ગીર સોમનાથ કલેક્ટરના આદેશ બાદ કાર્યવાહી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં થતી બેફામ ખનીજ ચોરીને ડામી દેવા કલેકટર ડી.ડી.જાડેજા દ્વારા ખનીજ ચોરી પર લગામ કસવા ખાણ ખનીજ વિભાગને આદેશ આપતા ખનીજ વિભાગે વેરાવળ તેમજ સોમનાથ ચોકડી સુંદરપરા સહીત જગ્યાએથી 50 લાખનો ખનીજ મુદામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગને અપાય સૂચના અપાયા બાદ ખનીજ વિભાગ દ્વારા સોમનાથ ચોકડી સુંદરપરા અને વેરાવળ ગામે દરોડા પાડ્યા હતા અને સોમનાથ ચોકડી ખાતેથી બે જેટલા બિલ્ડિંગ લાઇમ સ્ટોન ચોરી કરતા ટ્રેકટર ઝડપાયા હતા અને સુંદરપરાથી એક રેતી ભરેલું ડમ્પર સીઝ કરવામાં આવ્યું હતું તેની સાથે વેરાવળથી એક બ્લેક ટ્રેપ ખનીજ ભરેલું ડમ્પર સીઝ કરી અંદાજે રૂ. 50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી કરતા ખનીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.