સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ શુભ દિવસે અજાણતા પણ આ ભૂલો ના કરવી જોઈએ.
સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ)નું વિશેષ મહત્ત્વ રહેલું છે, આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે સોનુ ખરીદવાની પ્રથા છે. દર વર્ષે વૈશાખ માસની શુક્લ પક્ષની તિથિએ અક્ષય તૃતીયાની ઊજવણી કરવામાં આવે છે. આ વર્ષ 22 એપ્રિલના રોજ અખાત્રીજ છે. ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે તથા આર્થિક પરેશાનીથી છુટકારો મળે છે. આ દિવસે સોનાની ખરીદી જરૂરથી કરવી જોઈએ. ઉપરાંત માઁ લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. અખાત્રીજના દિવસે આ ભૂલ બિલકુલ પણ ના કરવી જોઈએ.
- Advertisement -
– ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ના કરવા જોઈએ, આ પ્રકારે કરવાથી માઁ લક્ષ્મી નારાજ થઈ જાય છે.
– અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ. તમારા વિચાર, વાણી અને વર્તનથી કોઈના માન સમ્માનને હાનિ પહોંચાડશો. જો કોઈ વ્યક્તિ તમારા કારણે દુ:ખી થાય તો માઁ લક્ષ્મી રુષ્ઠ થઈ જાય છે.
– જો તમે માઁ લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માંગો છો, તો આ દિવસે માંસ, મદિરા, લસણ, ડુંગળી તથા તામસી ભોજન ના કરવું જોઈએ. આ દિવસે આ તમામ વસ્તુનું સેવન કરવાથી નાણાંકીય નુકસાન થાય છે.
– આ દિવસે ચોરી, દુર્વ્યવહાર, જુગાર, ખોટુ ના બોલવું તથા ખોટા કામ ના કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી ધનનો નાશ થાય છે, ઉપરાંત તમે પાપના ભાગી બનો છે. આ દિવસે જે પણ પાપ કરવામાં આવે તે હંમેશા તમારી સાથે રહે છે.
– આ દિવસે પૂજા ઘર, તિજોરી, ઈશાન કોણ, દરવાજા અને બારીની સાફ સફાઈ જરૂરથી કરવી જોઈએ. માઁ લક્ષ્મી ગંદકીવાળી જગ્યાઓ પર નિવાસ કરતી નથી. આ કારણોસર અક્ષય તૃતીયાના દિવસે તિજોરી ગંદી ના રાખવી જોઈએ.
– જ્યોતિષ અનુસાર અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ વ્યક્તિને ઉધાર ના આપશો. આ દિવસે કોઈપણ પ્રકારનું લેવડ દેવડ ના કરશો, જેનાથી માઁ લક્ષ્મી ઘર છોડીને જતા રહે છે.
– સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાના દિવસે સોનુ ખરીદવાની પ્રથા છે. આ દિવસે સોનુ જરૂરથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ના કરવી જોઈએ. પ્લાસ્ટિક, સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે. આ વસ્તુઓની ખરીદી કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.