બનાવના ચાર દિવસ પછી પણ આરોપી નહીં પકડાતાં પરિવારજનોમાં રોષ
બહેનએ પ્રેમલગ્ન કર્યા હોય જેનો ખાર રાખી ભાઈએ મિત્ર સાથે મળી હુમલો કર્યો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
જામનગર રહેતા યુવકને રાજકોટ પત્નીને તેડી જવા બોલાવી સાળાએ તેના મિત્ર સાથે મળી પાઇપથી હુમલો કરી હાથ પગ ભાંગી નાખતા બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી હતી દરમિયાન સારવાર હેઠળ રહેલા બનેવીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો છે બનાવ અંગે બી ડિવિઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે જો કે બીજી તરફ બનાવના ચાર દિવસ પછી પણ આરોપી પકડાયા ન હોવાથી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે.
જામનગરના દરેડ ગામે રહેતા અને સેન્ટ્રિંગ કામ કરતાં સુનિલ જગદિશભાઈ જાદવ ઉ.27એ ચાર દિવસ પૂર્વે નોંધાવેલ ફરિયાદમાં સાળા રવી મનુ પરમાર અને તેના મિત્ર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં દરેડ ગામથી રાજકોટ કેશીયા પાર્ટીમાં ઢોલ વગાડવા માટે આવ્યો હતો અને માસીની ઘરે રહેતો હતો. દરમીયાન યુવતી સાથે પરીચય થયો હતો જેથી બે વર્ષ પહેલા રાજકોટમાં મોરબી રોડ ગણેશનગરમાં રહેતા મનુભાઈ પરમારની દિકરી પ્રિયા સાથે જુનાગઢ કોર્ટમાં મેરેજ કર્યા હતાં ગઈ તા.06 ના રોજ તેમનો સાળો રવિ પરમાર તેમનો પત્નિ પ્રિયાની તબિયતનુ બહાનુ કાઢી રાજકોટ તેડી ગયેલ અને બે દિવસથી ફોન કરતા છતાં કોઈ ફોન ઉપાડતા ન હતાં.
- Advertisement -
દરમિયાન તેના સાળા રવી સાથે ફોનમા વાત કરતા તેણે રાજકોટ આવી પત્નીને લઈ જવાનુ કહેલ હતું જેથી 12 તારીખે સાંજે રાજકોટ પત્નીને તેડવા માટે આવેલ અને રવિનો ફોન ઉપર સંપર્ક કરતા કુવાડવા રોડ ચામુંડાનગરમાં આવેલ તેના ટાયરના ડેલા પાસે બોલાવતા તેઓ ત્યાં ગયેલ અને સાંજના સાડા સાતેક વાગ્યે રવિ અને તેનો મિત્ર ઘસી આવેલ અને બાદમાં ખાટલા ઉપર બેસીને વાતચીત થયેલ અને ચા-પાણી પીધા હતાં. બાદમાં તેઓએ તેની પત્નીને બોલાવાનું કહેતા રવિ અચાનક ઉશ્કેરાઈ જઈ ગાળો આપી મોઢુ દબાવી ખાટલામાં સુવડાવી દિધેલ અને તેનો મિત્ર બાજુમાથી લોખંડનો પાઈપ લાવી પાઈપથી જીવલેણ હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર ઇજા પહોંચતા હાથ અને પગમાંથી લોહી નિકળવા લાગેલ હતું. બાદમાં દેકારો થતાં રવીએ છરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી બંને નાસી છૂટ્યા હતાં બાદમાં તે ઢસડાતો ઢસડાતો ડેલા બહાર આવી બુમાબુમ કરતા ત્યાં હાજર લોકોએ 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં બી. ડિવિઝન પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બાદમાં ચાલું સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતાં બી. ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ. એમ.જાડેજા સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી ચાર દિવસ બનાવને થયા બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર હોય પરીવારએ આક્રોશ ઠાલવ્યો હતો.
મૃતકના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલ અને પોલીસ કમિશનર કચેરીએ આરોપીને જલ્દી પકડાવાની માગણી સાથે હલ્લાબોલ કર્યું હતું અને મૃતદેહ લેવાની ના પાડી હતી
મૃતક સુનિલ પરીવારનો એકનો એક પુત્ર હતો
રાજકોટના ચામુંડાનગરમાં સગા સાળા સહીતના શખ્સોએ કરેલ જીવલેણ હુમલામાં યુવકનું મોત નિપજયું હતું. યુવક પરીવારનાં એકનો એક આધારસ્તંભ પુત્ર હતો. મૃતકના માતા-પિતા મંજુરીકામ કરે છે આધાર સ્તંભ પુત્ર ગુમાવતાં પરીવારમાં શોક વ્યાપી ગયો છે.