-આઈસીસી તરફથી લેખિત બાહેંધરી મળ્યા બાદ જ ટીમને રમવા માટે મોકલશે
ભારતમાં આ વર્ષે રમાનારા આઈસીસી વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ રમવા ઉતરશે કે નહીં તેને લઈને હજુ સુધી કશું જ નિશ્ચિત લાગી રહ્યું નથી. ભારતે એશિયા કપ રમવા પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો હતો ત્યારથી અત્યાર સુધીમાં પાકિસ્તાન દ્વારા વર્લ્ડકપને લઈને અલગ-અલગ પ્રકારનો શરતો રાખવામાં આવી રહી છે. હવે અહેવાલો આવી રહ્યા છે કે પાકિસ્તાને આઈસીસી પાસે સુરક્ષાને લઈને લેખિત આશ્વાસન માંગ્યું છે.
- Advertisement -
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સરકારને પત્ર લખીને ટીમને ભારત જોવા જવા દેવાની પરવાનગી માંગી હતી. પાકિસ્તાની મીડિયાના એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનની સરકાર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા આઈસીસી પાસેથી લેખિતમાં આશ્વાસન માંગ્યું છે.
જાણકારી પ્રમાણે પીસીબી અને પાકિસ્તાન સરકારે ભારતમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને અપાનારી સુરક્ષાને લઈને લેખિતમાં આશ્વાસન માંગ્યું છે. તેનું કહેવું છે કે, ભારતમાં તેની ટીમના ખેલાડીઓને ઉચ્ચ સ્તરની સુરક્ષા મળશે. આ વાતનું આશ્વાસન લેખિતમાં મળ્યા બાદ જ ટીમને પાકિસ્તાન મોકલવાની પરવાનગી અપાશે.
ભારતમાં વન-ડે વર્લ્ડકપમાં પાકિસ્તાનના રમાનારા મુકાબલાના સ્થળને લઈને બબાલ શરૂ થઈ હતી. અમદાવાદમાં પીસીબીએ રમવાનો ઈનકાર કરી દીધો હતો. તેનું કહેવું હતું કે, અમદાવાદમાં પાકિસ્તાન ટીમ લીગ મેચ નહીં બલ્કે નોકઆઉટ મેચ રમે તેમના કોઈ વાંધો નથી. જો કે આઈસીસી અને બીસીસીઆઈએ તેની આ માંગ ઠુકરાવી દીધી હતી.