By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    10 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    10 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    10 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    1 day ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    10 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    11 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    11 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    1 day ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    11 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    1 day ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    11 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 day ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’
જુનાગઢ

આજે જૂનાગઢમાં ગિરનાર પર્વતને બચાવવા ‘ગિરનાર સંરક્ષણ મહાસભા’

Khaskhabar Editor
Last updated: 2026/04/23 at 5:06 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

કલેક્ટર કચેરીએ વિશાળ રેલી પણ યોજાશે

પર્યાવરણનું નિકંદન અને ગેરકાયદે બાંધકામો મુદ્દે સરકાર અને તંત્ર સમક્ષ ઉગ્ર માંગ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23

સનાતન ધર્મની આસ્થા અને ભારતની પ્રાચીન ધાર્મિક ધરોહર સમાન પવિત્ર ગિરનાર પર્વતને બચાવવા માટે આજે જૂનાગઢમાં સંતો, મહંતો અને હિન્દૂ સંગઠનો એકત્રિત થયા છે. ગિરનારના સંરક્ષણના મુદ્દે આજે સાંજે 4:30 કલાકે ઝાંસીરાણી પ્રતિમા સર્કલ ખાતે ’ગિરનાર સંરક્ષણ સમિતિ’ દ્વારા એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતભરના વિવિધ અખાડાઓ અને મંદિરોના સંતો-મહંતો ઉપસ્થિત રહી ગિરનારની સુરક્ષા માટે પોતાનું વક્તવ્ય આપશે. આ મહાસભા બાદ એક વિશાળ રેલી યોજવામાં આવશે, જે કલેક્ટર કચેરી સુધી જશે અને અંતમાં સરકારને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવશે.
ગિરનાર ક્ષેત્રની ધાર્મિક અસ્મિતા પર અને સનાતન પરંપરા પર કથિત રીતે જે જોખમો ઉભા થયા છે, તેને લઈને સાધુ-સંતો અને હિન્દૂ ધર્મના સંગઠનોમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ગિરનાર પર્વત પર આવેલા પ્રાચીન ધર્મસ્થાનો અને સાર્વજનિક મિલ્કતો પર થઈ રહેલા અતિક્રમણ, તેમજ સરકારી દસ્તાવેજોમાં કથિત ગેરરીતિઓના વિરોધમાં આ આંદોલન શરૂૂ કરવામાં આવ્યું છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે, હવે ગિરનારની રક્ષા માટે માત્ર વાતો નહીં, પરંતુ આરપારની લડાઈ લડવામાં આવશે. આ અભિયાનમાં તમામ અખાડાના સંતો, હિન્દૂ સંગઠનોના કાર્યકરો અને સામાજિક આગેવાનો જોડાયા છે અને સમગ્ર સનાતન સમાજને આ લડતમાં જોડાવા અપીલ કરી છે.આ આંદોલન માત્ર ધાર્મિક મુદ્દાઓ પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં ગિરનારના પર્યાવરણની રક્ષાનો મુદ્દો પણ અત્યંત ગંભીર રીતે ઉઠાવવામાં આવ્યો છે. ગિરનાર ક્ષેત્રમાં અસામાજિક તત્વો અને ગેરબંધારણીય સંસ્થાઓ દ્વારા પર્યાવરણને જે રીતે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, તે ચિંતાનો વિષય છે. સમિતિના આક્ષેપ મુજબ, અહીં દુર્લભ ઔષધીય વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વિરાટ બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. સનાતન ધર્મના મંદિરોને નુકસાન પહોંચાડીને આસપાસની જમીનો હડપવાના અનૈતિક પ્રયાસો સામે પણ સંતો-મહંતો, પર્યાવરણ પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ સંસ્થાઓ હવે લડી લેવાના મૂડમાં છે. સંતોનું સ્પષ્ટ માનવું છે કે, ગિરનારનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે રોક લગાવવી અનિવાર્ય છે.
