આતંકવાદના મૂળ પર પ્રહાર કરવાની પ્રજાની દસકાંઓ જૂની માંગ કોઈ શાસકને સંભળાતી નથી
પહેલગામ હુમલાનો ગુજરાતમાં ઠેર-ઠેર વિરોધ: લોકોએ જાહેર રસ્તા પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને કચડ્યો
- Advertisement -
સાબરકાંઠા-ગઢડા-વીરપુર સ્વૈચ્છિક બંધ, પોલીસ તંત્ર એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કાશ્મીરના પ્રવાસે ગયેલા નિર્દોષ 28 સહેલાણીઓને આતંકવાદીઓ ગોળી મારી દીધી હતી. આંતકી હુમલાની ઘટનાને લઈ રાજ્યભરમાં ભારે આક્રોશ છે. આ કાયરતા પૂર્ણ હુમલાને વખોડી આંતકીઓને મોતને ઘાટ ઉતારવા અને મૃતકોને સન્માનભેર શ્રધ્ધાંજલી આપવાના કાર્યક્રમો રાજ્યભરમાં બે દિવસથી યોજાઈ રહ્યા છે. હિન્દુઓને હવે વિરોધ કરવા સિવાય અને મીણબત્તીઓ પ્રગટાવવા સિવાય બીજું કશું ફાવતું નથી. દરેક સરકાર પણ આવા હુમલા પછી ટોકનરૂપે પગલાં લઈ શાંતિથી બેસી જાય છે. આ વખતે પણ કંઈક એવું જ થઈ રહ્યું છે. ત્યારે સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો છે. મોડાસા ખાતે ગુરૂવારે વીએચપી દ્વારા નગરના ચાર રસ્તે પૂતળા દહન કાર્યક્રમ યોજી ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. જ્યારે આજે અરવલ્લી જિલ્લાના હિંમતનગર, તલોદ, ખેડબ્રહ્મા, મોડાસા-ભિલોડામાં વિવિધ સંસ્થાઓ દ્વારા બંધનું એલાન અપાતાં પોલીસ તંત્ર એલર્ટ કરાયું હતું.
સાબરકાંઠામાં સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ, હિંમતનગર અને તલોદ સહિતના શહેરોમાં વહેલી સવારથી બજારો બંધ જોવા મળ્યા હતા. આ તરફ મોરબી અને મહિસાગર જિલ્લાના વીરપુરમાં સજ્જડ બંધ પાળી આતંકવાદીનું પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો છે. વિરપુર તાલુકાના હિન્દુ તેમજ મુસ્લિમ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. મોરબીમાં વેપારીઓ અને હિંદુ સંગઠનો દ્વારા મૌન રેલી પણ યોજવામાં આવી હતી. આ દરમિયાન પાકિસ્તાને રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડવામાં આવ્યો હતો અને સાથે જ મોરબીની દુકાનોમાં ધર્મ જોઈને સમાન ખરીદો, આ હિન્દુની દુકાન છે જેવા પોસ્ટરો લાગ્યા હતા.
સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આંતકવાદની અંતિમયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા હતા. આ આંતકવાદની અંતિમયાત્રા સરદાર કોમ્પલેક્ષથી શરૂ કરી સીતાનગર ચોક સુધી કાઢવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા આંતકવાદના પૂતળાને ચંપલ મારી, લાતો મારી વિવિધ પ્રકારે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગુરુવારે ઇડરના તમામ વેપારી અને લારી ગલ્લા એસોસિયેશને સજ્જડ બંધ પાડી આતંકીઓ સામે આકરા પગલાં લેવા માંગ કરી હતી. શહેરમાં મેડિકલ જેવી આવશક્ય સેવા સિવાયના તમામ ધંધા રોજગાર્થીઓ સ્વંયભૂ બંધમાં જોડાયા હતા. શહેરના હિન્દુ સંગઠનો અને વેપારીઓએ મળી સાંજે આતંકવાદીઓનું પૂતળા દહન કરી કેન્ડલ માર્ચ યોજી હતી. લોકોએ આતંકીઓને કડકમાં કડક સજા કરવા માંગ કરી હતી.
જયારે વડાલી શહેર ગુરુવારે સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું જે હિન કૃત્ય બદલ પાલિકા નજીક ધોરીમાર્ગ પર પાકિસ્તાનના ઝંડા ચીતરી અને પુતળા દહન કરી હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
આતંકવાદી હુમલાના વિરોધમાં આજે (શુક્રવાર) ખેડબ્રહ્વામાં સંપૂર્ણપણે બજાર બંધ રાખીને શહેરમાં રેલી યોજીને તંત્રને આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત તલોદ અને હરસોલમાં શુક્રવારે (આજે) બજારો સદંતર બંધ પાડવામાં આવશે. વિશ્ર્વ હિન્દુ પરિષ અને તલોદ વેપારી સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. મહીસાગર જિલ્લાના વીરપુરમાં આતંકવાદીના પૂતળાનું દહન કરી પાકિસ્તાન વિરોધ સાથે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં શ્રદ્ધાજંલિસભાનું આયોજનમાં આંતકવાદીઓને તાત્કાલિક જવાબ આપવાની માગ સાથે આંતકવાદીઓ સામે રોષ વ્યક્ત કરાયો હતો. ગઢડામાં ટઇંઙ અને બજરંગદળ દ્વારા આંતકવાદી હુમલામાં મૃત્યું પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા શ્રદ્ધાંજલિ સભા યોજાઈ, સંતો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ટઇંઙ અને બજરંગદળ દ્વારા આંતકવાદી હુમલાના વિરોધમાં અડધો દિવસ ગઢડા બંધ રાખવાનું એલાન આપ્યું હતું. જેથી આજે સવારથી જ ગઢડામાં તમામ દુકાનો બંધ રહી હતી.