By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    1 day ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    1 day ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    3 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    3 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    14 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    3 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 day ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    4 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    5 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    6 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    6 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor
Last updated: 2026/04/23 at 5:06 PM
Khaskhabar Editor 2 months ago
Share
5 Min Read
SHARE

કલેક્ટર કચેરીએ વિશાળ રેલી પણ યોજાશે

પર્યાવરણનું નિકંદન અને ગેરકાયદે બાંધકામો મુદ્દે સરકાર અને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23

સનાતન ધર્મની આસ્થા અને ભારતની પ્રાચીન ધાર્મિક ધરોહર સમાન પવિત્ર ગિરનાર પર્વતને બચાવવા માટે આજે જૂનાગઢમાં સંતો, મહંતો અને હિન્દૂ સંગઠનો એકત્રિત થયા છે. ગિરનારના સંરક્ષણના મુદ્દે આજે સાંજે 4:30 કલાકે ઝાંસીરાણી પ્રતિમા સર્કલ ખાતે ’ગિરનાર સંરક્ષણ સમિતિ’ દ્વારા એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતભરના વિવિધ અખાડાઓ અને મંદિરોના સંતો-મહંતો ઉપસ્થિત રહી ગિરનારની સુરક્ષા માટે પોતાનું વક્તવ્ય આપશે. આ મહાસભા બાદ એક વિશાળ રેલી યોજવામાં આવશે, જે કલેક્ટર કચેરી સુધી જશે અને અંતમાં સરકારને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા પર અને સનાતન પરંપરા પર કથિત રીતે જે જોખમો ઉભા થયા છે, તેને લઈને સાધુ-સંતો અને હિન્દૂ ધર્મના સંગઠનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગિરનાર પર્વત પર આવેલા પ્રાચીન ધર્મસ્થાનો અને સાર્વજનિક મિલ્કતો પર થઈ રહેલા અતિક્રમણ, તેમજ સરકારી દસ્તાવેજોમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આ આંદોલન શરૂૂ કરવામાં આવ્યું છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે, હવે ગિરનારની રક્ષા માટે માત્ર વાતો નહીં, પરંતુ આરપારની લડાઈ લડવામાં આવશે. આ અભિયાનમાં તમામ અખાડાના સંતો, હિન્દૂ સંગઠનોના કાર્યકરો અને સામાજિક આગેવાનો જોડાયા છે અને સમગ્ર સનાતન સમાજને આ લડતમાં જોડાવા અપીલ કરી છે.આ આંદોલન માત્ર ધાર્મિક મુદ્દાઓ પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં ગિરનારના પર્યાવરણની રક્ષાનો મુદ્દો પણ અત્યંત ગંભીર રીતે ઉઠાવવામાં આવ્યો છે. ગિરનાર ક્ષેત્રમાં અસામાજિક તત્વો અને ગેરબંધારણીય સંસ્થાઓ દ્વારા પર્યાવરણને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. સમિતિના આક્ષેપ મુજબ, અહીં દુર્લભ ઔષધીય વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિરાટ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સનાતન ધર્મના મંદિરોને નુકસાન પહોંચાડીને આસપાસની જમીનો હડપવાના અનૈતિક પ્રયાસો સામે પણ સંતો-મહંતો, પર્યાવરણ પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ સંસ્થાઓ હવે લડી લેવાના મૂડમાં છે. સંતોનું સ્પષ્ટ માનવું છે કે, ગિરનારનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે રોક લગાવવી અનિવાર્ય છે.
ગિરનાર પર આવેલી ધાર્મિક જગ્યાઓ અંગે જૈન સમાજના અમુક લોકો દ્વારા કરવામાં આવતા કૃત્યો અને તેના કારણે ઉભા થતા વિવાદોએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. સંતોના જણાવ્યા અનુસાર, છાસવારે કોઈને કોઈ રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થાય છે. ભૂતકાળમાં ગુરુદત્ત શિખર પર નિર્વાણ લાડુ ધરવા અંગેના નારા લગાવવા જેવી ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત, ગિરનારની નાથ સંપ્રદાયની જગ્યા એવી ’ઓઘડ ટૂંક’ પર અન્ય જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને એકની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાઓ અગાઉ પણ જૈન સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે ઘર્ષણ પેદા કરી ચૂકી છે. આ તમામ બાબતો હવે સંતો માટે સહનશક્તિની બહાર ગઈ છે, તેથી જ તેઓ હવે કાયદાકીય અને સામાજિક સ્તરે આરપારની લડાઈ લડવાના નિર્ધાર સાથે રસ્તા પર ઉતર્યા છે. આજની આ વિશાળ રેલી અને આવેદનપત્ર દ્વારા સંતો-મહંતો તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે. તેમની મુખ્ય માંગણીઓમાં ગિરનાર ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવા, જમીન અતિક્રમણની તપાસ કરવી અને સરકારી દસ્તાવેજોમાં થયેલી ગેરરીતિઓની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવી સામેલ છે. સંતોનું કહેવું છે કે, જો તંત્ર વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરશે. સનાતનીઓની આસ્થાના પ્રતીક સમાન ગિરનાર પર કોઈપણ પ્રકારનું દબાણ કે ધાર્મિક વિવાદ સાંખી લેવામાં આવશે નહીં, તેવો નિર્ધાર આજના આ કાર્યક્રમમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જૂનાગઢની ધરતી પર આજે સંતો-મહંતો દ્વારા ગિરનાર સંરક્ષણ માટે યોજાયેલી આ મહાસભા એ માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ સનાતન ધર્મના રક્ષણ માટેની એક મજબૂત હાકલ છે. ગિરનાર, જે સાધકો અને સંતોની તપોભૂમિ છે, તેને ભૌતિકવાદી અતિક્રમણો અને ધાર્મિક વિવાદોથી મુક્ત રાખવા માટે હવે સંતોએ કમર કસી છે. સમગ્ર જૂનાગઢ શહેર આજે સંતોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને ગિરનારને બચાવવાના સંકલ્પ સાથે ગુંજી ઉઠશે. હવે જોવાનું એ છે કે, વહીવટી તંત્ર અને સરકાર સંતોની આ માંગણીઓ પ્રત્યે કેટલી ગંભીરતા દાખવે છે અને ગિરનારની આ પવિત્રતા જાળવવા માટે શું પગલાં લે છે. સનાતન પ્રેમીઓ માટે આજનો દિવસ એક નવી લડાઈના મંડાણ સમાન છે.

ઝાંઝરડા રોડના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખી રેલીમાં જોડાશે

- Advertisement -

જૂનાગઢમાં આજે ગિરનાર સંરક્ષણ માટે દેશ અને રાજ્યના અનેક સંતો – મહંતો આજે મહાસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અનેક હિન્દૂ ધર્મ સંગઠનો અને સામાજિક આગેવાનો જોડાવાના છે ત્યારે આજે ઝાંઝરડા રોડ પરના તમામ વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને ગિરનાર બચાવો આ અભિયાનમાં પોતાનો ટેકો જાહેર કરીને આ વિરાટ સભા અને રેલીમાં સાંજે જોડાશે.

You Might Also Like

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
Next Article વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?