ગિરનાર પર આવેલી ધાર્મિક જગ્યાઓ અંગે જૈન સમાજના અમુક લોકો દ્વારા કરવામાં આવતા કૃત્યો અને તેના કારણે ઉભા થતા વિવાદોએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી દીધી છે. સંતોના જણાવ્યા અનુસાર, છાસવારે કોઈને કોઈ રીતે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થાય છે. ભૂતકાળમાં ગુરુદત્ત શિખર પર નિર્વાણ લાડુ ધરવા અંગેના નારા લગાવવા જેવી ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત, ગિરનારની નાથ સંપ્રદાયની જગ્યા એવી ’ઓઘડ ટૂંક’ પર અન્ય જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવીને સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી અને એકની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાઓ અગાઉ પણ જૈન સંપ્રદાય અને સનાતન ધર્મના સંતો વચ્ચે ઘર્ષણ પેદા કરી ચૂકી છે. આ તમામ બાબતો હવે સંતો માટે સહનશક્તિની બહાર ગઈ છે, તેથી જ તેઓ હવે કાયદાકીય અને સામાજિક સ્તરે આરપારની લડાઈ લડવાના નિર્ધાર સાથે રસ્તા પર ઉતર્યા છે. આજની આ વિશાળ રેલી અને આવેદનપત્ર દ્વારા સંતો-મહંતો તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે. તેમની મુખ્ય માંગણીઓમાં ગિરનાર ક્ષેત્રમાં થતા ગેરકાયદેસર બાંધકામોને તાત્કાલિક તોડી પાડવા, જમીન અતિક્રમણની તપાસ કરવી અને સરકારી દસ્તાવેજોમાં થયેલી ગેરરીતિઓની ઉચ્ચસ્તરીય તપાસ કરાવવી સામેલ છે. સંતોનું કહેવું છે કે, જો તંત્ર વહેલી તકે કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે, તો આ આંદોલન વધુ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરશે. સનાતનીઓની આસ્થાના પ્રતીક સમાન ગિરનાર પર કોઈપણ પ્રકારનું દબાણ કે ધાર્મિક વિવાદ સાંખી લેવામાં આવશે નહીં, તેવો નિર્ધાર આજના આ કાર્યક્રમમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
જૂનાગઢની ધરતી પર આજે સંતો-મહંતો દ્વારા ગિરનાર સંરક્ષણ માટે યોજાયેલી આ મહાસભા એ માત્ર એક વિરોધ પ્રદર્શન નથી, પરંતુ સનાતન ધર્મના રક્ષણ માટેની એક મજબૂત હાકલ છે. ગિરનાર, જે સાધકો અને સંતોની તપોભૂમિ છે, તેને ભૌતિકવાદી અતિક્રમણો અને ધાર્મિક વિવાદોથી મુક્ત રાખવા માટે હવે સંતોએ કમર કસી છે. સમગ્ર જૂનાગઢ શહેર આજે સંતોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ અને ગિરનારને બચાવવાના સંકલ્પ સાથે ગુંજી ઉઠશે. હવે જોવાનું એ છે કે, વહીવટી તંત્ર અને સરકાર સંતોની આ માંગણીઓ પ્રત્યે કેટલી ગંભીરતા દાખવે છે અને ગિરનારની આ પવિત્રતા જાળવવા માટે શું પગલાં લે છે. સનાતન પ્રેમીઓ માટે આજનો દિવસ એક નવી લડાઈના મંડાણ સમાન છે.

ઝાંઝરડા રોડના વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખી રેલીમાં જોડાશે

- Advertisement -

જૂનાગઢમાં આજે ગિરનાર સંરક્ષણ માટે દેશ અને રાજ્યના અનેક સંતો – મહંતો આજે મહાસભા અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અનેક હિન્દૂ ધર્મ સંગઠનો અને સામાજિક આગેવાનો જોડાવાના છે ત્યારે આજે ઝાંઝરડા રોડ પરના તમામ વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ પાળીને ગિરનાર બચાવો આ અભિયાનમાં પોતાનો ટેકો જાહેર કરીને આ વિરાટ સભા અને રેલીમાં સાંજે જોડાશે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રતનપર નજીક ઈકો કાર પલટી જતાં 8 ધાયલ
Next Article વિરમગામ-નળ સરોવર હાઇવે પર પીક-અપ વાનની ટક્કરથી એક જ પરિવારના ત્રણના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?