આજે વસંતપંચમી તહેવાર વિશ્વભરમાં ઊજવવામાં આવશે. વર્ષનાં કેટલાક વિશેષ શુભ કાળમાંથી આ એક હોવાને લીધે તેને ‘વણમાંગ્યુ મુહૂર્ત’ પણ કહેવામાં આવે છે.
વસંત પંચમીનો તહેવાર દરવર્ષે માગસર મહિનાનાં શુક્લ પક્ષની પંચમીનાં દિવસે ઊજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી આજે એટલે કે 14 ફેબ્રુઆરી 2024નાં રોજ છે. શાસ્ત્રોમાં વસંત પંચમીને વર્ષની સૌથી શુભ તિથિઓમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે આજનાં દિવસે જ્ઞાન અને કલાની દેવી માં સરસ્વતીનું વિધિવત પૂજન કરવાથી જીવનનાં તમામ કષ્ટ દૂર કરી શકાય છે. માંગલિક કાર્ય જેવાકે લગ્ન માટે આ તિથિને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
- Advertisement -
શુભ મુહૂર્ત
હિંદૂ પંચાગ અનુસાર માગસર મહિનાનાં શુક્લ પંચમી તિથિ એટલે કે વસંત પંચમી 13 ફેબ્રુઆરીનાં બપોરે 02.41 વાગ્યાથી શરૂ થઈને 14 ફેબ્રુઆરી બપોરે 12.09 વાગ્યા સુધી રહેશે. આ દિવસે સરસ્વતી માતાનું પૂજન કરવાનો શુભ મુહૂર્ત સવારે 7 વાગ્યાથી બપોરે 12.41 વાગ્યા સુધી રહેશે.
માં સરસ્વતીનાં પૂજનની વિધિ
વસંત પંચમીનાં દિવસે પીળા, વસંતી કે સફેદ વસ્ત્રો ધારણ કરવા. કાળા કે લાલ રંગનાં વસ્ત્રો ન પહેરવાં. પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મુખ રાખીને પૂજાની શરૂઆત કરવી. સૂર્યોદય બાદ અઢી કલાક કે સૂર્યાસ્ત બાદ અઢી કલાક સુધી આ કાર્ય કરવું. માં સરસ્વતીને શ્વેત ચંદન, પીળા અને સફેદ પુષ્પ ચઢાવવા. પ્રસાદમાં શાકર, દહીં સમર્પિત કરવું. કેસર મિશ્રિત ખીર અર્પિત કરવું સર્વોત્તમ રહેશે. “ॐ ऐं सरस्वत्यै नमः”નો જાપ કરવો જોઈએ.
માતા સરસ્વતીના મૂળ મંત્ર
ॐ ऐं सरस्वत्यै ऐं नमः
પૂજા પદ્ધતિ અનુસાર આ મંત્રનો ખાસ વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની પૂજા વખતે જાપ કરવાથી જ્ઞાન, બુદ્ધિ અને સ્મૃતિ શક્તિમાં વૃદ્ધિ થાય છે. આ માતા શારદાનો સૌથી સરળ અને પ્રભાવશાળી મંત્ર છે.
- Advertisement -
સરસ્વતી બીજ મંત્ર
ॐ ह्रीं श्रीं सरस्वत्यै नमः। ॐ ऎं सरस्वत्यै ऎं नमः।।
મનની શાંતિ અને એકાગ્રતા માટે દેવી સરસ્વતીના આ બીજ મંત્રનો જાપ કરવો જોઈએ.
સરસ્વતી સ્તુતિ
या देवी सर्वभूतेषु विद्या रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः
વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની આ સ્તુતિ કરવાથી અપાર સુખ-સંપદા પ્રાપ્ત થાય છે. આ સ્તુતિનો પાઠ કરવાથી દેવીનો આશીર્વાદ મળે છે અને સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થાય છે.