By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    1 day ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    3 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    9 minutes ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    27 minutes ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    29 minutes ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    31 minutes ago
    ટ્રમ્પની ઇચ્છા આખરે પૂરી થઈ…મળી ગયો નોબેલ
    32 minutes ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    2 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 day ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    4 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    6 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 day ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાતિ આધારિત રાજનીતિથી વોટ નહીં મળે: સ્વામી રામભદ્રાચાર્ય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > જાતિ આધારિત રાજનીતિથી વોટ નહીં મળે: સ્વામી રામભદ્રાચાર્ય
રાષ્ટ્રીય

જાતિ આધારિત રાજનીતિથી વોટ નહીં મળે: સ્વામી રામભદ્રાચાર્ય

Khaskhabar Editor
Last updated: 2023/11/02 at 4:35 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જે રામ-કૃષ્ણની વાત કરશે, તે જ દેશ પર રાજ કરશે: નીતિશ-તેજસ્વીની તુષ્ટિકરણની રાજનીતિ પર સ્વામી રામભદ્રાચાર્યનો પ્રહાર

જાતિ આધારિત વસ્તી ગણતરીનો રિપોર્ટ જાહેર થયા બાદ બિહાર સહિત સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે. દેશના ઘણા લોકો બિહાર સરકારના પગલાંને અયોગ્ય ગણાવી રહ્યા છે. આવા સમયે બિહારમાં કરવામાં આવેલા જાતિ આધારિત સર્વેને લઈને તુલસી પીઠાધિશ જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યે પણ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની આલોચના કરી છે. તેમણે કહ્યું છે કે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે જે જાતિ આધારિત રાજનીતિ કરી રહ્યા છે તેમને વોટ નહીં મળે. જે રામ-કૃષ્ણની વાતો કરશે તે જ દેશ પર રાજ કરશે.

- Advertisement -

ચિત્રકૂટના તુલસી પીઠાધિશ અને પદ્મ વિભૂષણથી સન્માનિત જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્ય બિહારના પશ્ચિમ ચંપારણમાં આવેલા બગહામાં ‘રામકથા પ્રવચન’ કરી રહ્યા છે. આ કથાના કાર્યક્રમ દરમિયાન સ્વામી રામભદ્રાચાર્યે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ પર આરોપ લગાવ્યો છે કે તેઓ જાતિ આધારિત સર્વે કરીને હિંદુઓમાં ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે.

પશ્ચિમ ચંપારણના બગહા ખાતે રામકથાના કાર્યક્રમ દરમિયાન સ્વામી રામભદ્રાચાર્યે કહ્યું હતું કે, નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે હિંદુ સમુદાયમાં વિભાજન ઊભું કરવા માટે બિહારમાં જાતિ આધારિત સર્વેક્ષણ કર્યું. હું તેમને કહેવા માંગુ છું કે લોકોને જાતિના આધારે વિભાજિત ન કરો. જાતિના આધારે લોકોને વિભાજિત કરવાથી વોટ નહીં મળે.

એ ઉપરાંત 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ જગદગુરુએ ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું છે કે, જનતા ખૂબ જ સમજદાર છે. હવે જનતા માટે જે કામ કરશે તે જ નેતાને વોટ મળશે. મારા શબ્દો યાદ રાખજો. જે લોકો રામ અને કૃષ્ણની વાત કરે છે, તે દેશ પર શાસન કરશે.

- Advertisement -

વડાપ્રધાન મોદીએ જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (27 ઓક્ટોબર 2023) ચિત્રકૂટના પ્રવાસે હતા. આ દરમિયાન તુલસી પીઠ પર જઈને તેમણે જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યના આશીર્વાદ લીધા હતા. પીએમ મોદીની મુલાકાત બાદ સ્વામી રામભદ્રાચાર્યએ પત્રકાર રૂબિકા લિયાકત સાથે વાતચીત કરી હતી. વાતચીતમાં તેમણે પોતાને પીએમ મોદીના મિત્ર ગણાવતાં કહ્યું કે, આ મિત્રતા રામજન્મભૂમિ આંદોલનના સમયથી જ ચાલુ છે. સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેઓ ફરી 2024માં દેશના વડાપ્રધાન બનશે.

You Might Also Like

ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે

ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન

ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે

ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા

ટ્રમ્પની ઇચ્છા આખરે પૂરી થઈ…મળી ગયો નોબેલ

TAGGED: Caste, POLITICS, SwamiRambhadracharya, votes
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્ર્વ ઉમિયા ધામની અનોખી પહેલ
Next Article રામલલ્લા 4 ફૂટ ઊંચા સુવર્ણજડિત સિંહાસન પર બિરાજશે: ભૂતલના દ્વાર પણ સોનાંથી મઢાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

આમ્રપાલી અંડરપાસમાં પાળી બનાવી છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
કમિશનર તુષાર સુમેરા એક્શન મોડમાં ઈન્ડોર સ્ટેડિયમ, હોકર્સ ઝોન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું
ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
NEET-PG માટે ઐતિહાસિક નિર્ણય -40 સ્કોર પર પણ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર બનવા માટે એડમિશન મળશે
સુરેન્દ્રનગર ઈંઝઈંના યુવાનોએ બનાવી ‘ઇન્ટેલિજન્ટ એલર્ટ સિસ્ટમ’, અકસ્માત સમયે બચાવશે હજારો લોકોના જીવ
ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 29 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?