીસ સ્ટેશન ખાતે ધાર્મિક પુજા વિધી કરનાર શાસ્ત્રી હિમાંશુભાઈ ભટ્ટ કે જે ગોંડલ શહેર પોલીસ માં જ TRB ટ્રાફિક શાખા માં જ ફરજ બજાવે છે તેમના દ્વારા જ પૂજા વિધિ કરવામાં આવી હતી.