ગીર સોમનાથ ગુજરાત રાજ્યના પોલીસ મહા નિર્દેશક વિકાસ સહાયએ આજ રોજ ગીર સોમાનાથ જિલ્લાની મુલાકાત લીધી આતકે સોમનાથ મહાદેવના દર્શન કરી મહાદેવને જલાભિષેક કર્યો હતો અને ભગવાન ભોળાનાથને શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા જયારે સોમનાથ મંદીર મુકાલાત સમયે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેઓશ્રીને સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિત્ર અને પ્રસાદ અર્પણ કરી અભિવાદન કર્યું અને રાજ્યના ડીજીપીએ સોમનાથ મંદીર પરીસર સુરક્ષા વ્યવસ્થા વિષે ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા સાથે ચર્ચા વિચારણા કરી હતી.
સોમનાથ મહાદેવના દર્શન કરતા પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય: SP મનોહરસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/સોમનાથ-મહાદેવના-દર્શન-કરતા-રાજ્યના-પોલીસ-મહા-નિર્દેશક-વિકાસ-સહાય-1-860x602.jpg)
You Might Also Like
Follow US
Find US on Social Medias